૨૦૬૦ સુધીમાં લોકોએ ફરીથી કોરોના વાયરસની જેમ ઘરમાં કેદ થઈને રહેવું પડી શકે છે

Posted by

કોરોના વાયરસને કારણે દુનિયામાં લાખો લોકો પોતાના ઘરમાં કેદ થઈને પડી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધારે લોકો આ બીમારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૨ લાખ ૭૦ હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આજથી ૪૦ વર્ષ બાદ ફરી આપણે પોતાના ઘરમાં રહેવાની પરિસ્થિતિ આવી શકે છે, પરંતુ ત્યારે કારણ ભીષણ ગરમી હશે.

Advertisement

ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થવાની આશંકા

શોધકર્તાઓના કહેવું છે કે ભીષણ ગરમી અને ભેજ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. તેનાથી લાખો લોકોના જીવન અને અર્થવ્યવસ્થા પર ઘાતક અસર થવાની સંભાવના છે. કારણ કે એવી પરિસ્થિતિ આવી જશે કે ઘરની બહાર કામ કરવા નીકળવું જીવલેણ બની શકે છે.

ઘણા વર્ષોથી મળી રહ્યા છે આવા સંકેત

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાછલા અમુક વર્ષોથી ભીષણ ગરમીની પરિસ્થિતિમાં વધારો થયો છે. સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રકાશિત અધ્યયન અનુસાર ૧૯૭૯ થી ઓસ્ટ્રેલિયા, ભારત, બાંગ્લાદેશ, પારસ ની ખાડી, ચીન, મેક્સિકો અને અમેરિકામાં પણ ગરમી અને ભેજની સેંકડો ઘટનાઓ બનેલી છે.

અત્યાર સુધી એક બે કલાક થતી આવી પરિસ્થિતિ પરંતુ…

આવી ઘટનાઓ તો હજુ સુધી ૧-૨ કલાક બનતી હતી. પરંતુ જે રીતે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે તેના પરથી જ લાગી રહ્યું છે કે આવી ઘટનાઓની અવધિ લાંબી થતી જશે. બની શકે છે કે વર્ષ ૨૦૬૦ સુધીમાં તે ૬ કલાક સુધી થવા લાગશે અને ઘણા વિસ્તારોમાં જોવા મળશે. અધ્યયન નાં પ્રમુખ લેખક અને હાલના દિવસોમાં નાસામાં કામ કરી રહેલ કોલીન રેમંડનું કહેવું છે કે તે એક ઓછામાં ઓછું અનુમાન છે.

ખૂબ જ મુશ્કેલ થઈ જશે પરિસ્થિતિ સાથે લડવું

અમેરિકાના સેન્ટર ઓફ ડિસિજ એન્ડ પ્રિવેન્શન નું પણ કહેવું છે કે પરિસ્થિતિ આપણા માટે ખુબ જ મુશ્કેલ થઈ જશે. ભેજવાળી સ્થિતિમાં લોકોએ ભીષણ ગરમીમાં પરસેવાનો સામનો કરવો પૂરતો રહેશે નહીં, તેનાથી લોકોને હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લોકો ઈલાજ વગર જીવતા રહી શકશે નહીં.

વ્યાપક અસર થશે

ઘણા વૈજ્ઞાનિકો આ વાત પર અધ્યયન કરી રહ્યા છે કે આ ભીષણ ગરમીની કેટલી વધારે સંભાવના છે અને તેનો પ્રભાવ શું પડશે. સામાન્ય રીતે લોકો તેને ફક્ત એક જળવાયુ ઘટના માનીને તેના સ્વાસ્થ્ય પર થઇ રહેલ અસરનું આકલન કરવાની કોશિશ કરે છે, પરંતુ વૈજ્ઞાનિકો એ વાતનું પણ અધ્યયન કરી રહ્યા છે કે તેનાથી લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે દુનિયાની અર્થવ્યવસ્થા પર શું પ્રભાવ પડશે.

તેની અસર આપણી જીવનશૈલી પર પડશે

શોધકર્તાઓને માનવું છે કે એક તરફ આ પ્રકારની સ્થિતિમાં વિશેષ પ્રકારના ઘરમાં રહેવાની આવશ્યકતા પડશે, જે પ્રચંડ ગરમીથી મનુષ્યને ઠંડો રાખી શકે. તો એવા કામ પણ બંધ કરવા પડશે જે બિલ્ડિંગની બહાર કરવાના હોય છે. તેનાથી રમતગમત અને વ્યાપાર પર વિપરીત અસર પડશે. જ્યારે ઘણા લોકો એરકન્ડીશનનો ખર્ચ ઉઠાવી શકશે નહીં. લોકોનો અને તેની સાથે સરકારનો તેના પર ખૂબ જ ખર્ચ વધી જશે.

પહેલાથી જ વાગી રહી છે ખતરાની ઘંટી

આ પ્રકારના ખતરાની આશંકા વ્યક્ત કરવા વાળી ફક્ત એક જ શોધ નથી. દુનિયામાં ઘણી શોધ આ પ્રકારની આશંકા હકીકત થવા તરફ ઇશારો કરી રહી છે. વિશ્વભરમાં આ આંકડાઓ સ્પષ્ટ બતાવે છે કે ઘણા દેશોમાં સરેરાશ વાર્ષિક તાપમાન વધી રહ્યું છે. તેમાં ઉનાળાના સરેરાશ તાપમાનમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. જ્યાં ઉદ્યોગિક કાંતિ પહેલા તાપમાનમાં ફક્ત ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાનું લક્ષ્ય પેરિસ કરારમાં રાખવામાં આવેલ હતું, તેમાં ૧.૨ ડિગ્રી પહેલાથી જ વધી ચૂક્યું છે.

સંશોધન માટે નિશ્ચિતતા અને ચોકસાઈ પર પ્રશ્નો ઉઠાવવા કદાચ અર્થહીન હોય કારણ કે જળવાયુ પરિવર્તનનાં પ્રભાવ આપણને દેખાવાના શરૂ થઈ ગયા છે. તેવામાં જો આપણે ઉપાય નથી કરી આપતો તે દિવસ દૂર નથી જ્યારે પૃથ્વી પર જ આપણે રહેવા લાયક જગ્યા શોધવી પડશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *