3D રંગોળી બનાવીને ફેન દ્વારા આપવામાં આવી સુશાંતને શ્રદ્ધાંજલિ, જીવંત થઈ ઉઠી એક્ટરની યાદો જુઓ વિડીયો

Posted by

સુશાંત સિંહ રાજપૂતે દુનિયા છોડી દીધાને એક સપ્તાહથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે. મહત્વપૂર્ણ છે કે તેમણે ૧૪ જૂનના રોજ પોતાના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમના જવાથી દરેક વ્યક્તિને ઊંડો આઘાત લાગ્યો છે. લોકો હજુ સુધી વિશ્વાસ નથી કરી શકતા કે સુશાંત જે વ્યક્તિ પણ આત્મહત્યા કરી શકે છે. સુશાંતનાં ગયા બાદથી જ લોકો અલગ-અલગ માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતની ફેન ફોલોઈંગ ખૂબ જ સારી છે. લોકો તેમને દિલથી પસંદ કરતા હતા. કદાચ એ જ કારણ હતું કે તેમની એક ફ્રેન્ડ દ્વારા ખૂબ જ સુંદર રીતે સુશાંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Advertisement

3D રંગોળી બનાવી સુશાંતને શ્રદ્ધાંજલિ આપી

સોશિયલ મીડિયામાં હાલના દિવસોમાં સુશાંત સાથે જોડાયેલો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સુશાંત સિંહની 3D રંગોળી નો છે. વીડિયોમાં એક યુવતી સુશાંત સિંહ ની ખૂબ જ સુંદર રંગોળી બનાવતી જોવા મળી રહી છે. આ રંગોળી થ્રીડી સ્ટાઇલની છે. જ્યારે રંગોળી બનાવનાર યુવતી રંગોળીની પાસે બેસે છે, તો જાણે એવું લાગે છે કે હકીકતમાં સુશાંત તેમની નજીક બેઠેલા હોય.

રંગોળીને સુશાંત શર્માની ફેન શિખા શર્માએ બનાવી છે. તેમણે રંગોળીનો એક વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વીડિયોને શેયર કરતા તેમણે કેપ્શન માં લખ્યું છે કે, “સુશાંત સિંહ રાજપુતને એક મોટી શ્રદ્ધાંજલિ. તમે અમારા હૃદયમાં હંમેશા જીવંત રહેશો સર.”

સુશાંત ની 3D રંગોળી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેને જોઇને તેમના હૃદયમાં સુશાંત ની ઘણી યાદો તાજી થઈ જાય છે. દરેક વ્યક્તિ સુશાંતને ખૂબ જ મિસ કરી રહ્યો છે. જણાવી દઈએ કે સુશાંતનાં નિધન બાદ થી જ સોશિયલ મીડિયા પર તેમના જૂના ફોટો અને વિડીયો ખૂબ જ જોવા મળી રહ્યા છે. તેને જોઈને દરેક વ્યક્તિના મનમાં બસ એક જ સવાલ ઉઠે છે કે આખરે સુશાંત જેવા હસમુખ અને સફળ અભિનેતાએ આત્મહત્યા જેવું પગલું શા માટે ભર્યું પડ્યું?

પોલીસ કરી રહી છે તપાસ

વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તો તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સુશાંતનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું. પરંતુ તેમના ચાહકો આ બાબતમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તેની સાથે પોલીસે બાબત પણ જાણવાની કોશિશ કરી રહી છે કે સુશાંતે કઈ મજબૂરીને કારણે આત્મહત્યા કરી. જણાવવામાં આવી રહ્યું છે કે સુશાંત પાછલા અમુક સમયથી ડિપ્રેશનમાં હતા. તેઓ ૬ મહિનાથી તેનો ઈલાજ પણ કરાવી રહ્યા હતા. પોલીસને તેમના રૂમમાંથી ડિપ્રેશનની ગોળીઓ પણ મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોથી સુશાંતે આ ગોળીઓ લેવાનું પણ બંધ કરી દીધું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *