૫૨ વર્ષની ભાગ્યશ્રી પુલમાં મસ્તી કરતી જોવા મળી, આ ઉંમરમાં પણ સારા અલી ખાન અને જ્હાન્વી કપુરની આપે છે ટક્કર

એક્ટ્રેસ ભાગ્યશ્રી બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની સાથે ફિલ્મ “મેને પ્યાર કિયા” થી રાતોરાત ચર્ચામાં આવી ગઇ હતી. ભોળો ચહેરો અને પ્રેમાળ મુસ્કાન થી તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. આજે ભલે ભાગ્યશ્રી ફિલ્મોથી દુર છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાની સુંદર તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ૫૨ વર્ષની ઉંમરમાં પણ એક્ટ્રેસ પોતાને ખુબ જ ફીટ રાખે છે.

ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય જોવા મળી આવે છે. તે અવારનવાર પોતાની કોઇ તસ્વીર અથવા વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ ભાગ્યશ્રીની અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે પુલમાં મસ્તી કરતી નજર આવી રહી છે. આ તસ્વીરોમાં ભાગ્યશ્રી કોઈ વેકેશનને એન્જોય કરતી હોય તેવું લાગી રહ્યું છે. તેણે ઘણી તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે, જેને તમે આ પોસ્ટ માં જોઈ શકો છો. જેમાં તે જાંબલી રંગની મોનોકીની સ્ટાઈલમાં નજર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીની આ તસ્વીરો જોઇને તેના ફેન્સ એવું કહી રહ્યા છે કે હજી તો તે યુવાન છે. તેના અમુક ફેન્સનું કહેવું છે કે હજુ પણ સારા અલી ખાન અને જ્હાન્વી કપુરની જેમ જ તે સુંદર દેખાય છે. લોકોનું કહેવું છે કે સુંદરતા ની બાબતમાં કોઈપણ એક્ટ્રેસ થી બિલકુલ ઓછી નથી. મહત્વપુર્ણ છે કે એક્ટ્રેસ પોતાની ફિટનેસને ખુબ જ ખ્યાલ રાખે છે. એજ કારણ છે કે આજે પણ તે આટલી ઉંમરમાં સુંદર અને ફિટ નજર આવી રહી છે. તમે તેની સુંદરતા તેના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભાગ્યશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો, જેમાં તે કાશ્મીરમાં પોતાના પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી આવી હતી. અમુક લોકોએ આ વિડીયો નિંદા કરી હતી તો મોટાભાગનાં લોકોએ આ વિડિયોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ પણ એક રીત છે પોતાના અંદાજમાં જીવવાની.

નિર્દેશક અમોલ પાલેકરનાં કહેવા પર ટીવી ધારાવાહિક “કચ્ચી ધુપ” માં ભુમિકાથી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. મેને પ્યાર કિયા તેની પહેલી ફિલ્મ હતી. બોલીવુડ ફિલ્મ મેને પ્યાર કિયા ૧૯૮૯માં આવી હતી, જેમાં તેણે સુમન ની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મની અપાર સફળતા બાદ તેણે ફિલ્મ લાઈનમાં કારકિર્દી બનાવવાને બદલે પોતાની ગૃહસ્થીમાં જીવન પસાર કરવાનો નિર્ણય કર્યો હતો.

જો તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો જ્યારે તે ફક્ત ૧૯ વર્ષની હતી, ત્યારે તેણે એક મશહુર બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે તેના માતા-પિતા આ લગ્નમાં સામેલ થયા ન હતા, કારણ કે તેઓ આ લગ્નની વિરુદ્ધ હતા. પરંતુ તેમને ત્યાં દીકરાનો જન્મ બાદ તેમના માતા-પિતાએ તેમની સાથે મુલાકાત કરવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ ૨૦૦૯માં તેમણે એક ડાંસ પ્રતિયોગીતા “ઝલક દિખલા જા સિઝન-૩” માં પોતાના પતિ સાથે ભાગ લીધો હતો.

તે પોતાના પતિ સાથે એક મીડિયા કંપની “શ્રીનિર્દેશ એન્ટરટેઇન્ટમેન્ટ” નું કામ સંભાળે છે. માર્ચ ૨૦૧૫માં તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “ભાગ્યશ્રી યોજના” ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સરકાર ૨૧,૨૦૦ રૂપિયાની રકમ બાળકોનાં ખાતામાં જમા કરે છે અને તેના બદલામાં ૧ રૂપિયો જમા કરાવે છે. આ રકમ ૧૮ વર્ષ પુરા થયા બાદ ૧૦ લાખ રૂપિયાનાં રોકડ લાભમાં બદલી જાય છે.