આ ૨ નામવાળી મહિલાઓ આખી જિંદગી પોતાના પતિથી રહે છે દુ:ખી, ક્યાંક તમારું નામ તો એમા નથી ને

લગ્નનું બંધન આ દુનિયામાં ખુબ જ ખાસ હોય છે. કારણ કે એક અજાણ્યો યુવક અને અજાણી યુવતી લગ્ન બંધનમાં બંધાઈ ગયા બાદ સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન આપે છે. એક પતિ-પત્ની વચ્ચે સૌથી મહત્વનો તાંતણો હોય છે પ્રેમ અને વિશ્વાસનો, જેના લીધે સંબંધ લાંબો સમય સુધી ચાલે છે અને જળવાઈ રહે છે. એક યુવતી જે પોતાના પરિવારને છોડીને પોતાના પતિ સાથે લગ્ન કર્યા બાદ તેની સાથે રહેવા લાગે છે, તો યુવતીની પણ ઘણી બધી અપેક્ષાઓ પતિ સાથે જોડાયેલી હોય છે.

પતિ તરફથી મળતો પ્રેમ સન્માન અને સાથ, જીવનભર તેની ભાવનાઓની કદર, ઇચ્છાઓની કદર વગેરે જેવુ ઘણું હોય છે જે યુવતી પોતાના પતિ સાથે જોડી લેતી હોય છે અને જીવનભર પોતાના પતિનો સાથ નિભાવે છે તથા તેનો દરેક સ્થિતિમાં તેનો સાથ નિભાવે છે. સમયની સાથે સાથે પતિ પત્નીનો સંબંધ પણ ઊંડો થતો જાય છે અને તેમાં પ્રેમ, સન્માન અને ભાવના વધતી જાય છે.

પરંતુ અમુક પતિ-પત્નીનાં જીવનમાં કલેશ જળવાઈ રહે છે. કારણ કે તેમના પતિ પોતાની પત્નીનો સાથ આપતા નથી અને તેમનું કહેવાનું માનતા નથી તથા તેમની ઈચ્છાઓન અને ભાવનાઓની કદર કરતા નથી. તો આજે અમે તમને બે નામ વાળા જાતકો વિશે જણાવીશું જે પોતાની પત્નીનો સાથ જીવનભર યોગ્ય રીતે નિભાવી શકતા નથી. જ્યાં તેઓ જીવનભર સાથ અને ખુશીની કલ્પના કરે છે તો વળી તે પત્નીને જીવનભર તેમના પતિ પાસેથી ફક્ત દુ:ખ મળે છે. તો ચાલો તમને જણાવીએ કે તે કયા બે નામવાળી પત્નીઓ છે, જેમને પોતાના પતિનો પ્રેમ અને દાંપત્યજીવનનું સુખ મળી શકતું નથી.

K નામ વાળી મહિલાઓ

આ નામ વાળી મહિલાઓ પોતાના પતિ માટે સંપૂર્ણ રીતે પ્રેમભાવ રાખે છે અને તેમનો ખુબ જ સારી રીતે ખ્યાલ રાખે છે તથા તેમના પ્રત્યે સજાગ રહે છે. આ નામ વાળી મહિલાઓ પોતાના પતિ માટે ખુબ જ સંવેદનશીલ હોય છે અને તેમના પ્રત્યે પ્રેમભાવના રાખે છે. તેમને ભરપુર પ્રેમ આપીને પોતાના બનાવવાની પુરી કોશિશ કરે છે. આ મહિલાઓ ઇચ્છે છે કે તેમનું જીવન સુખી રહે અને સુખમય રીતે પ્રેમપૂર્વક પસાર થાય.

તે હંમેશા એવું ઇચ્છતી હોય છે કે તેમના પતિ પણ એવી જ રીતે તેમને ભરપૂર પ્રેમ કરે, પરંતુ આવી મહિલાઓની એક ખરાબ આદતને લીધે તેમના સંબંધોમાં તિરાડ પેદા થઈ જતી હોય છે. તેઓ હંમેશા ઈચ્છે છે કે તેમના પતિ તેમને દરેક સમયની ખબર આપતા રહે કે તેઓ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે વગેરે જેવી દરેક વાત જણાવે અને તેને પૂછ્યા વગર કંઈ કરે નહીં.

વળી કોઈ વ્યક્તિ કોઈનાં ભરોસે એટલો તો ન રહી શકે એ તે દરેક ચીજ પોતાની પત્નીને જણાવીને કરે. આ કારણથી આ નામ વાળી મહિલાઓ જીવનમાં હંમેશાં દુઃખી રહેતી હોય છે. કારણ કે જ્યારે પણ તેમના પતિ તેમને જણાવ્યા વગર કોઈ કાર્ય કરે છે તો તેમને ખુબ જ ગુસ્સો આવે છે અને તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. પોતાના આ સ્વભાવને કારણે તે હંમેશા પોતાના પતિથી દુઃખી અને પરેશાન રહે છે.

P નામ વાળી મહિલાઓ

P નામ વાળી મહિલાઓ પણ પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે છે અને તેને ખુશ રાખવાની ભરપૂર કોશિશ કરે છે. તે હંમેશા પોતાના પતિ માટે સજાગ અને સંવેદનશીલ રહીને પુરી સેવા કરતી હોય છે. તે પોતાના પતિને એટલો પ્રેમ કરે છે કે તે ઈચ્છતી હોય છે કે તેમના પતિ તેને છોડીને કોઈપણ જગ્યાએ જાય નહીં, પરંતુ ૨૪ કલાક બધું કામ છોડીને તેને પ્રેમ કરતા રહે.

હવે જીવન પસાર કરવા માટે કામ કરવું તો એટલું જરૂરી છે જેટલું શ્વાસ લેવું અને પ્રેમ કરવું. પરંતુ આ વાત આ મહિલાઓ સમજી શકતી નથી અને ઘરમાં નારાજ થઈને બેસી રહ્યા છે. જેના કારણે તેમના ઘરમાં ગૃહક્લેશ જળવાઈ રહે છે અને તેમના આ સ્વભાવને કારણે વાત-વાતમાં પતિ સાથે ઝઘડો થતો રહે છે.

નોંધ : ઉપર દર્શાવવામાં આવેલી વાતો આ ૨ રાશિનાં ૪૦% લોકો ઉપર જ લાગુ પડતી હોય છે. બાકીની ૬૦% વાળી આ ૨ રાશિની યુવતીઓ પોતાના પતિથી હંમેશા ખુશ રહેતી હોય છે.