આ ૪ રાશિવાળા ની જોડીએ પરસ્પર ક્યારેય લગ્ન કરવા નહીં, અલગ થવાના ચાંસ વધી જાય છે

હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ યુવક અને યુવતીના લગ્ન થાય છે તો સૌથી પહેલા કુંડળી મિલાવવામાં આવે છે. વર અને કન્યાની કુંડળી પરસ્પર મળવી ખુબ જ જરૂરી હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળી મેચ નથી થતી તો લગ્ન કરવા ટાળી દેવા જોઈએ, નહીંતર વૈવાહિક જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. લગ્ન બે મિત્ર રાશિના લોકોની વચ્ચે થાય તો તેમનું વૈવાહિક જીવન ખુશહાલ રહે છે. વળી બે એવી રાશિઓની વચ્ચે લગ્ન કરાવવામાં આવે જેમનો તાલમેળ પરસ્પર બેસતો નથી, તો તેમણે લગ્ન જીવનમાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજે અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પરસ્પર લગ્ન કરવાથી દરેક પરિસ્થિતિમાં બચવું જોઈએ.

કર્ક અને સિંહ

આ બંને રાશિઓનું પરસ્પર ક્યારેય બનતું નથી. આ બંને રાશિવાળા લગ્ન કરે છે તો તેમના વૈવાહિક જીવનમાં અડચણ ઊભી થાય છે. તેનું કારણ છે કે કર્ક રાશિવાળા લોકો પોતાના જીવનસાથીની નજીક રહેવાનું પસંદ કરે છે. તેમને પોતાના જીવનસાથી સાથે ખુબ જ લાગણી હોય છે. પરંતુ તેનાથી વિપરીત સિંહ રાશિના જાતકો સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તે પોતાનું જીવન પોતાની મરજી અનુસાર પસાર કરે છે. તેમની અંદર અસુરક્ષાની ભાવના ખુબ જ વધારે હોય છે. એક રીતે જોવામાં આવે તો આ બંને રાશિઓનો સ્વભાવ એકબીજાથી બિલકુલ વિરુદ્ધ હોય છે. તેવામાં હંમેશા તેમની વચ્ચે તકરાર ની સ્થિતિ જળવાઈ રહે છે.

કુંભ અને મકર

આ બંને રાશિઓના જાતકો વિપરીત ગુણવાળા હોય છે. જેમ કે મકર રાશિવાળા લોકો ખુબ જ ઈમોશનલ વ્યક્તિ હોય છે, જ્યારે કુંભ રાશિના જાતકો નિર્ણય લેવાની બાબતમાં વ્યવહારિક હોય છે. આ બંને જો પરસ્પર લગ્ન કરે છે તો લાંબો સમય સુધી સુખી રહી શકતા નથી. સમયની સાથે તેમની અંદર સુરક્ષા અને નફરતની ભાવના ઉત્પન્ન થવા લાગે છે. આ બન્ને રાશિઓનો સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી, એટલા માટે તેમણે પરસ્પર લગ્ન કરતા પહેલા દસ વખત વિચારવું જોઈએ.

મિથુન અને કન્યા

આ બે રાશિઓનું પરસ્પર ક્યારેય બનતું નથી. તેનું કારણ બંનેનો વિપરીત સ્વભાવ હોય છે. જેમકે મિથુન રાશિના લોકો ખુબ જ ભાવુક હોય છે. જ્યારે કન્યા રાશિના લોકો એટલા ઈમોશનલ હોતા નથી, પરંતુ તે વ્યવહારિક હોય છે. મિથુન અને કન્યા રાશિના જાતકો પરસ્પર લાંબો સમય સુધી એકબીજા સાથે રહી શકતા નથી. આ બંનેનો સંબંધ લાંબો સમય સુધી જળવાઈ રહે તો નથી, એટલા માટે તેમણે પરસ્પર લગ્ન કરવા જોઈએ નહીં.

વૃષભ અને તુલા

આ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે. તેમનું દિલ ચોખ્ખું હોય છે અને તેઓ ખુબ જ સમજદાર પણ હોય છે. તેમાં શરૂઆતમાં તેમનો સંબંધ ખુબ જ સારો ચાલે છે. પરંતુ બાદમાં પરેશાની ઉત્પન્ન થવા લાગે છે. હકીકતમાં બંન્ને રાશિના લોકો જિદ્દી સ્વભાવના હોય છે. તેઓ એકબીજાની વાત મનાવવાની જીદ પર અડગ રહે છે. તેમની અંદર ની સમસ્યા હોય છે. આ ચીજો લાંબા સમયે તેમનો સંબંધ તોડી નાખે છે.