આ અભિનેત્રીઓએ કર્યો હતો સુશાંત સિંહ સાથે કામ કરવાનો ઇનકાર, લિસ્ટમાં કંગના રનૌત પણ સામેલ

Posted by

સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ મુંબઈના બાંદ્રા સિદ્ધ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થી તેની સાથે જોડાયેલી નાની-મોટી ચીજો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એટલું જ નહીં તેમના મૃત્યુએ બોલિવૂડનો ભયાનક ચહેરો પણ સમગ્ર દુનિયાની સામે લાવી દીધો છે, જેની શરૂઆત એક્ટ્રેસ કંગના રનૌતે કરી હતી. આ કડીમાં આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે સુશાંત સિંહ રાજપુતની સાથે કામ કરવાથી ઇનકાર કર્યો હતો. આ લિસ્ટમાં ઘણી અભિનેત્રીઓ છે જેમણે સુશાંત સિંહ રાજપૂત ની સાથે કામ કરવાની ઓફર મળી, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો. તો ચાલો જોઈએ કે આ લિસ્ટ માં કઈ કઈ એક્ટ્રેસ નામ સામેલ છે.

ફાતિમા સના શેખ

મળતી જાણકારી અનુસાર બોલિવૂડની દબંગ ગર્લ સુશાંત સિંહની ઓપોજિટ કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેમણે મનાઈ કરી દીધી હતી. હકીકતમાં સુશાંતને લઈને ફિલ્મ મેકર “ચંદા મામા દુર કે” બનાવવા માંગતા હતા. જેના માટે તેમણે ફાતિમા સના શેખ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે મનાઈ ફરમાવી દીધી હતી. જોકે બાદમાં ફાતિમા સના શેખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે સમયે મારી પાસે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” હતી જેના કારણે મનાઈ કરી હતી.

નિધિ અગ્રવાલ

ફાતિમા સના શેખ થી જ્યારે “ચંદા મામા દુર કે” ની વાત બની શકી નહીં તો ફિલ્મ મેકર એક્ટ્રેસ નિધિ અગ્રવાલની પાસે પહોંચી ગયા. જણાવવામાં આવે છે કે એક્ટ્રેસ નિધિ અગ્રવાલે પણ સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કરવાથી મનાઈ કરી દીધી હતી. જોકે તેની પાછળ તેમણે કહ્યું હતું કે આ ફિલ્મના પાત્ર માટે તેમણે પોતાના વાળ નાના કરવાના હતા, પરંતુ તેઓ આવું કરવા ઇચ્છતી ન હતી. જેના કારણે તેમણે આ ફિલ્મમાં કામ કરવાથી મનાઈ ફરમાવી દીધી હતી.

આલિયા ભટ્ટ

ખબરોનું માનવામાં આવે તો સુશાંત સિંહ રાજપુતને ફિલ્મ “રાબતા” માં મેકર્સની પહેલી પસંદગી આલિયા ભટ્ટ હતી, જેના માટે તેમનો સંપર્ક પણ કરવામાં આવેલ હતો. પરંતુ તેમણે મનાઈ કરી દીધી હતી. મળતી જાણકારી અનુસાર આલિયા ભટ્ટે ફિલ્મ “રાબતા” ને અધવચ્ચે છોડી દીધી હતી. કારણ કે તેને કરણ જોહરની ફિલ્મ “શુદ્ધિ” ની ઓફર મળી હતી. તે દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે ટ્વિટર પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે કેટલી અજીબ વાત છે કે કોઈ પોતાના ફાયદા માટે બીજા પ્રોજેક્ટને વચ્ચે છોડી દે છે. મતલબ સ્પષ્ટ છે કે સુશાંત સિંહ રાજપૂત ની સાથે કરવા માટે આલિયા ભટ્ટ મનાઈ ફરમાવી દીધી હતી, કારણ કે તેને કરણ જોહરની ફિલ્મમાં ફાયદો દેખાઈ રહ્યો હતો.

કંગના રનૌત

હાલમાં જ કંગના રનૌતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ઋત્વિક રોશનને કારણે સુશાંતની સાથે ફિલ્મ કરી શકી નહીં. હકીકતમાં કંગના રનૌતે જણાવ્યું હતું કે હોમી અડજાનીયાએ તેમને સુશાંત સિંહ રાજપૂત ની સાથે એક ફિલ્મ ઓફર કરી હતી. જેના માટે તેમણે તેને કોલ કર્યો હતો. પરંતુ તે પહેલાં તેઓ તેમને મળી શકે કંગનાને ઋત્વિક રોશન તરફથી લીગલ નોટિસ મળી. જેના કારણે તે કહાની પર ફોકસ કરી શકી નહીં અને પછી તેમણે ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી. તમને જણાવ્યું હતું કે તે સમયે હું ખૂબ જ પરેશાન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *