ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની જોડી બોલિવુડમાં ખુબ જ ફેમસ છે. કપલનાં પ્રેમની શરૂઆત ફિલ્મ “ગુરુ” નાં શુટિંગ દરમિયાન થઇ હતી. તે અભિષેક હતા, જેમણે મને પ્રપોઝ કર્યું હતું. એશ્વર્યા પણ અભિષેકના પ્રપોઝલને ઠુકરાવી શકી નહીં. ત્યાર બાદ બંનેએ ૨૦ એપ્રિલ, ૨૦૦૭માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન અમિતાભ બચ્ચનનાં બંગલા પ્રતીક્ષામાં થયા હતા. વળી લગ્નનું રિસેપ્શન તાજ હોટલમાં રાખવામાં આવ્યું હતું.
ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નને ૧૪ વર્ષ કરતાં વધારેનો સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં પણ બંનેની વચ્ચે પ્રેમમાં કોઈ કમી આવી નથી. કપલ ની વચ્ચે આજ સુધી કોઈ ગંભીર લડાઈ-ઝઘડા થયા નથી. જો કે આ કપલમાં દરેક પતિ-પત્નીની વચ્ચે થતી નાની-મોટી તકરાર ચાલતી રહે છે. તેવામાં આજે અમે તમને અભિષેક અને એશ્વર્યા સાથે જોડાયેલ એક દિલચસ્પ કિસ્સો સંભાળવા જઇ રહ્યા છીએ. થોડા વર્ષ પહેલા અભિષેકની એક ભુલને લીધે તેણે એશ્વર્યાનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એવી હતી કે તેણે ૨ રાત સુધી પોતાના બેડરૂમને બદલે બહાર રાત પસાર કરવી પડી હતી.
મહત્વપુર્ણ છે કે અભિષેક “જયપુર પિંક પેન્થર્સ” નામની કબડ્ડી ટીમના માલિક છે. આ ટીમ ૨૦૧૪માં પ્રો કબડ્ડી લીગની વિજેતા પણ બની ચુકી છે. એકવાર અભિષેક પોતાની ટીમ ને ટ્રેનિંગ આપવા માટે ચેન્નઈની સત્યભામા યુનિવર્સિટીમાં ગયા હતા. અહીં તેમની મુલાકાત યુનિવર્સિટીના ફાઉન્ડર કર્નલ જેપીઆર સાથે થઈ. અભિષેક જેવા કર્નલ જેપીઆર ની ઓફિસમાં એન્ટર થયા તો તેમણે જોયું કે ઓફિસ ખુબ જ નાની છે. અહીંયા બે-ચાર ખુરશી લગાવવામાં આવેલી છે અને રૂમમાં ફક્ત એક ડેસ્ક સિવાય કંઈ નથી.
કર્નલ જેપીઆર નાં ઓફિસની સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે અહીં જમીન ઉપર બધી ટ્રોફી રાખવામાં આવી હતી. આ જોઈને અભિષેક બચ્ચન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કર્નલને પુછ્યું કે તમે આ ટ્રોફીઓ જમીન પર શા માટે રાખી છે? તેના પર કર્નલે જવાબ આપ્યો કે હું નથી ઈચ્છતો કે આ એવોર્ડ મારા ઉપર હાવી થઈ જાય, એટલા માટે આવું કરેલું છે.
કર્નલનાં આ જવાબથી અભિષેક ઈમ્પ્રેસ થઈ ગયા. ત્યારબાદ તેમણે ઘરે જઈને પોતાને ત્યાં ઓફિસની બધી ટ્રોફી જમીન ઉપર રાખી દીધી. તેમને એવું લાગ્યું કે લોકો તેમની પ્રશંસા કરશે, પરંતુ તેનાથી બિલકુલ વિપરીત થયું. પત્ની એશ્વર્યા આ બધું જોઈને નારાજ થઈ ગઈ. તેણે ગુસ્સામાં અભિષેકને બેડરૂમમાંથી બહાર કાઢી મુક્યા. તેવામાં અભિષેક બચ્ચને બે રાત પોતાના ઘરના હોલમાં સુઈને પસાર કરવી પડી. અભિષેકે આ વાતનો ઉલ્લેખ એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો.
કામની વાત કરવામાં આવે તો એશ્વર્યા રાયને છેલ્લી વખત ૨૦૧૮માં આવેલી ફિલ્મ “ફન્ને ખાં” માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં કોઈ ખાસ કમાલ બતાવી શકેલ નહીં. દીકરીના જન્મ બાદ ઐશ્વર્યા ખુબ જ ઓછી ફિલ્મોમાં નજર આવી રહેલ છે. તે પોતાનું કમબેક કરવાની પુરી કોશિશ કરી રહી છે, પરંતુ સફળ મળી શકી નથી. હાલમાં એશ્વર્યા ની પાસે કોઈ પણ મોટો બોલીવુડ પ્રોજેક્ટ નથી. જોકે સાઉથની એક બિગ બજેટ ફિલ્મ “પોન્નીઇન સેલવન” માં જરૂર કામ કરી રહી છે.