આ બોલીવુડ એક્ટરને પ્રેમ કરતી હતી શિલ્પા શેટ્ટી, ૨૨ વર્ષની ઉંમરમાં ખોઈ દીધી હતી વર્જિનિટી

શિલ્પા શેટ્ટી બોલિવૂડની એક મશહૂર અભિનેત્રી છે. ૯૦ના દશકમાં શિલ્પા શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ મશહૂર બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પા રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. શિલ્પા અને રાજનો એક દીકરો પણ છે, જેનું નામ વિયાન કુન્દ્રા છે. હાલમાં જ શિલ્પાએ પોતાનો ૪૫ મો બર્થ ડે મનાવ્યો હતો. આજકાલ શિલ્પા ફિલ્મોથી વધારે પોતાની ફિટનેશને લઈને ચર્ચામાં રહે છે. ૪૫ વર્ષની હોવા છતાં પણ તે આજે ૩૦ વર્ષની હોય તેવું લાગે છે. શિલ્પા શેટ્ટીના અફેર બોલીવુડમાં ઘણા લોકો સાથે રહ્યા, પરંતુ સૌથી વધારે ચર્ચામાં તેઓ અક્ષય કુમારની સાથે રહ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પોતાની વર્જિનીટી કોઈ દીધી હતી.

બીગ બ્રધર્સ માં કર્યો ખુલાસો

એક સમયમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીના પ્રેમની ચર્ચાઓ ખૂબ જ ચાલટી હતી. શિલ્પા શેટ્ટી અક્ષયકુમાર ના પ્રેમમાં એવી રીતે પાગલ બની હતી કે તે અક્ષયથી એક પળ પણ દૂર રહી શકતી ન હતી. શિલ્પા શેટ્ટીએ પહેલી વખત લંડન ટીવી શો “બિગ બ્રધર્સ” માં અક્ષયને લઇને મોટો ખુલાસો કર્યો હતો. શોમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પોતાની વર્જિનીટી ગુમાવી દીધી હતી. જેની પાછળ જવાબદાર અક્ષય કુમાર હતા. ફિલ્મ મેં ખિલાડી તુ અનાડી ના શૂટિંગ દરમિયાન અક્ષય અને શિલ્પા નજીક આવ્યા હતા. આ ફિલ્મથી બંને વચ્ચેનો અફેયર શરૂ થયું હતું અને લાંબો સમય સુધી ચાલ્યું હતું.

લગ્નને લઈને ઉડી હતી અફવા

શિલ્પાએ એક કન્ટેસ્ટન્ટ ને જણાવ્યું હતું કે અક્ષય કુમાર પહેલા તેને કોઈપણ વ્યક્તિએ કિસ કરી ન હતી. તેમની જિંદગીમાં આવનાર સૌથી પહેલા વ્યક્તિ અક્ષય કુમાર હતા. તે સમયમાં શિલ્પા અને અક્ષયના લગ્નની અફવાઓએ પણ ખૂબ જ ઊડી હતી. એવું કહેવામાં આવતું હતું કે શિલ્પા અક્ષય સાથે લગ્ન કરવા માટે બેતાબ છે અને તેને લઈને તે સિક્યોર પણ થવા માંગે છે. તેવામાં ફિલ્મનાં શૂટિંગ દરમિયાન તેમણે પોતાની વર્જિનીટી ગુમાવી દીધી હતી. અક્ષયે પોતાની અને શિલ્પાની વિશે પોતાના એક મિત્રને જણાવ્યું હતું અને ત્યારથી જ આ બધી વાત લીક થઈ હતી. અક્ષય પોતાના મિત્રને કહ્યું હતું કે શિલ્પા પડદા પર જેટલી સીધી-સાદી અને માસુમ દેખાય છે, બેડ પર તેટલી જ એક્ટિવ થઈ જાય છે.

ટ્વિંકલને કારણે થયું બ્રેકઅપ

પરંતુ થોડા સમય બાદ અક્ષય અને શિલ્પાનાં બ્રેકઅપ ના સમાચાર આવવા લાગ્યા. કહેવામાં આવે છે કે અક્ષયની લાઇફમાં ટ્વિંકલ ખન્ના આવવાથી બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ શિલ્પાએ કહ્યું હતું કે, “જ્યારે બીજી મળી ગઈ તો મને ખૂબ જ સરળતાથી છોડી દીધી. તે એકમાત્ર વ્યક્તિ છે, જેનાથી હું નારાજ છું. પોતાનો ભૂતકાળ આટલી જલદી ભૂલી જવું એટલું સરળ હોતું નથી. પરંતુ હું નસીબદાર છું કે મારામાં આગળ વધવાની હિંમત છે. હું ક્યારેય તેની સાથે કામ કરીશ નહીં.”