આ શહેરમાં ૧ લિટર પેટ્રોલ કરતાં પણ સસ્તા ભાવમાં વેંચાઈ રહેલ છે ઘર, જાણો તેનું કારણ

Posted by

તમારી પાસે ફક્ત ૮૭ રૂપિયા હોય તો વિચારો કે તમે શું કરી શકો છો. પહેલી વખત તો તમારા દિમાગમાં આવશે કે ૮૭ રૂપિયામાં ખરીદવાનો શું વિચારવાનું હોય? ખાવા-પીવાની કોઈ નાની મોટી ચીજ ખરીદી શકો છો અથવા વધુમાં વધુ કોઈ ટેસ્ટી ભોજન કરવાનું મન થાય તો બર્ગર ખરીદી શકો છો. પરંતુ અમે કહીએ છીએ કે તમે ૮૭ રૂપિયામાં ઘર ખરીદી શકો છો. આ સાંભળીને તમે જરૂરથી આશ્ચર્યચકિત થઈ ગયા હશો, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે જે વાંચી રહ્યા છો તે બિલકુલ સાચું છે અને વિશ્વાસ ન હોય તો પોતાને ચિંટીઓ ભરીને જોઈ લો. પરંતુ આ વાત હકીકતમાં બિલકુલ સાચી છે કે તમે ૮૭ રૂપિયામાં ખરીદી શકો છો. પરંતુ તેના માટે તમારે ફક્ત એક શરત પુરી કરવાની રહેશે. તો ચાલો તેના વિષે વિગતવાર જાણીએ.

જણાવી દઈએ કે વાંચવામાં અને સાંભળવામાં ભલે તે અજીબ લાગી રહ્યું હોય પરંતુ ઇટાલીમાં ફક્ત ૮૭ રૂપિયામાં ઘરનું વેચાણ થઈ રહ્યું છે અને દિલચશ્પ વાત એ છે કે આ ઘરનું વેચાણ ઇટાલીની રાજધાની રોમ ની પાસે થઈ રહ્યું છે. તેમાં નવી જગ્યા પર જઈને નવેસરથી જીવનની શરૂઆત કરવાવાળા લોકો માટે આ શાનદાર આ અવસર છે.

જી હાં, એક રિપોર્ટ અનુસાર મેંજા શહેરમાં હવે એક યુરો (અંદાજે ૮૭ રૂપિયા) માં ઘરનું વેચાણ શરૂ કરનાર પહેલું શહેર બની ગયું છે. એટલું જ નહીં પાછલા વર્ષોથી સતત બર્ગર થી પણ ઓછા ભાવમાં બનાવેલા ઘર વેચવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ૨૮ ઓગસ્ટ સુધી પહેલાથી લિસ્ટેડ નું વેચાણ બાદ નવા ઘરો ની ઓફર આપવાનો પણ ભરોસો આપવામાં આવી રહ્યો છે. વળી સૌથી મોટી વાત એ છે કે ઇટાલીના જે વિસ્તારમાં પાણીના ભાવમાં ઘર વેચાઇ રહ્યા છે, તે રોમ થી બિલકુલ નજીકનો વિસ્તાર છે.

રોમ ની પાસે વેચાયેલ છે બર્ગર ની કિંમતમાં ઘર

મહત્વપુર્ણ છે કે ઇટાલીની રાજધાની રોમ થી ફક્ત ૧૭ કિલોમીટરના અંતર પર મેંજા શહેર છે. યુરોપમાં હાલના દિવસોમાં આ વિસ્તાર એટલા માટે ચર્ચામાં છે. કારણ કે અહીં એક મશહુર ચિકન બર્ગર થી પણ સસ્તામાં ઘર વેચાઇ રહ્યા છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ હકીકત એ છે કે અહીંયા ફક્ત ૮૭ રૂપિયામાં ઘરે વેંચવામાં રહેલ છે. મતલબ કે તમે હવે ખુબ જ નાની રકમ માં પોતાના ઘરનું સપનું પુરું કરી શકો છો.

સુંદર દ્રશ્યો થી પરિપુર્ણ છે મેંજા શહેર

જણાવી દઈએ કે મેંજા ઇટાલીનાં લેટિયમ વિસ્તારનું પહેલું શહેર છે જ્યાં આટલી ઓછી કિંમત પર ઘર ઉપલબ્ધ છે. તેમ છતાં પણ ખરીદી કરનાર લોકોની ભીડ અહીં રહેતી નથી. આ શહેર એતિહાસિક રૂપથી જોશીલા આદિવાસીઓનું ઘર છે અને સુંદર દ્રશ્યો માટે જાણીતું છે.

ખાલી પડેલા ઘરની દેખભાળ થઈ મુશ્કેલ

હકીકતમાં મેંજા માં ઓછામાં ઓછા ૧૦૦ ઘર એવા છે, જેની દેખભાળ થઇ રહી નથી અને તેને ફરીથી બનાવવાની આવશ્યકતા છે. કારણ કે આ ઘરના અસલી માલિક તેને છોડીને અન્ય કોઇ જગ્યાએ શિફ્ટ થઈ ચુક્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં ૨૮ ઓગસ્ટ સુધી અમુક ઘર ખરીદવા માટે ઉપલબ્ધ છે, પરંતુ સ્થાનીય મેયર દ્વારા ભરોસો આપવામાં આવ્યો છે કે આવી અમુક વધુ પ્રોપર્ટી ખુબ જ જલ્દી વેચાણ માટે ઉપલબ્ધ થશે.

આ કારણથી પાણીના ભાવે વેચાઇ રહ્યા છે ઘર

ઈટાલીમાં ૮૭ રૂપિયામાં ઘર વેચવા વાળી આ સ્કીમ પાછલા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી, જેથી આસપાસના ગામમાં ઓછી થઈ રહેલી વસ્તીને સ્થિર કરવામાં મદદ થઈ શકે. આ ઘર ખરીદનાર લોકોએ એક જ શરતનું પાલન કરવાનું હતું કે તેમણે વર્ષોથી ખાલી પડેલા ઘરને ફરીથી પહેલા જેવા બનાવવાના હતા. શહેરને ફરીથી વસાવવાની યોજના વિશે મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે એક સમયે એક જ પગલું ઉઠાવીએ છીએ, જેવો મુળ પરિવારનો સંપર્ક થાય છે તો અમે તેને જુનું ઘર સોંપી દઈએ છીએ. અમે તેમાં પારદર્શિતા રાખવા માટે તેને તુરંત પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરીએ છીએ.

ઘરમાં રહેવું જરૂરી નથી

વળી જણાવી દઈએ કે ખરીદી કરનાર માટે તે જરૂરી નથી કે તેમણે આ ઘરમાં રહેવું પડે. પરંતુ તેમણે અધિકારીઓને જણાવવાનું રહેશે કે તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરશે. એટલે કે ઘરનાં રૂપમાં, રેસ્ટોરન્ટ ના રૂપમાં કે દુકાનના રૂપમાં. પરંતુ શરૂઆતમાં તેમણે ૫,૦૦૦ યુરો અથવા અંદાજે ૫,૮૪૦ ડોલર જમા કરાવવાના રહેશે, જેને પુનઃનિર્માણનું કામ પુર્ણ થયા બાદ પરત આપી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *