આજે થવાનું છે ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર તેનો શું પ્રભાવ પડશે

૫ જુન, ૨૦૨૦ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ થશે. ખગોળવિદ્યા અનુસાર તે વિશ્વના અનેક દેશોની સાથે સાથે ભારતમાં પણ જોવા મળશે. જાણકારી માટે જણાવી દઈએ તો ગ્રહણની શરૂઆત ૫ જૂન ૧૧:૧૫ થી આરંભ થશે અને ૨:૩૪ પર સમાપ્ત થશે. જ્યોતિષીય ગણના અનુસાર આ ગ્રહણનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. તો આજે જણાવીશું કે આ ચંદ્રગ્રહણ થી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે.

  • મેષ : કોઈ પારિવારિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માનસિક તણાવ પણ ઉત્પન્ન થઇ શકે છે.
  • વૃષભ : વ્યાપાર અને દાંપત્યજીવનમાં સમસ્યા આવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની પણ જરૂર છે.
  • મિથુન : તમે આર્થિક સમસ્યામાં પડી શકો છો અને વાદ-વિવાદથી દૂર રહેવું.
  • કર્ક : તમને સંતાન પક્ષથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા લોકો સાવધાન રહે.
  • સિંહ : ઘરમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. તમારે ધ્યાન આપવાની જરૂરત છે.
  • કન્યા : વ્યાપારમાં સમજી વિચારીને કોઈપણ નિર્ણય લેવો. પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

  • તુલા : તમારી કાર્યક્ષેત્રમાં સમસ્યા આવી શકે તેમ છે. સ્વાસ્થ્ય પણ નબળું થઈ શકે તેમ છે.
  • વૃશ્ચિક : તમને માનસિક તણાવ આવી શકે તેમ છે અને અધ્યાત્મ રીતે આકર્ષિત થશો.
  • ધન : તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે તેવું પણ બને.
  • મકર : તમને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. સાથે જ જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે.
  • કુંભ : પરિવારમાં કોઈની તબિયત બગડી શકે તેમ છે. શત્રુઓથી દૂર રહેવું.
  • મીન : આ સમય દરમિયાન તમારે વાહન સાવધાનીથી ચલાવવું જોઇએ. તમે બાળકોની જીદ પૂરી કરવાના છો.