આખરે શા માટે ઘડિયાળનાં પોસ્ટરમાં સમય ૧૦ વાગ્યાને ૧૦ મિનિટનો સેટ કરવામાં આવે છે, કારણ જાણીને હેરાન થઈ જશો

તમે ઘણી વખત જોયું હશે કે ઘડિયાળની જાહેરાતમાં ૧૦ વાગ્યાને ૧૦ મિનિટનો ટાઈમ સેટ કરવામાં આવે છે. તમે કોઈપણ દીવાલ પર લગાવવામાં આવેલ પોસ્ટર અથવા હાથમાં લગાવવામાં આવેલી ઘડિયાળ પર જોઈ લેશો, તો તેના પર આ ટાઇમ સેટ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવા પાછળનું કારણ શું છે? હકીકતમાં આવું કરવા પાછળ એક નહીં પરંતુ અનેક કહાનીઓ પ્રચલિત છે. આજની પોસ્ટમાં અમે તમને જણાવીશું કે આખરે શા માટે ઘડિયાળની જાહેરાત વાળા પોસ્ટરમાં દરેક ઘડિયાળ પર આ ટાઇમ સેટ કરવામાં આવે છે.

બાળકો પણ ઘણી વખત સવાલ કરતા હોય છે કે આખરે આવું શા માટે કરવામાં આવે છે. શા માટે શોરૂમમાં લગાવવામાં આવેલ પોસ્ટરમાં ઘડિયાળમાં ટાઈમ ૧૦ વાગ્યાને ૧૦ મિનિટનો બતાવવામાં આવે છે. ઘણા લોકોએ જવાબ આપ્યો હતો કે આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘડિયાળની શોધ કરનાર વ્યક્તિનું નિધન આ સમયે થયું હતું અને તેના સન્માનમાં ઘડિયાળ નિર્માતાઓએ આ સમય સેટ કર્યો. પરંતુ તમને જણાવી દઈએ કે હકીકતમાં આવું કંઈ પણ નથી. ચાલો હવે અમે તમને આ સમયે પાછળ આપવામાં આવેલ અમુક તર્ક વિશે જાણકારી આપીએ.

નકારાત્મક ચહેરાને બદલવો

જણાવી દઈએ કે ટાઈમેક્સ અને રોલેક્સ પ્રસિદ્ધ કંપનીઓ પોતાની ઘડિયાળમાં ૮ વાગ્યા ને ૨૦ મિનિટનો સમય સેટ કરતી હતી. આવું એટલા માટે કરવામાં આવતું હતું કારણકે આ ટાઇમ સેટ કરવા પર ઘડિયાળના નિર્માતાઓનું નામ ઉપભોક્તાઓને બંને કાંટાની વચ્ચે બિલકુલ સ્પષ્ટ નજર આવતું હતું. તેને જોઈને ગ્રાહકો ખૂબ જ આકર્ષિત થતા હતા. પરંતુ બાદમાં આ સમયને બદલી દેવામાં આવ્યો. કારણકે ઘડિયાળ નિર્માતાઓને લાગ્યું કે ૮ વાગ્યાને ૨૦ મિનિટનો ટાઈમ સેટ કરવાથી જે આકૃતિ બને છે, તે ગ્રાહકોના મગજમાં નકારાત્મક સંદેશ છોડે છે. તમને જણાવી દઈએ કે ૮ વાગ્યે અને ૨૦ મિનિટ પર એક દુઃખી ચહેરાની આકૃતિ બને છે. એટલા માટે લોકોનું માનવું હતું કે નકારાત્મક લુકને કારણે આ ટાઇમને બદલીને ૧૦ વાગ્યાને ૧૦ મિનિટ પર સેટ કરવામાં આવ્યો. આ સમય મુસ્કાન જેવો પ્રતીત થાય છે.

વિક્ટ્રીનું નિશાન

૧૦:૧૦ વાગ્યા પર ઘડિયાળના કાંટા હોવાથી V નિશાન બને છે, જેને વિકટ્રીનું સ્થાન માનવામાં આવે છે. આ સાઇનથી લોકોને પ્રેરણા મળે છે. આ કારણ પણ છે કે ઘણા કારણો માંથી આ એક હોઈ શકે છે, પરંતુ તેના વાસ્તવિક કારણ હોવા માટેનું કોઇ પ્રમાણ નથી.

ઘડિયાળ નિર્માતાઓનાં નામને દેખાડવા માટે

અમુક લોકોનું માનવું છે કે ઘડિયાળ નિર્માતાઓ પોતાનું નામ ૧૨ વાગ્યાનાં નિશાનની બિલકુલ નીચે લખે છે. એટલા માટે ૧૦:૧૦ સામે સેટ કરવા પર લોકોની નજર તરત નિર્માતાનાં નામ પર પડે છે અને તેઓ નામ જોઈને જ ઘડિયાળ ખરીદવાનું મન બનાવી લેતા હોય છે. જેથી આ સમયનો ઉપયોગ માર્કેટિંગ પર્પઝ માટે કરવામાં આવે છે.

હિરોશિમા અને નાગાશાકી પર આક્રમણ

એક વધુ કહાનીનું માનવામાં આવે તો (૧૦:૧૦) સમય પર હિરોશિમા પર લિટલ બોય નામનો પરમાણુ હુમલો કરવામાં આવ્યો હતો. એટલા માટે આ હુમલામાં ઘણા લોકોની સહાનુભૂતિ માટે ઘડિયાળ નિર્માતાઓએ આ સમયની પસંદગી કરે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી, કારણકે લોકલ સમય અનુસાર આ બોમ્બ ૮ વાગ્યાને ૧૦ મિનિટ પર મુકવામાં આવ્યો હતો.

આવું પણ કહે છે લોકો

અમુક લોકોનું માનવું છે કે ૧૦ વાગ્યાને ૧૦ મિનિટનો ટાઈમ એટલા માટે સેટ કરવામાં આવે છે, કારણ કે આ સમયે પહેલી ઘડિયાળ બનીને તૈયાર થઈ હતી. વળી અમુક લોકો કહે છે કે આ ટાઇમ સેટ કરવા પર ઘડિયાળનાં કાંટા જોવામાં સરળતા થાય છે, પરંતુ તે અન્ય ટાઇમ સેટ કરવાથી પણ સરળતાથી જોઈ શકાય છે.