આમિર ખાને કિયારા આડવાણી સાથે કરી એવી હરકત કે લોકોએ કહ્યું – હવે આની સાથે નિકાહ કરશે

અભિનેતા આમિર ખાનનો એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં અભિનેતા કિયારા અડવાણીનું માસ્ક ઉતારતા નજર આવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વિડીયો પર અત્યાર સુધીમાં લોકોએ ઘણાં પ્રકારની કોમેન્ટ કરી છે અને લોકો આમિર ખાનને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં આમિર ખાન અને કિયારા અડવાણી એક કાર્યક્રમમાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરવા માટે કિયારા પોતાનું માસ્ક ઉતારવા લાગે છે, પરંતુ કિયારાનું માસ્ક ઇયરરિંગ માં ફસાઈ જાય છે. કિયારાએ માસ્ક ઉતારવાની ખુબ જ કોશિશ કરી, પરંતુ માસ્ક નીકળી શક્યું નહીં, ત્યારબાદ આમિર ખાન તેને માસ્ક કાઢવામાં મદદ કરે છે.

કિયારા અડવાણી અને આમિર ખાનનાં આ વિડીયો પર લોકો ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “કદાચ ખુબ જ જલ્દી કિયારા આમિર ખાન..” બીજા યુઝરે લખ્યું હતું કે, “બીજા લગ્ન કરવાનું તો નથી વિચારી રહ્યા ને?” એક યુઝરે લખ્યું હતું કે, “હવે આની સાથે નિકાહ કરવાના છે.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બીજી પત્ની સાથે લીધા છુટાછેડા

મહત્વપુર્ણ છે કે અભિનેતા આમિર ખાને થોડા સમય પહેલાં જ પોતાની પત્ની કિરણ રાવ સાથે છુટાછેડા લીધા છે. છુટાછેડા ની ઘોષણા કરતા આમિર ખાન અને કિરણ રાવે એક સ્ટેટમેન્ટ પણ રજુ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે આ ૧૫ વર્ષમાં અમે એકબીજા સાથે જીવનભરનાં અનુભવ, આનંદ અને ખુશી શેર કરી છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધેલો છે. હવે અમે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. પતિ-પત્નીનાં રૂપમાં નહીં, પરંતુ સહ માતા-પિતા અને પરિવારના રૂપમાં.

તેમણે આગળ લખ્યું હતું કે, “અમે બંને અલગ અલગ રહેવા છતાં પણ પોતાના જીવનને એક વિસ્તાર એક પરિવારની જેમ શેર કરીશું. અમે પોતાના દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ, જેનું પાલન પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓ ઉપર પણ સહયોગીનાં રૂપમાં કામ કરવાનું રાખીશું, જેના વિશે અમે દિલથી ચિંતા કરીએ છીએ.

જણાવી દઈએ કે આમિર ખાન અને કિરણ ની મુલાકાતે ફિલ્મ “લગાન” નાં સેટ ઉપર થઈ હતી. કિરણ ફિલ્મ લગાન માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી. બંનેની આ પહેલી મુલાકાત મિત્રતામાં બદલાઈ ગઈ અને બંને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ તેમણે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૫નાં રોજ લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૧૧માં સરોગેસી ની મદદથી બંનેને એક દીકરો થયો, જેનું નામ તેમણે આઝાદ રાખ્યું. વળી હવે લગ્નનાં ૧૫ વર્ષ બાદ કિરણ અને આમિર અલગ થઈ ગયા છે.

ખુબ જ જલ્દી આવવાની છે ફિલ્મ

આમિર ખાન પોતાની આવનારી ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા” શુટિંગને ખતમ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં કરીના કપુર પણ છે. તે હોલીવુડ ફિલ્મ “ફોરેસ્ટ ગમ્પ” ની રિમેક છે. જેમાં ટોમ હેંકસ મુખ્ય કિરદારમાં જોવા મળ્યા હતા. લાલ સિંહ ચઢ્ઢા પાછલા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ કરી શકાય નહીં. વળી હવે આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે.

વળી કિયારા અડવાણીની ફિલ્મ “શેરશાહ” એમેઝોન પ્રાઈમ વિડીયો પર ૧૨ ઓગસ્ટના રોજ રીલિઝ થઈ ચુકી છે. તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે, જે શહીદ કેપ્ટન વિક્રમ ભુમિકામાં છે. તે સિવાય કિયારા અડવાણી જુગ જુગ જીઓ, ભુલભુલૈયા-૨ અને મિસ્ટર લે લે માં જોવા મળશે.