બાબા રામદેવે બનાવી કોરોનાની દવા, જલ્દી થશે બજારમાં ઉપલબ્ધ, જાણો શેમાંથી બનાવવામાં આવી છે

Posted by

પતંજલિએ કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કર્યો છે અને ખૂબ જ જલ્દી આ દવા બજારમાં આવી જશે. પતંજલિ યોગપીઠ ના આયુર્વેદાચાર્ય બાલકૃષ્ણ એ જણાવ્યું હતું કે આ એક આયુર્વેદિક દવા છે, જેને ઘણી બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓ માંથી તૈયાર કરવામાં આવેલ છે અને આ દવાની મદદથી કોરોના સંક્રમણનો ઈલાજ સંપૂર્ણ રીતે સંભવ છે. આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવામાં દવાઓનું આ મિશ્રણ વેક્સિન કરતા પણ વધારે અસરકારક રીતે કામ કરે છે.

એક વેબસાઇટ સાથે વાત કરતા આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું હતું કે પાંચ મહિનાથી કોરોના વાયરસની દવા બનાવવા પર કામ ચાલી રહ્યું છે. આ દવાને બનાવ્યા બાદ તેનો ટેસ્ટ ઉંદર પર કરવામાં આવ્યો હતો જે સફળ રહ્યો છે. ફક્ત એટલું જ નહીં પરંતુ દવાને લઈને ક્લિનિકલ સેક સ્ટડી પણ પૂરી થઈ ચૂકી છે, જ્યારે ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ પર છે અને અંતિમ ચરણમાં છે. ખૂબ જ જલ્દી તેનો ડેટા મળી શકે છે અને જેના ૨ સપ્તાહની અંદર આ દવા બજારની અંદર ઉતારી દેવામાં આવશે.

કોરોના સંક્રમણથી થશે રક્ષા

આચાર્ય બાલકૃષ્ણનાં જણાવ્યા અનુસાર કોરોનાની દવાને બનાવવાને લઇને શોધ કરવામાં આવી છે અને આ શોધમાં મળી આવ્યું છે કે અશ્વગંધા, ગિલોય, તુલસી, શ્વરાસી અને અણું તેલથી કોરોના સંક્રમણ દૂર થઈ જાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ આ ચીજોનું સેવન કરવાથી સંક્રમિત થી પણ રક્ષણ મળે છે.

જાન્યુઆરી મહિનામાં શરૂ કરી હતી શોધ

પતંજલિ અનુસંધાન સંસ્થાનના યોગગુરુ બાબા રામદેવ ની સલાહ અને નિર્દેશ બાદ આ વર્ષના જાન્યુઆરી માસથી જ શોધ શરૂ કરવામાં આવી હતી. શોધ માટે કુલ ૧૪ વૈજ્ઞાનિકોની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં પાંચ મહિલાઓ પણ સામેલ હતી. ટીમે પાંચ મહિના સુધી સખત મહેનત કરીને કોરોના વાયરસની દવા શોધી કાઢેલ છે.

આ ચીજો માંથી બને છે દવા

કોરોનાની દવા બનાવવામાં ફક્ત જડીબુટ્ટીઓ જ પ્રયોગ કરવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણનાં જણાવ્યા અનુસાર દવાના મુખ્ય ઘટક અશ્વગંધા, ગિલોય, તુલસી સ્વરાસી રસ અને અણું તેલ છે. દવા બનાવવામાં આ બધી ચીજોનું મિશ્રણ અને અનુપાદ શોધ અનુસાર નક્કી કરવામાં આવેલ છે.

આવી રીતે કરે છે દવા કામ

અશ્વગંધા કોરોના વાયરસના આરબીડીને માનવ શરીરના એસીએસ સાથે મળવા દેતી નથી. જેનાથી કોરોનાવાયરસ ખુશી કામમાં પ્રવેશ કરી શકતો નથી. ગિલોય પણ અશ્વગંધા ની જેમ કામ કરે છે. વળી તુલસી ના કમ્પાઉન્ડ કોરોના આરએનએ-પોલીમરીઝના ગુણાંકની વૃદ્ધિ કરવાના દરને ખતમ કરી દે છે. સ્વરાસી રસ લાળને ઘટ્ટ બનતા અટકાવે છે અને બનેલી લાળને ખતમ કરીને ફેફસાનો સોજો ઓછો કરી નાખે છે. અણું તેલનો ઉપયોગ નેજલ ડ્રોપ ના રૂપમાં કરી શકે છે.

અમેરિકાના જંગલમાં પ્રકાશિત થશે શોધ

પતંજલિ દ્વારા કરવામાં આવેલા આ શોધ અમેરિકાના વાયરોલોજી રિસર્ચ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થશે. પતંજલિ તરફથી શોધ પત્રને વાયરોલોજી રિસર્ચ મેડિકલ જનરલની પાસે મોકલવામાં આવી ચુકેલ છે અને તે પ્રિ-કોલીફીકેશન માં ચાલી રહેલ છે. વળી અમેરિકાના જ બાયોમેડિસિન ફાર્મોકોથેરેપી ઇન્ટરનેશનલ જનરલમાં તેનું પ્રકાશન થઈ શક્યું છે. મહત્વપૂર્ણ છે કે દુનિયાના ઘણા બધા દેશોમાં કોરોના વાયરસની દવા બનાવવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં હજુ કોઈને પણ સફળતા મળી નથી. વળી આયુર્વેદાચાર્ય બાલકૃષ્ણનો કોરોનાની દવા બનાવવાનો દાવો જો સત્ય સાબિત થાય છે, તો તે દુનિયા માટે ખૂબ જ મોટી રાહત હશે અને કોરોના સાથે લડવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *