સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક આત્મહત્યા કરી લેવા બાદથી ઇન્ડસ્ટ્રીમાં નેપોટીજ્મને લઈને ચર્ચા ખૂબ જ જોર પકડવા લાગી છે. ફેન્સ સહિત અમુક બોલિવૂડ સ્ટાર પણ છે, જેઓ બોલિવૂડમાં ફેલાયેલ નેપોટીજ્મને જ સુશાંતનાં મૃત્યુ માટે જવાબદાર માને છે. જણાવી દઈએ કે નેપોટીજ્મની બાબતમાં પાછલા ઘણા દિવસોથી બોલીવુડનાં ત્રણેય ખાન પણ નિશાના પર છે. સોશિયલ મીડિયા પર ફેન્સ નવા-નવા વીડિયો શેયર કરીને તે સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે બોલિવૂડમાં આઉટસાઇડર્સ અથવા નવા અભિનેતાઓની કોઈ ઈજ્જત હોતી નથી. આ કડીમાં હાલના દિવસોમાં શાહરૂખ ખાનનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
હકીકતમાં આ એક એવોર્ડ શો ને શાહરુખ ખાન અને સેફ અલી ખાન હોસ્ટ કરી રહયા હતા. આ દરમિયાન શાહરૂખ ખાને સ્ટેજ પરથી નીલ નીતિન મુકેશને કંઈક એવું કહ્યું કે તેમને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેઓ વચ્ચે ઊભા થઈને શાહરુખ ખાન પર ભડકી ગયા હતા. તો ચાલો જાણીએ કે આખરે આ સમગ્ર મામલો શું હતો.
શો દરમિયાન શાહરૂખ ખાને ઓડિયન્સની વચ્ચે બેસેલા નીલ નીતિન મુકેશને કહ્યું કે હું તમને એક સવાલ પૂછવા માગું છું. તેમણે કહ્યું કે, તમારું નામ નીલ નીતિન મુકેશ છે, તો ભાઈ આમાં સરનેમ ક્યાં છે? આ બધા તો નામ છે. તમારી કોઈ સરનેમ નથી કે શું?
શાહરૂખ ખાનની આ વાત સાંભળીને બધા હસવા લાગે છે, પરંતુ નીલ નિતિન મુકેશને આ વાત ખૂબ જ ખરાબ લાગે છે. તેઓ કહે છે કે આ ખૂબ જ સારો સવાલ છે, તેના માટે હું શાહરૂખ સર અને સેફ સર તમારા બંનેનો આભારી છું. તેની આગળ વધુમાં નીલ નીતિન મુકેશ કહે છે કે શું હું મારા બોલવાનો અધિકાર લઈ શકું છું?
નીલ નીતિન મુકેશે શાહરૂખ ખાનને આપ્યો જોરદાર જવાબ
Watch how they insult the young actors in an award function, infront of a packed audience. Utterly despicable.
Video credits: Sony TV.#BollywoodHypocrites pic.twitter.com/QPZRGjUa79— Vandana (@VandanaJayrajan) June 15, 2020
ત્યારબાદ નીલ નીતિન મુકેશ કહે છે કે આ મારું અપમાન છે. આ વાત મારા માટે બિલકુલ યોગ્ય નથી અને શાહરૂખને કહે છે કે કદાચ તમે બંને મારા પિતાને જોયા નથી, તેઓ પણ આ એવોર્ડ શોમાં બેસેલા છે. ત્યારબાદ સેફ અલી ખાન માફી માંગે છે, જ્યારે શાહરૂખ ખાનનું મોઢું પાણી-પાણી થઇ જાય છે.
નીલ અહીંયા જ રોકાતા નથી, તેઓ આગળ કહે છે કે આ પ્રકારના વાહિયાત સવાલો તમારા મોઢામાંથી સારા લાગતા નથી. ત્યારબાદ નિલ ઓડિયન્સમાં બેઠેલા બધા લોકોની માફી માંગે છે. તેઓ કહે છે કે આ વાતને હું પર્સનલી અપમાનનાં રૂપમાં જોઇ રહ્યો છું અને મારે કોઈ સરનેમની જરૂરિયાત નથી, મેં જાતે મહેનત કરીને નામ કમાયું છે અને આજે આગળને લાઇનમાં બેઠો છું.
નારાજ થઈ ગયા હતા નીલ નીતિન મુકેશ
જણાવી દઈએ કે નીલ નીતિન મુકેશનાં આ પ્રકારથી અચાનક નારાજ થઈ જવાને કારણે બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે આ ઘટના વિશે બાદમાં જણાવ્યું હતું કે આ શાહરુખ ખાન સાથે પ્લાન કરેલ હતું. ઓર્ગેનાઇઝેશને મને પહેલાથી જ કહી દીધું હતું કે મારે શાહરુખની એક્ટિંગનો પાર્ટ બનાવવાનો છે અને આવી રીતે વચ્ચે બોલવાનું છે.
નીલે જણાવ્યું હતું કે મારે તેની રિહર્સલ કરવાની હતી, પરંતુ હું મારા પેરેન્ટ્સને લેવા માટે ગયો હતો અને બહાર ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હતો. તે કહે છે કે, જ્યાં સુધીમાં હું સ્થળ પર પહોંચ્યો તેમની પાસે શોર્ટ બ્રિફિંગનો જ સમય હતો. હું શાહરૂખ સર ને શટ અપ તો કહી શકતો ન હતો, કારણ કે આ રીતે તો હું મારા ડ્રાઇવર સાથે પણ વાત નથી કરતો.
આ ઘટના વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે શાહરૂખ સર ના કહેવા પર મેં આવું કર્યું હતું. મેં તો શાહરુખ સર ને કહ્યું હતું કે આ બધું મારાથી થઈ શકશે નહીં, પરંતુ તેમણે મારી વાત માની નહિ અને મારે આ બધું કરવું પડ્યું. નીલ નીતિન મુકેશ કહે છે કે જો ખતમ થયા બાદ બિપાશા બાસુ મારી પાસે આવી અને તેમણે કહ્યું કે જો આ એક્ટિંગ પણ હતી તો તે ખૂબ જ ડરામણી હતી. કેટરિનાએ પણ મને કહ્યું હતું કે તમારે શાહરૂખ પાસેથી માફી માગવી જોઈએ.