બલીનો બકરો પાકિસ્તાન : ચીન પોતે બનાવેલી કોરોના વેકસીનની ટ્રાયલ પાકિસ્તાનનાં લોકો પર કરશે

કોરોના વાયરસ લઈને દુનિયામાં ઘેરાયેલ ચીન કોરોના વાયરસ વ્યક્તિ માટે પાકિસ્તાનને બલિનો બકરો બનાવવાના જઈ રહ્યું છે. આ સવાલ હવે ઘણા લોકોના મગજમાં આવી રહ્યો છે. હકીકતમાં થોડા સમય પહેલાં કોરોના વાયરસ મહામારીનો ગઢ રહેલ ચીન તેનાથી લડવા માટે એક વેક્સિન બનાવી છે. જેનું પરીક્ષણ આગલા ૩ મહિના સુધી પાકિસ્તાનમાં કરવામાં આવશે. તેના માટે આ બંને દેશો વચ્ચે એક કરાર પણ થયેલ છે.

ચીન તેના દ્વારા તે જાણવાની કોશિશ કરશે કે આ વેક્સિન કેટલું કારગર છે અને તેનો કોઈ દુષ્પ્રભાવ છે કે નહીં. પાકિસ્તાની ન્યુઝ ચેનલ 92 ન્યુઝ સાથે વાતચીતમાં પાકિસ્તાનના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના મેજર જનરલ ડોક્ટર આમિર ઇકરામે કહ્યું કે ચીને નું કામ શરૂ કરી દીધું છે. એવી આશા છે કે પાકિસ્તાનમાં આગલા ૩ મહિનામાં કોરોના વાયરસની દવા લોન્ચ કરી દેવામાં આવશે.

ચીનની બનેલ નવી વેક્સિનને ઘણા સંસ્થાનો થી માન્યતા

ઈકરામે કહ્યું હતું કે ઘણી કંપનીઓ વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ચીને તેની શોધ કરી લીધી છે. તેઓએ કહ્યું કે “સામાન્ય રીતે એક વેક્સિન બનાવામાં ૮ થી ૧૦ વર્ષનો સમય લાગે છે. ચીન દ્વારા બનાવવામાં આવેલ નવી વેક્સિનને સંસ્થાનો તરફથી માન્યતા મળી ગઈ છે. અમે આ બધા મામલાને ખૂબ જ જલ્દી યોગ્ય કરી લેશું.” હકીકતમાં ચીન પોતાની વેક્સિનને પાકિસ્તાનમાં કોરોના વાયરસના દર્દીઓ પર ક્લિનીકલ ટ્રાયલ કરવા જઈ રહ્યું છે. કોઈપણ વેક્સિનના વ્યક્તિ પર ટ્રાયલના ખૂબ જ ખરાબ હોય છે. દર્દીનો જીવ પણ જઈ શકે છે અને બીમારી વધારે પણ ફેલાઇ શકે છે.

આ બધા ખતરા હોવા છતાં પણ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર પોતાના આકા ચીનને ખુશ કરવા માટે નાગરિકોના જીવ જોખમ પર મુકવા માટે તૈયાર થઈ ગઈ છે. આ પહેલાં ચીને એલાન કર્યું હતું કે તે પોતાની વેક્સિનને દુનિયાના અન્ય દેશોમાં પરીક્ષણ કરશે. આ પહેલા એક ચીની રિસર્ચરે કહ્યું હતું કે ચીન એક વેક્સિન બનાવી રહ્યું છે અને તેની યોજના કોરોનાથી પ્રભાવિત અન્ય દેશોમાં તેના ક્લિનિકલ ટ્રાયલની છે.

વુહાનમાં ૧૬ માર્ચથી પરીક્ષણ ચાલી રહ્યું છે

કોરોના વાયરસના જન્મ સ્થાન વુહાન આ વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. રિસર્ચરોએ દાવો કરેલ છે કે વુહાનમાં વેક્સિનનું યોગ્ય પરીક્ષણ ચાલી રહ્યું છે. તેના પરિણામની ઘોષણા એપ્રિલમાં કરવામાં આવશે. આ વેક્સિનનું ચીનમાં સ્થિત વિદેશી લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. ચીની મિલેટ્રી સાયન્સ એકેડેમીના શોધકર્તા ચેન એ કહ્યું હતું કે આ વેક્સિનનો ઉપયોગ કોરોના થી પ્રભાવિત અન્ય દેશોમાં કરવામાં આવશે. પાકિસ્તાન પણ હાલના દિવસોમાં કોરોના વાયરસના કહેરથી ઝઝૂમી રહ્યું છે. ત્યાં અત્યાર સુધીમાં ૨૨૨ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.