નીંદર દરેક લોકો માટે જરૂરી હોય છે. જો આપણી નીંદર પુરી ના થાય તો બીજો દિવસ ખુબ જ ખરાબ જાય છે અને જો આવું દરરોજ બને છે તો માણસ ને ઘણા પ્રકારના રોગો નો પણ સામનો કરવો પડી શકે છે. આમ જોઈએ તો લોકો રાતે સુવે છે પરંતુ ઘણા લોકો હોય છે જે બપોરે સુઈ ને આરામ કરી લે છે. બપોરે જમી લીધા બાદ ઘણા લોકો ને નીંદર આવવા લાગે છે.
કોઈપણ વ્યક્તિ બપોરે નીંદર કરે છે તો ત્યારપછી એ પોતાને ફ્રેશ મહેસુસ કરે છે. તમને જણાવી દઈએ કે ઘણા લોકો બપોરે એટલા માટે પણ સુવે છે કે આગલી રાતે મોડે થી સુતા હોય છે અથવા તો નીંદર પણ પુરી ના થઈ હોય.
નીંદર પુરી થવી આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. નીંદર પુરી થવા થી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે અને તેનું શરીર એક્ટિવ રહે છે. ઘણા લોકો દિવસના સુવા ની આદતને સારું નથી ગણતા. પરંતુ આજે અમે તમને બતાવીશું કે દિવસના સુવા ના પણ કેટલા ફાયદા છે.
બપોરે સુવા ના ફાયદા
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જે લોકો રાતે મોડે થી સુવે છે અને તેની નીંદર પુરી નથી થતી તે લોકો બપોરે પોતાની નીંદર પુરી કરી લેતા હોય છે. આવું કરવાથી એક તો તેની નીંદર પુરી થઈ જાય છે અને બીજી તરફ શરીર નો થાક ઉતરી જાય છે. બપોરે સુવા થી શરીર માંથી આળસ પણ જતી રહે છે અને તમારું મગજ પણ સારું આવું ઍક્ટિવ થઈ જાય છે.
બપોરે સુવા નો બીજો એક ફાયદો એ પણ છે કે વ્યક્તિ નું મગજ વધારે તેજ બને છે. જે લોકો દિવસે સુતા હોય છે તેનું મગજ બીજા લોકો કરતા વધારે ચાલતું હોય છે. ખાસ કરી ને બાળકો ને દિવસે ઓછા માં ઓછું એક કલાક તો જરૂર સુવું જોઈએ. આ સિવાય ઉંમર વાળા લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે દિવસમાં ઓછામાં ઓછું ૨૫ થી 30 મિનિટ નીંદર જરૂર કરવી જોઈએ.
ફક્ત આટલું જ નહીં પણ તમને એ પણ જણાવી દઈએ કે બપોરે નીંદર કરવાથી શરીરના ઘણા રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે અને હૃદય રોગ જેવી ખતરનાક બીમારી નો ખતરો ઘણા અંશે ઘટી જાય છે. વ્યક્તિએ બપોરે ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ અને વધારેમાં વધારે એક કલાક નીંદર કરવી જ જોઈએ.