અનુષ્કા શર્માની આ બીમારીને લીધે વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડી રહેલ છે! ખુબ જ ગંભીર બીમારી છે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેમના ખેલ પ્રદર્શનની હંમેશા ચર્ચા સમગ્ર દુનિયામાં થાય છે. જોકે ટી-૨૦ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન ન કરવાને લીધે ભારતીય ખેલાડીઓમાં ખાસ કરીને વિરાટ કોહલીને લોકોએ ખુબ જ સંભળાવેલું હતું. પરંતુ આજે અમે તમને વિરાટની પ્રોફેશનલ લાઈફ નહીં, પરંતુ લવ લાઇફની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્મા રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અનુષ્કા એક ગંભીર બીમારી સામે ઝઝુમી રહી છે. આ ખબર ફેન્સ માટે ચોંકાવનારી છે. તેવામાં સ્પષ્ટ છે કે તેને ખુબ જ પ્રેમ કરનાર વિરાટ કોહલી પણ અનુષ્કાને લઈને ખુબ જ ચિંતામાં હશે. તેમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અનુષ્કાની બીમારીને કારણે જ વિરાટ કોહલીએ બધા ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી છે.

મહત્વપુર્ણ છેકે વિતેલા દિવસોમાં અનુષ્કા શર્મા ઘણી વખત ક્લિનિકની બહાર નજર આવી હતી. તેમના આવી રીતે વારંવાર ક્લિનિકની બહાર નજર આવ્યા બાદ એવા સમાચાર આવવા લાગ્યા કે એક્ટ્રેસ એક ગંભીર બીમારી સામે લડી રહી છે. રિપોર્ટ અનુસાર એકટ્રેસ અનુષ્કા શર્માને બલ્જીંગ ડિસ્ક નામની બીમારી છે, જેના કારણે તેમણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બીમારીમાં દર્દીને ખુબ જ દર્દ નો સામનો કરવો પડે છે. આ બીમારીમાં જો કોઈ વ્યક્તિ એક જગ્યા પર લાંબો સમય સુધી બેસી રહે છે તો તેની કમર માં એકદમ દુખાવો થવા લાગે છે. ડોક્ટરોનું માનવું છે કે આ દુખાવો અસહ્ય હોય છે. અનુષ્કા શર્માની આ બીમારી બાદ વિરાટ કોહલી તેમનો ખુબ જ ખ્યાલ રાખવા લાગ્યા છે. તેઓ દરેક પગલાં પણ તેની સાથે ઉભા રહે છે.

લોકોનું માનવું છે કે અનુષ્કાની આ બીમારીને કારણે જ વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી છે અને હવે તે પુરો સમય પોતાની પત્ની અનુષ્કા શર્મા અને બાળકી વામિકા ને આપવા માંગે છે અને એક્ટ્રેસ નો ખ્યાલ રાખવા માંગે છે. જોકે હાલમાં વિરાટ અને અનુષ્કા શર્મા તરફથી આ બાબતને લઇને કોઇપણ પુષ્ટિ કરવામાં આવી નથી.

એક્ટ્રેસ હાલમાં ફિલ્મી દુનિયાથી દુર છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર પતિ વિરાટ કોહલી અને દીકરી સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે અને તેમની તસ્વીરો ખુબ જ પસંદ આવે છે. એક્ટ્રેસે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપેલી છે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેને સમય આપવો પડે છે. એક્ટ્રેસે એવું પણ કહ્યું હતું કે તેણે એ જ કામ કર્યું છે તે હંમેશાથી તે કરવા માંગતી હતી. અનુષ્કાનું કહેવું છે કે તેને એવું કામ કરવું પસંદ છે, જ્યારે તે પાછળ વળીને જુએ તો તેને પોતાની ઉપર ગર્વ થાય.