કેન્સર પ્રતિ જાગરૂકતા ફેલાવવા માટે આ આઠ લોકો ઘણા દેશોમાં કરશે પ્રવાસ

Posted by

કેન્સર એક જીવલેણ રોગ છે. પરંતુ જો તમને તેના વિશે ખબર હોય તો તેની સમયસર સારવાર કરાવી તેનાથી બચી શકાય છે. આ રોગના ઘણા પ્રકારો છે. આમાંનું એક સર્વાઇકલ કેન્સર છે. સર્વાઇકલ કેન્સર મોટાભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. મળતી માહિતી મુજબ, આ રોગ સામાન્ય રીતે ૧૫ થી ૪૪ વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે અને તે આજે તેમના મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે.

જો કે આ રોગ ને રસીકરણ દ્વારા રોકી શકાય છે. તેમ છતાં તેની માહિતીના અભાવના કારણે તે શક્ય નથી. આ રોગ વિશે જાગૃતિ લાવવા માટે ચાર જુદા જુદા રાજ્યોના આઠ લોકોએ અભિયાન ચાલુ ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત તે ૫૨ દિવસ કાર ચલાવશે અને તમિલનાડુ થી રશિયાના સેન્ટ પીટર્સ બર્ગની યાત્રા કરશે.

આ અભિયાન સાથે સંકળાયેલ મીનાક્ષી અરવિંદે બુધવારે એ એન આઈને કહ્યું કે, દર આઠ મિનિટમાં ભારતમાં સર્વાઇકલ કેન્સરને કારણે કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે. અમારી પહેલા દ્વારા અમે લોકોને જણાવવા માંગીએ છીએ કે રસીકરણ દ્વારા આ પ્રકારના કેન્સરથી બચી શકાય છે. તેમણે કહ્યુ કે ૯ થી ૨૬ વર્ષની વયની રસી લગાવીને આ જીવલેણ રોગથી બચી શકાય છે. તેમણે સરકારને વિનંતી કરી હતી કે, તેઓ તેમને તેમના મફત રસીકરણ કાર્યક્રમનો ભાગ બનાવે.

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં તેની રસીની ઉપલબ્ધતા અને તેના લક્ષણો વિશે કોઈ જાગૃત નથી. અન્ય દેશો એ તેને તેના રસીકરણ કાર્યક્રમનો એક ભાગ બનાવ્યો છે. આ મુસાફરો ૨૭ સપ્ટેમ્બરના રોજ નેપાળ, ચીન, તિબેટ માર્ગે દેશના સૌથી લાંબા ટ્રાન્સ સાઇબેરીયન હાઇવે માંથી રશિયન બંદર શહેર પહોંચશે.

સર્વાઇકલ કેન્સર થી બચવા માટે મહિલાઓએ તેમના ચેકઅપ નિયમિત કરવા જોઈએ. આ ઉપરાંત તેઓએ દર ત્રણ વર્ષે પેપ સ્મિયર પરીક્ષણ કરાવવું જોઈએ. એચપીવી વાયરસ થી બચવા માટે રસીકરણ કરાવવું જોઈએ. શારીરિક સંબંધો બનાવતી વખતે સિગારેટ થી દુર રહો અને સલામતીનો ઉપયોગ કરવો જોઈએ. પેલ્વિક પીડાને અવગણશો નહિ. તેમણે જણાવ્યું હતું કે કેન્સર એક ખતરનાક બીમારી છે. જો થોડી સાવધાની રાખવામાં આવે તો તેનાથી બચી પણ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *