ચીની કંપનીનો દાવો – કોરોના વાયરસની વેક્સિનનું વાંદરાઓ પર પરીક્ષણ રહ્યું સફળ

Posted by

ચીનની એક ફાર્માસ્યુટિકલ કંપની દાવો કર્યો છે કે તેઓએ કોરોના વાયરસના વેક્સિનનું વાંદરાઓ ઉપર સફળ પરીક્ષણ કરી લીધું છે. ચીની કંપની સિનોવૈક બાયોટેકે આ વેક્સિનનું પરીક્ષણ ૮ મકાઉ વાંદરાઓ પર કર્યું છે. તેમણે કહ્યું કે પરીક્ષણ દરમિયાન વેક્સિને વાંદરાઓને કોરોના વાયરસ સંક્રમણથી સંરક્ષિત કર્યા. કંપનીના જણાવ્યા અનુસાર આ વેક્સિન કોરોના વાયરસને આંશિક થી સંપૂર્ણ રીતે ખતમ કરી દે છે. વેક્સિનનાં બે જુદા જુદા ડોઝ વાંદરાઓને આપવામાં આવ્યા હતા.

કંપનીએ કહ્યું હતું કે ૩ સપ્તાહ બાદ આ વાંદરાઓ વાયરસનાં સંપર્કમાં આવ્યા હતા, પરંતુ સંક્રમિત થયા નહીં. પછી વાયરસથી સંક્રમિત કર્યા બાદ ૪ વાંદરાઓને વેક્સિનની વધારે માત્ર આપવામાં આવી અને ૭ દિવસ પછી તેમના ફેફસામાં વાયરસનું સંક્રમણ ખૂબ જ ઓછું જોવા મળ્યું. ૧૬ એપ્રિલથી આ વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કરવામાં આવેલ છે.

કોરોનાની વેક્સિન બનાવવાની ખૂબ જ નજીક છે અમેરિકા : ટ્રમ્પ

અમેરિકા, જર્મની, બ્રિટેન અને ચીનમાં થનાર વેક્સિન ટેસ્ટ પર ધ્યાન આપ્યા બાદ વ્હાઇટ હાઉસમાં ડેલી બ્રિફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે વેક્સિન બનાવવાની ખૂબ જ નજીક છીએ. અમારી પાસે તેના પર કામ કરવા વાળા ખૂબ જ કમાલના લોકો છે અને શાનદાર દિમાગ વાળા પણ છે.”

તેમણે આગળ કહ્યું હતું કે, “દુર્ભાગ્યથી અમે ટેસ્ટીંગની ખૂબ જ નજીક નથી. કારણકે જ્યારે પરીક્ષણ શરૂ થાય છે ત્યારે તેમાં અમુક સમય લાગે છે, પરંતુ અમે તેને પૂરો કરી લઈશું.” બીબીસી એ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ માઈક પેંસ અને વ્હાઇટ હાઉસ કોરોના વાયરસ ટાસ્કફોર્સ ના કો-ઓર્ડીનેટર ડેબોરાહ બીરક્સ પણ તેમની સાથે હાજર હતા. અમેરિકી સરકારના ટોપ ઇન્ફેક્શન ડિસીઝ એક્સપર્ટ ડૉ. એન્થોની ફૌસી એ પહેલા કહ્યું હતું કે વ્યાપક રૂપથી ઉપયોગ માટે એક વેક્સિનને તૈયાર થવામાં ૧૨ થી ૧૮ મહિનાનો સમય લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *