દેશમાં કોરોના સંકટ વિકરાળ રૂપમાં સામે ઊભેલું છે અને ડોક્ટર તથા પ્રશાસન સાથે મળીને અને ખતમ કરવામાં જોડાયેલા છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના મહામારી થી પીડિત છે. અત્યાર સુધીમાં લગભગ ૨૫ હજારથી વધારે લોકો આ બીમારીથી સંક્રમિત થયેલ છે. વળી ૮૦૦ થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. વળી, ડોક્ટર અને પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ થઈને આ બીમારી સામે લડી રહ્યા છે.
જોકે તે બધાની વચ્ચે એક આશાનું કિરણ નજર આવી રહ્યું છે. હકીકતમાં દેશના તે રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે. જ્યાં કુલ દર્દીઓનો આંકડો ૪૫૦ ને પાર પણ નથી પહોંચ્યો. વળી મૃત્યુનો આંકડો પણ ખૂબ જ ઓછો છે તેવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ રાજ્ય ખૂબ જ જલ્દી કોરોના થી એકદમ મુક્ત થઇ જશે.
દેશના ૧૬ રાજ્ય સૌથી વધારે પ્રભાવિત
દેશમાં રાજ્યો એવા પણ છે, જ્યાં કોરોના પીડિત દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું હતું કે દેશમાં કુલ ૨૫ હજારથી વધારે લોકો કોરોના વાયરસ થી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોના દર્દીઓનો આંકડો ૨૦૦૦ ની ઉપર છે. તે સિવાય આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ નાં મામલા ખૂબ જ વધારે છે.
આ ૯ રાજ્યોમાં કોરોના સંક્રમિત મામલા ૨૨૩ થી ૯૫૫ ની વચ્ચે છે. આ ૨૫ હજાર સંક્રમિતોની સંખ્યા આ ૧૬ રાજ્યોમાં જ સૌથી વધારે છે. વળી મૃત્યુનો આંક પણ ૮૦૦ ને પાર છે. આ ૧૬ રાજયો સિવાય જે બાકીના ૧૬ રાજ્ય છે, તેમાં કુલ મળીને ૪૧૭ દર્દીઓમાં વાયરસના મામલા સામે આવ્યા છે અને ફક્ત ૭ લોકોના મૃત્યુ થયા છે.
આ રાજ્યોમાં કોરોના ખતમ થવાના અણસાર
જે રાજ્યોમાં સંક્રમણના મામલા સૌથી ઓછા છે તે રાજ્યો ઓડિશા, અંડમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, અસમ, ત્રિપુરા, ચંડીગઢ, પોંડિચેરી, છત્તીસગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, લદાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ઉતરાખંડ છે. અહીંયા પર કોરોના દર્દીઓની સંખ્યા બાકી રાજ્યોની સંખ્યામાં ખુબ જ ઓછી છે. વળી અહીંયા દર્દીઓના સ્વસ્થ થવાના મામલે પણ સામે આવી રહ્યા છે. તેવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ બધા રાજ્યો ખૂબ જ જલદી પૂરું નામ મુક્ત બની જશે. મહત્વનું છે કે ગોવા આ લિસ્ટમાં સૌથી પહેલા કોરોના મુક્ત થઈ ચૂક્યું છે.
આંકડાની વાત કરવામાં આવે તો પાછલા બે દિવસમાં દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરેક રાજ્યમાં અંદાજે ૭૦૦ થી વધારે દર્દીઓ છે. આ વાઇરસની ઝપેટમાં આવીને કુલ ૮૦૦થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં ૧૧ રાજ્ય એવા છે, જ્યાં દર્દીઓને સંખ્યા અંદાજે ૧૫૦ થી ઉપર છે. પરંતુ અહીંયાં કોઈનો જીવ ગયેલ નથી. તે ૧૧ રાજ્ય છત્તીસગઢ, ઉતરાખંડ, ગોવા, લદાખ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ચંડીગઢ, પોંડિચેરી, મિઝોરમ, મણિપુર અને અંડમાન નિકોબાર આઇલેન્ડ છે.
આ રાજ્યમાં સ્વસ્થ થઇ રહ્યા છે કોરોના દર્દી
સંક્રમિત રાજ્યોમાંથી ૬ રાજ્યો એવા છે જ્યાં કોરોના સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. આ ૬ રાજ્યોમાં અરુણાચલ પ્રદેશમાં ૧, ગોવામાં ૭, મણિપુરમાં ૨, મિઝોરમમાં ૧, પોંડિચેરીમાં ૭ અને ત્રિપુરામાં ૨ દર્દીઓ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. આ બધા જ ૬ રાજ્યોમાં ફક્ત ૨૦ લોકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે, જેમાંથી ૯૦% લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.
૧૬ રાજ્યમાં ઓડીશા એક એવું રાજ્ય છે, જ્યાં ૯૪ દર્દીઓ છે. ત્યારબાદ ઝારખંડ છે જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા ૫૭ અને ઉત્તરાખંડમાં ૪૮ સંક્રમિતોની પુષ્ટિ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઓડીસા અને ઝારખંડમાં ત્રણ લોકોના મૃત્યુ થયેલ છે. પરંતુ ઉતરાખંડમાં એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયેલ નથી. જો બાકીના ૧૬ રાજ્યોમાં પણ કોરોના દર્દીઓનું રીઝલ્ટ નેગેટિવ આવે છે તો તેઓ મુક્ત રાજ્ય બની જશે.