“દેશનો દરેક નાગરિક જાણે છે કે ભારત સાથે લડવું તે અમારી સેના માટે શક્ય નથી” : પાકિસ્તાની સૈન્ય વૈજ્ઞાનિક

Posted by

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ નાબૂદ કર્યા પછી પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે પાતળી થઈ રહી છે. પાકિસ્તાન મતલબ વગરના નિવેદનો આપી રહ્યું છે અને યુદ્ધની ચેતવણી આપી રહ્યું છે. ઠીક છે, પાકિસ્તાનની બોગસ ધમકીઓ થી ભારત અસર થતી નથી, પરંતુ તેણે પોતાના લોકોનો સામનો કરવો પડે છે. હા, ભારત કોઈ જવાબ આપે તે પહેલાં અથવા પાકિસ્તાનની ફિકી ધમકી પર કોઈ પગલા લેવાય તે પહેલાં તેના પોતાના નાગરિકો જ તેને અરીસો બતાવતા જોવા મળે છે. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે?

યુદ્ધ માટે ભારતને પડકારતા પાકિસ્તાનની હાલત કેટલી પાતળી બની ગઈ છે તે જાણવા  કોઈ ભારતીય નેતા કે મીડિયાના નિવેદનોની જરૂર નથી. કેમકે તેના પોતાના નાગરિકો આવા નિવેદનો આપી રહ્યા છે, જેણે તેની વાસ્તવિકતાને ઉજાગર કરી છે. પાકિસ્તાનના લોકો દાળ રોટલા માટે ચિંતિત છે. પરંતુ યુદ્ધની ધમકી સાથે પીએમ ઇમરાન ખાન વિશ્વની સામે પોતાના દેશને બચાવવા માટે કરગરે છે. હવે તેમની ઈજ્જત નું પાણી કોઈ બીજાએ નઈ પરંતુ ત્યાની જ સૈન્ય વૈજ્ઞાનિક આયેશા સિદ્દીકીએ કર્યું છે.

આયેશા સિદ્દિકાએ આપ્યું નિવેદન

આયેશા સિદ્દીકાએ કહ્યું કે, પાકિસ્તાની સેના કાશ્મીર મુદ્દે ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. કારણ કે સુસ્તીવાળી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારીએ સામાન્ય માણસના જીવન પર દુ: ખદ અસર કરી છે. આ સાથે જ આયેશાએ એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના સારી રીતે જાણે છે કે જો ભારત સાથે લડત થાય તો પાકિસ્તાનને ખરાબ રીતે પરાજિત કરવામાં આવશે. જેના કારણે માત્ર યુદ્ધ નું વાતાવરણ ઉભું કરવામાં રહ્યું છે પરંતુ કબજે કરેલા કાશ્મીર માટે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી.

પાકિસ્તાનનું બાળક બાળક જાણે છે કે

નૌકાદળના નેવલ રિસર્ચનાં ડિરેક્ટર તરીકે સેવા આપી ચુકીલી આયેશા સિદિકાએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનનો દરેક નાગરિક જાણે છે કે યુદ્ધ લડવું શક્ય નથી. કારણ કે આપણી પાસે કંઇ જ બાકી રહ્યું નથી અને જો યુદ્ધ થશે તો આપણે પરાજિત થઈશું. સાથે જ તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં એક પ્રકારની ઉદાસી અથવા નિરાશા છે કે આપણે હવે કાંઈ કરી શકતા નથી. આવી સ્થિતિમાં શું જોવા મળશે, પાકિસ્તાની સેનાની પ્રતિક્રિયા શું હશે.

આયેશાએ વધુમાં કહ્યું કે, ૭૨ વર્ષોથી પાક સેનાનું ધ્યાન ફક્ત જમ્મુ-કાશ્મીર પર હતું, પરંતુ જ્યારે તે એક દિવસ જાગી ગઈ ત્યારે તેને સમજાયું કે કંઈ બચ્યું નથી. જો કે, તેમણે કહ્યું કે સેનામાં એક જૂથ છે, જે ખૂબ ગુસ્સે છે અને તે જ અવાજ ઉપાડી શકે છે. મતલબ કે પાકિસ્તાનનો દરેક નાગરિક જાણે છે કે તેની પાસે ભારત સાથે લડવા માટે કંઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *