દેવોના દેવ મહાદેવ શા માટે વાઘનું ચામડું ધારણ કરે છે? જાણો તેની પાછળનું કારણ

બધા દેવતાઓમાં દેવતાઓના દેવ મહાદેવની મહિમા અજોડ બતાવવામાં આવી છે. તેઓના સ્વભાવથી ખૂબ જ ભોળા માનવામાં આવે છે. પરંતુ તેઓ જેટલા ભોળા છે તેમને ક્રોધ પણ એટલો જ વધારે આવે છે. કોઈ પણ તેમના સ્વભાવને આજ સુધી સમજી શક્યા નથી. પરંતુ જો તેઓ કોઈના થી ખુશ થઇ જાય છે, તો તેમની બધી મનોકામનાઓ પૂરી કરી દે છે. પરંતુ જો તેમને એક વાર ગુસ્સો આવી જ ગયો તો તેઓ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને વધુ ભસ્મ કરી નાખે છે.

ભગવાન શંકરે પોતાના શરીર પર વિભિન્ન પ્રકારની વસ્તુઓ ધારણ કરી છે. જેનું પોતાનું કંઈકને કંઈક મહત્વ માનવામાં આવે છે. આ બધી વસ્તુઓને દેવોના દેવ મહાદેવ એક શૃંગાર ના સ્વરૂપમાં ધારણ કરે છે. ભગવાન શંકરના ગળામાં સાપ, હાથમાં ડમરુ, ત્રિશુલ અને રુદ્ર સહિત તેઓ વાઘની ચામડીને પણ ધારણ કરે છે. તમે બધાએ ભગવાન શિવજીને હંમેશા વાઘની ચામડી ઉપર બેઠેલા જોયા હશે. પરંતુ તેઓ વાઘની ચામડીને કેમ ધારણ કરે છે? તેના પાછળનું કારણ શું છે? તેના વિશે એક પૌરાણિક કથા કહેવામાં આવે છે.

જો આપણે પુરાણો અનુસાર જોઇએ તો શિવપુરાણમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આખરે ભગવાન શિવજી વાઘની ચામડી ધારણ શા માટે કરેલ છે. હકીકતમાં એક કથા અનુસાર ભગવાન વિષ્ણુજીએ હિરણ્યકશ્યપનો નાથ કરવા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતારમાં તેમનું અડધુ સ્વરૂપ સિંહનું હતું અને અડધું સ્વરૂપ નરનું હતું. એવું માનવામાં આવે છે કે જ્યારે નરસિંહ અવતારમાં ભગવાન શ્રી વિષ્ણુજીએ જ્યારે હિરણ્યકશ્યપનો વધ કર્યો, ત્યારબાદ તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા હતા. જ્યારે ભગવાન શિવજીએ નરસિંહ ભગવાનનો ગુસ્સો જોયો, તો તેમણે વીરભદ્ર નામનો એક અંશ અવતાર ઉત્પન્ન કર્યો હતો.

ભગવાન શિવજીએ વીરભદ્રને કહ્યું હતું કે તે જઈને નરસિંહ દેવતાને અનુરોધ કરે કે પોતાના ગુસ્સાનો ત્યાગ કરી દે. ભગવાન શિવજીના કહેવા પર વીરભદ્ર નરસિંહ ભગવાન પાસે પોતાનો ક્રોધ ત્યાગ કરવા માટે કહ્યું. પરંતુ તેઓ માન્યા નહીં ત્યારે વીરભદ્ર શરભ રૂપ ધારણ કર્યું હતું. શરભ રૂપમાં વિરભદ્ર મનુષ્ય, સિંહ અને ગરુડનું રૂપ ધારણ કર્યું હતું. જેના કારણે તેમને શરભ નામની પ્રાપ્તિ થઈ હતી. ત્યારબાદ શરાબ અને નરસિંહ ભગવાન માં યુદ્ધ શરૂ થઈ ગયું હતું. શરભ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા અને તેઓએ નરસિંહ ભગવાનને પોતાના પંજામાં દબોચી લીધા હતા અને પોતાની ચાંચોથી વારંવાર ઈજા પહોંચાડવાનું શરૂ કર્યું હતું. ત્યારે નરસિંહ ભગવાન અત્યાધિક ઘાયલ અવસ્થામાં આવી ગયા હતા અને ત્યારે તેઓએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો.

ત્યારે ભગવાન શિવજીએ નરસિંહ ભગવાનના આ નિવેદનનો સ્વીકાર કરી લીધો હતો અને તેઓને નરસિંહ ભગવાનના ચામડાને પોતાના આસન અને વસ્ત્રનાં રૂપમાં ધારણ કર્યા હતા. એ જ કારણ છે કે ભગવાન શિવજી વાઘની ચામડી પહેરે છે અને વાઘના ચામડા ઉપર બિરાજમાન થાય છે.