એક એવું મંદિર જેની નજીક આવતા જ ટ્રેન પડી જાય છે ધીમી

Posted by

ભલે આપણે ભગવાનને જોઈ નથી શકતા પરંતુ તેમ છતાં તેમની શક્તિથી આપણે બધા પરિચિત છીએ. જ્યારે માણસ પર મુશ્કેલી આવે છે ત્યારે સૌથી પહેલા તેને ભગવાન જ યાદ આવે છે. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા મંદિર છે જ્યાં સાક્ષાત ભગવાનની શક્તિનો આપણને અહેસાસ થાય છે. આવું જ એક હનુમાનજીનું મંદિર આવેલું છે. જે મંદિરના ચમત્કાર વિશે ફક્ત રાજ્ય નહિ પરંતુ પુરો દેશ પરિચિત છે.
આ મંદિરની એક ખાસિયત એ છે કે અહીંયાથી પસાર થતા પહેલા જ ટ્રેનની સ્પીડ ઓટોમેટિક જ ધીમી પડી જાય છે. આ ચમત્કારી મંદિર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના બોલાઈ ગામમાં આવેલ છે. આ મંદિરને સિદ્વ વીર ખેડાપતી હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ૩૦૦ વર્ષ જૂનું આ મંદિર લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની મૂર્તિ સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત છે. ત્યાંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિ એકસાથે સ્થાપિત હોવી શુભ માનવામાં આવે છે. એટલા માટે જ અહીંયા દર્શન કરવા આવતા લોકોની બધી જ મનોકામના પુરી થાય છે.

આ ચમત્કારિક મંદિર રતલામ અને ભોપાલની વચ્ચે બોલાઈ સ્ટેશન પાસે આવેલું છે. અહીંયા રહેતા લોકોની માન્યતા છે કે અહીંયા આવતા ભક્તોને ભવિષ્યની ઘટનાઓનો અંદાજો પહેલે થી જ આવી જાય છે. આ સિવાય પણ આ મંદિર સાથે ઘણા ચમત્કારો જોડાયેલા છે. આ મંદિરનો સૌથી મોટો ચમત્કાર એ છે કે અહીંયા થી પસાર થતી કોઈપણ ટ્રેન મંદિરની નજીક આવતા જ ટ્રેનની સ્પીડ ઓટોમેટિક ધીમી પડી જાય છે. ટ્રેનના પાયલોટ ના જણાવ્યા મુજબ મંદિર નજીક આવતા જ તેને અચાનક જ ટ્રેન ધીમી પાડવાનો કોઈ સંકેત આપી રહ્યું હોય એવું લાગે છે અને જો કોઈ ટ્રેન નો ડ્રાઇવર સ્પીડ ધીમી ના કરે તો ટ્રેન ઓટોમેટિક જ ધીમી પડી જાય છે. આ સિવાય અહીંયા દર્શન કરવા આવતા બધા જ લોકોની મનોકામના પુરી થાય છે. અહીંયા મંગળવાર, શનિવાર અને બુધવાર ના દિવસે લોકો દુર દુર થી દર્શન માટે આવે છે.


આ મંદિરના પુજારીના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા જ આ ટ્રેક પર બે માલગાડી વચ્ચે અકસ્માત થયો હતો. બાદમાં બંને ગાડીઓના ડ્રાઈવરે જણાવ્યું કે અકસ્માત પહેલા જ બંનેને સ્પીડ ઓછી કરવાનો સંકેત મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ બંને ડ્રાઈવરે આ સંકેતને ગંભીરતાથી ના લેતા ટ્રેનની સ્પીડ ઓછી કરી ના હતી. જેને લીધે આ અકસ્માત સર્જાયો હતો. ત્યાંના રહેવાસીઓનું એવું પણ માનવું છે કે આ મંદિરમાં હનુમાનજી લોકોને તેનું ભવિષ્ય બતાવે છે. આ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોને તેના જીવનમાં આવનાર ઘટનાઓનો પૂર્વાભાસ થઈ જાય છે. દર્શન કરવા ગયેલા ઘણા લોકોએ આ વાત જણાવી છે. જેને લઇને આ મંદિર પર લોકોની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે. આ મંદિરનો કોઈ ઇતિહાસ તો ખાસ નથી પરંતુ આ મંદિરનું નિર્માણ આશરે ૩૦૦ વર્ષ પહેલાં ઠા. દેવીસિંહએ કરાવ્યું હતું. અહીંયા ૧૯૫૯ માં સંત કમલનયન ત્યાગી એ પોતાનું ગૃહસ્થ જીવનને ત્યાગીને અહીંયા ૨૪ વર્ષ સુધી તપસ્યા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *