એક મહિનામાં ઘટાડો ૨૫-૩૦ કિલો વજન, બાબા રામદેવે આપ્યો આયુર્વેદિક ડાયટ પ્લાન, કોઈપણ આડઅસરનો ડર રહેશે નહીં

Posted by

વધી ગયેલું વજન ફક્ત શારીરિક બીમારીઓને જન્મ નથી આપતું, પરંતુ માનસિક બીમારીઓ પણ સ્થુળતાને કારણે તમને ઘરી લેતી હોય છે. તમે ઇચ્છતા હોવા છતાં પણ પોતાનાથી સંતુષ્ટ રહી શકતા નથી. તમારામાં આત્મવિશ્વાસની કમી મહેસુસ થવા લાગે છે. અહીંયા અમે વાત કરીશું બાબા રામદેવ ના વજન ઘટાડવાના ડાયટ પ્લાન વિશે. બાબા રામદેવ પ્રાકૃતિક ઔષધીઓ અને યોગથી બીમારીઓ સામે લડે છે, જેનાથી કોઈ નુકસાન થવાનો પણ ડર રહેતો નથી.

આપણે પોતાના જીવનમાં પૌષ્ટિક ભોજનને છોડીને સ્વાદિષ્ટ ભોજનને અપનાવેલ છે, એટલા માટે આપણે જીભનો સ્વાદ તો વધી ગયો છે પરંતુ શરીર પર તેનો જે પ્રભાવ પડી રહ્યો છે તે ચોંકાવનારો છે. કારણ કે આજકાલ સ્થુળતા યુવાવસ્થાથી જ પોતાની અસર બતાવવા લાગેલ છે, તે આપણા સારા ભવિષ્ય માટે સારો સંકેત નથી. કારણ કે એક સારું જીવન એજ હોય છે, જ્યાં સારુ સ્વાસ્થ્ય હોય છે.

આપણે પોતાના વધી ગયેલા વજનને લઈને ચિંતિત તો રહીએ છીએ, પરંતુ પોતાના સ્વાદની આદતના મોહ ને છોડી શકતા નથી. આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે કોઈ દવા ખાઈને આપણે પાતળા બની જઈએ. પરંતુ આપણે જાણતા નથી કે આ દવાઓ આપણને ફાયદો ઓછો આપે છે, પરંતુ નુકસાન વધારે કરે છે. તો આજે અમે તમારા માટે આયુર્વેદના પટારા માંથી બાબા રામદેવ દ્વારા વજન ઓછું કરવા માટે નો ડાયટ પ્લાન લાવ્યા છીએ, જે સંપુર્ણ રીતે આયુર્વેદિક છે અને તેના લીધે તમને કોઈ નુકસાન પણ થશે નહીં.

આવશ્યકતા અનુસાર વજન હોવું જરૂરી છે, પરંતુ આવશ્યકતાથી વધારે વજન ઘણી પરેશાનીઓનું કારણ બને છે. આ કારણોને લીધે તમારું વજન વધે છે –

  • ખાણીપીણીમાં પૌષ્ટિક ચીજો સામેલ ન હોવી.
  • ફાસ્ટ ફુડનું વધારે માત્રામાં સેવન કરવું.
  • ભોજનને ચાવીને ન ખાવું.
  • ભોજનને વારંવાર ઓછા સમયાન્તરાળ માં ખાવું.
  • ભોજન કર્યા બાદ કોઈ શારીરિક ક્રિયા ન કરવી.
  • વધારે ઊંઘ કરવી અને વધારે તણાવમાં રહેવું.
  • સવારે વોકિંગ ન કરવું.
  • સવારે મોઢે સુધી સુતા રહેવું.

આ બધા મુખ્ય કારણ છે વજન વધવાના અને તેના લીધે તમે ઘણી બધી બીમારીઓની જ પેટમાં પણ આવી શકો છો, જે હાર્ટ પ્રોબ્લેમ થી લઈને કોલેસ્ટ્રોલ, ઘુંટણમાં દુખાવો અને અન્ય ઘણી ગંભીર પ્રકારની બીમારીઓ બાબા રામદેવ જણાવે છે કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વજન વધવાને લીધે કેન્સરની પણ સંભાવના વધારે રહે છે.

શું ખાવું જોઈએ

  • તમે દલિયા ખાઈ શકો છો.
  • તમે અલગ અલગ પ્રકારની દાળ ખાઈ શકો છો.
  • તમે પોતાને ડાયટમાં લીલા શાકભાજી નું સેવન કરી શકો છો.
  • તમે દુધીનું જ્યુસ પણ લઈ શકો છો.
  • તમે સુપ, ફળ અને સલાડ પણ ખાઈ શકો છો.
  • તમે ફાઇબર ફુડ પણ ખાઈ શકો છો.

શું ન ખાવું જોઈએ

  • તમારે ઘઉં અને ચોખા ઓછા ખાવા જોઈએ.
  • તમારે ફાસ્ટ ફુડ બિલકુલ પણ ખાવું જોઈએ નહીં.
  • તમારે ખાંડ અને મીઠાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
  • તમારે ચા બિલકુલ પણ પીવી જોઈએ નહીં.
  • બની શકે એટલું તળેલી ચીજોથી દુર રહો.
  • બિનજરૂરી દવાઓનું સેવન ન કરો.
  • ઓછા મસાલાવાળા ભોજનનું સેવન કરો.

તમારે સવારે ઊઠીને સૌથી પહેલા સાદા પાણીને નોર્મલ ગરમ કરીને તેને ધીમે-ધીમે પીવું જોઈએ. આ આદતને તમારે દરરોજ અપનાવી જોઈએ. સવારના સમયે વજન ઘટાડવા માટેના યોગ કરવા જોઈએ, જેમાં મુખ્ય રોગથી કપાલભાતિ અને અનુલોમ વિલોમ તથા વજ્રાસન કરવું જોઈએ, જે તમારે ભોજન કર્યા બાદ કરવાનું રહેશે. તમે ઈચ્છો તો સુર્ય નમસ્કાર પણ કરી શકો છો.

સાધારણ રીતે માર્કેટમાં મળવા વાળી દુધીનો જ્યુસ કોઈ જ્યુસર દ્વારા કાઢી લેવું. પરંતુ જો તમારી પાસે જ્યુસર નથી તો તમારે દુધીને કોઈ વાસણમાં નાખીને પીસી લેવી અને ત્યારબાદ સાદા કપડા ઉપર રાખીને તેનો રસ નીચોવી લેવો. જેનું તમારે ઓછામાં ઓછું એક ગ્લાસ જ્યુસ પીવાનું રહેશે, જે તમારી ઇમ્યુનિટીને વધારશે.

તમારે બપોરના ભોજનમાં દલિયો, દાળ અને લીલા શાકભાજી લઈ શકો છો. તમે પોતાના ભોજનમાં સલાડ અને શાકભાજીના સુપને પણ જગ્યા આપી શકો છો. ભોજનથી તમારે પોતાના પેટને ૬૦% જ ભરવાનું રહેશે અને થોડું ખાલી રહેવા દેવું. ભોજન કર્યા બાદ બેસવું અથવા સુઈ જવું નહીં, પરંતુ થોડું ચાલવું જોઈએ. વધારે નહીં તો ઓછામાં ઓછા ૫૦ પગલાં જરૂરથી ચાલો. બપોર બાદ તમારે વધારે કંઈક ખાવું જોઈએ નહીં. તમે એક ગ્લાસ નોર્મલ જ્યુસ અથવા ફળ ખાઈ શકો છો, પરંતુ વારંવાર લેવું નહીં. કારણ કે જ્યારે આપણે વારંવાર ભોજન કરીએ છીએ તો ભોજન આપણા શરીરમાં વધારે કેલરી આપે છે, જેના લીધે આપણું વજન વધવા લાગે છે.

સાંજના સમયે બની શકે એટલું ઓછું ભોજન કરવું જોઈએ. કારણ કે સાંજના સમયે વધારે પડતું ભોજન કરવાથી વજન તુરંત વધવા લાગે છે. સવારના સમયે ભોજન કર્યા બાદ આપણે પોતાની જરૂરિયાતો અનુસાર થોડું ઘણું ચાલી લેતા હોઈએ છીએ. પરંતુ સાંજના સમયે ભોજન કર્યા બાદ સુઈ જઈએ છીએ, જે નુકસાનદાયક હોય છે. બની શકે તો સાંજે ભોજન કર્યા બાદ થોડું ચાલવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *