એક સમયે એમએસ ધોનીની ગર્લફ્રેન્ડ હતી આ ગ્લેમરસ એક્ટ્રેસ, હવે કરવા જઈ રહી છે લગ્ન

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના શાનદાર પ્રદર્શન માટે દુનિયાભરમાં ફેમસ છે. ધોની ની ફેન ફોલોઈંગ વધારે છે. તેમના ફેન્સ ફક્ત ક્રિકેટ સાથે જોડાયેલા નિર્ણય જ નહીં, પરંતુ ધોનીની પર્સનલ લાઇફ વિશે પણ જાણવા માટે ઉત્સુક રહે છે. હવે હાલમાં જ ધોનીની એક ગર્લફ્રેન્ડ રાય લક્ષ્મી એ સોશિયલ મિડીયા પર પોતાના લગ્નણું એલાન કર્યું છે. ત્યાર બાદથી લોકો જાણવા માટે આતુર છે કે રાય લક્ષ્મીનું દિલ કોના પર ફીદા થયેલું છે.

એક્ટ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર સગાઈ નું એલાન કરતાં જણાવવામાં આવ્યું હતું કે તે ખૂબ જ જલ્દી પોતાના પાર્ટનરની સાથે લગ્નના બંધનમાં બંધાઈ જવાની છે. રાય લક્ષ્મી દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર યુઝર્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને અઢળક અભિનંદન આવી રહ્યા છે.

ધોનીની એકસ ગર્લફ્રેન્ડની સગાઈ

હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર સતત ચર્ચામાં રહેલી રાય લક્ષ્મી એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ લખેલી છે, જેમાં તેણે લખ્યું છે કે પાછલા ઘણા સમયથી લોકો મને સવાલ પૂછી રહ્યા છે, એટલા માટે હું તેનો જવાબ આપી રહી છું. પહેલી વાત તો એ છે કે મેં પોતાનો સંબંધ કોઈનાથી છૂપાવીને રાખ્યો નથી. મને લાગે છે કે તેનાથી કોઇને મતલબ હોવો જોઈએ નહીં કે મારી લાઈફ માં શું ચાલી રહ્યું છે. તેની સાથોસાથ હું પ્રાઇવેસી ઇચ્છું છું.

જી હાં, અમે લોકોએ અમુક નજીકના મિત્રોને આમંત્રણ મોકલ્યું છે. હું ૨૭ એપ્રિલ, ૨૦૨૧નાં દિવસે સગાઈ કરી રહી છું. આ બધું અચાનક થયેલું છે. પરંતુ મારો પરિવાર ખુશ છે. તે વ્યક્તિની થવા માટે તૈયાર છું, જેની સાથે મારે સમગ્ર જીવન પસાર કરવાનું છે.

જણાવી દઈએ કે જ્યારે ધોની ની કારકિર્દીની શરૂઆત થઈ હતી, ત્યારે રાય લક્ષ્મી સાથે તેમનું નામ જોડવામાં આવ્યું હતું. બંનેના અફેરના સમાચારો પણ ખૂબ જ જોરમાં હતા. જોકે બાદમાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને ધોનીએ સાક્ષી સાથે લગ્ન કરી લીધા હતા. વળી બંને માંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે સ્પષ્ટપણે જણાવ્યું નથી. પરંતુ રાય લક્ષ્મી આ બાબત પર એક વખત પોતાનું મૌન તોડી ચૂકી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટનું માનવામાં આવે તો રાય લક્ષ્મી વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે ધોની સાથેના પોતાના સંબંધોને ભૂલ ગણાવી હતી.

ત્યારે એક્ટ્રેસે કહ્યું હતું કે આ બાબતમાં હવે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ. હવે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેની એક બાળકી પણ છે. એક્ટ્રેસનું કહેવું હતું કે તમે જે વ્યક્તિ સાથે આજે મળો છો, તેની સાથે અમુક દિવસો બાદ સંબંધ તૂટી જાય છે. એજ જીવનની રીત છે. જ્યારે ચીજો યોગ્ય રીતે ચાલતી નથી, તો તમારે આગળ વધવું જોઈએ. હાલમાં એક્ટ્રેસનાં ફેન્સ તેના નવા જીવનની સુંદર શરૂઆત માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.