એકબીજાને સમજી લીધા બાદ કરી પસંદગી, લગ્ન પહેલા લિવ ઇનમાં રહી ચૂક્યા છે બોલીવુડનાં આ મશહુર એક્ટર

Posted by

પહેલાના સમયમાં લોકો લગ્ન કરતાં પહેલાં એકબીજાનો ચહેરો પણ જોઈ શકતા ન હતા અને આજે એકબીજાને સારી રીતે સમજી લીધા બાદ જ લગ્ન કરે છે. એકબીજાને યોગ્ય રીતે સમજવા માટે ઘણાં કપલ્સ લીવ-ઈનમાં રહે છે. ભારતીય કાનૂન પણ લિવ ઇન રિલેશનશિપને પરવાનગી આપે છે. કાયદા અનુસાર લીવ-ઈનમાં રહેવા માટે યુવકની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ. તેમાં આજના સમયમાં ઘણા લોકો એવા પણ છે જે લીવ-ઈનમાં રહે છે. એટલું જ નહીં ઘણા બોલિવૂડ સેલિબ્રિટી પણ લગ્ન કરતા પહેલા લીવ-ઈનમાં રહી ચૂક્યા છે. તો આ આર્ટિક્લમાં અમે તમને તે બોલીવુડ સિતારાઓ વિશે જણાવીશું જે લગ્ન પહેલા લીવ ઇનમાં રહી ચૂક્યા છે.

સૈફ અલી ખાન – કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂરના પ્રેમની શરૂઆત ૨૦૦૮માં ફિલ્મ “ટશન” ની સાથે થઈ હતી. જો કે કરીના અને સૈફ ના લગ્ન વર્ષ ૨૦૧૨માં ગયા હતા. તેવામાં બંને લગ્ન પહેલા એકબીજાને સારી રીતે સમજવા માટે લીવ-ઈનમાં રહેતા હતા. કરિનાએ મીડિયા સામે આ વાત ક્યારેય પણ છુપાવી નહીં કે તે સૈફની સાથે લીવ ઇનમાં રહે છે. આજે બંને બોલીવૂડના બેસ્ટ કપલ માંથી એક માનવામાં આવે છે.

વિરાટ કોહલી – અનુષ્કા શર્મા

બોલિવુડ અને ક્રિકેટ જગતની સૌથી ક્યૂટેસ્ટ જોડી માનવામાં આવતી વિરાટ અને અનુષ્કા પણ લીવ-ઈનમાં રહી ચૂક્યા છે. વિરાટ અને અનુષ્કા એ ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને લિવ ઇનમાં રહેતા હતા અને તેમના અફેરના કિસ્સા પણ ખૂબ જ મશગૂલ હતા.

આમિર ખાન – કિરણ રાવ

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને કિરણ રાવે વર્ષ ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કિરણ અને આમિર ખાન પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જણાવી દઈએ કે કિરણ આમિરની બીજી પત્ની છે. કિરણ સાથે પ્રેમ થયા બાદ જ આમિર ખાને રીનાને છૂટાછેડા આપી દીધા હતા.

કુણાલ ખેમુ – સોહા અલી ખાન

નવાબ સિસ્ટર સોહા અને કુણાલ ખેમુ એ ૨૫ જાન્યુઆરી ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કુણાલ અને સોહા પણ લીવ ઇનમાં રહી ચુક્યા છે. બંનેના રિલેશનશિપના સમાચારો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. બંને એક સાથે ઘણી ફિલ્મો કરી, ત્યારબાદ તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા. જણાવી દઈએ કે સોહા કુણાલ થી પાંચ વર્ષ મોટી છે.

કૃષ્ણા અભિષેક – કાશ્મીરા શાહ

કોમેડિયન અને બોલિવૂડ એક્ટર કૃષ્ણા અને એક્ટ્રેસ કાશ્મીરા શાહ પણ પોતાના લિવ-ઇન રિલેશનશિપને કારણે ખૂબ જ ચર્ચામાં રહેલા હતા. કૃષ્ણા અને કાશ્મીરાએ વર્ષ ૨૦૧૩માં ચોરી-છૂપીથી લગ્ન કરી લીધા હતા અને આ વાતની જાણકારી તેમણે વર્ષ ૨૦૧૪માં આપી હતી. જણાવી દઈએ કે કૃષ્ણા અને કાશ્મીરાને બે બાળકો છે. કૃષ્ણા હાલના દિવસોમાં “ધ કપિલ શર્મા શો” માં લોકોને હસાવી રહ્યા છે.

રાજકુમાર રાવ – પત્રરેખા

ટેલેંટેડ એક્ટર  રાજકુમાર રાવ પણ હાલના દિવસોમાં પોતાની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ પત્રરેખા સાથે લિવ ઇનમાં રહેવાને લઈને ચર્ચામાં રહેલા છે. રાજકુમાર રાવનું નામ અત્યાર સુધી કોઈ અન્ય એક્ટ્રેસ સાથે જોડાયેલ નથી અને તેઓ પત્રરેખાને લઈને ખૂબ જ લોયલ છે. આશા છે કે આવનારા સમયમાં રાજકુમાર અને પત્રરેખા જલ્દી લગ્ન કરી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *