ફક્ત ૧ મહિનામાં તમારી ફાંદ અંદર જતી રહેશે અને વજન ફટાફટ થઈ જશે ઓછું, બસ કરો આ જાદુઇ ડાયટ પ્લાનનું પાલન

વધતું વજન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. પોતાના વજનને નિયંત્રણમાં રાખવા માટે લોકો ખાણીપીણી પર ખૂબ જ ધ્યાન આપે છે. જ્યારે ઘણા લોકો સવારે ભૂખ્યા પેટે મધનું પાણી પીવે છે. દરરોજ સવારે હુંફાળા પાણીમાં મધ મેળવીને પીવાથી વજન વધતું અટકાવી શકાય છે અને આ પાણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

૪૦ વર્ષની ઉંમર બાદ મોટાભાગે મહિલાઓ અને પુરુષોનું વજન એકદમ વધવા લાગે છે અને તેમની ફાંદ બહાર નીકળવા લાગે છે. ઘણા લોકોને તો લાગે છે કે જો તેઓ દરરોજ મધનાં પાણીનું સેવન કરશે તો તેમની ફાંદ જતી રહેશે, જે બિલકુલ ખોટી ધારણા છે. કારણ કે ૪૦ વર્ષ બાદ વજન એટલું સરળતાથી ઓછું કરી શકાતું નથી અને ફાંદ માંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. માત્ર મગનું પાણી પીવાથી શરીર નું વજન ઘટાડવું અશક્ય બની જાય છે.

આવી રીતે વજન ઘટાડો

વધતી ઉંમરની સાથે સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે અને ઘણા લોકોનું વજન વધવા લાગે છે. વજન વધવા પર લોકો તેને નજર અંદાજ ના કરો અને પોતાના વજનને ઓછું કરવાની કોશિશ જરૂર થી કરો. વજન ઓછું કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ડાયટ નિભાવે છે. યોગ્ય ડાયટ લેવાથી વજન ઓછું કરી શકાય છે. એટલા માટે પોતાના ડાયટ પર વિશેષ ધ્યાન આપો અને ફક્ત તે ચીજોનું સેવન કરો, જેનાથી શરીરને ઊર્જા મળે અને વજન ઓછું કરવામાં મદદગાર સાબિત થાય.

વજન ઓછું કરવા માટે અમારા આર્ટિકલમાં નીચે દર્શાવવામાં આવેલી ડાયટ પ્લાનને ફોલો કરો અને નીચે બતાવવામાં આવેલી ચીજોને પોતાની ડાયટમાં સામેલ કરો.

  • દરરોજ સવારે વહેલા ઊઠીને એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ કરી લીધા બાદ ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટી પીવાથી ચરબી ઓછી થાય છે.
  • સવારે દૂધ અને ઈંડાનું સેવન કરો. દૂધને બદલે તમે ઈચ્છો તો એક ગ્લાસ જ્યૂસ પણ પી શકો છો.
  • બપોરના ભોજનમાં તમે ૩ રોટલી, એક વાટકો દાળ અને સલાડનું સેવન કરી શકો છો. તે સિવાય અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં.
  • સાંજના સમયે તમે ચા અને ૨ બિસ્કીટ ખાઈ શકો છો અથવા તો તેના ઓપ્શનમાં તમે ફળનું સેવન પણ કરી શકો છો.
  • રાત્રિના સમયે પોતાના ભોજનમાં દાળ રોટલી અથવા ભાતનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો શાકભાજી અને ચિકનને પણ સામેલ કરી શકો છો.

  • ભોજન કરી લીધા બાદ તુરંત ઊંઘ કરવી જોઈએ નહીં અને ઓછામાં ઓછું ૨૦ મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી જોઈએ. જો તમારાથી એક્સરસાઇઝ નથી થઈ રહી તો તમે યોગ આસન કરી શકો છો અથવા થોડું ચાલી પણ શકો છો. આવું કરવાથી ભોજન યોગ્ય રીતે પચી જાય છે. ડાયટ પ્લાન સિવાય તમારે પોતાની ઉંઘ ઉપર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ અને દિવસમાં ૮ કલાકની ઉંઘ જરૂરથી લેવી જોઈએ.

આ જરૂરી નિયમોનું પાલન

  • જો તમે યોગ્ય રીતે આ બધા નિયમોનું પાલન કરો છો તો પોતાના વજનને ખૂબ જ સરળતાથી ઓછું કરી શકો છો. વજન ઓછું કરવા સાથે જોડાયેલ પહેલા નિયમ અનુસાર તમારે ફક્ત ઓછી કેલરીવાળા ચીજોનું સેવન કરવું જોઈએ.
  • બીજા નિયમ અંતર્ગત તમારે ખૂબ જ એક્સરસાઇઝ કરવી જોઈએ. એક્સરસાઇઝ કરવાથી શરીર હંમેશા એક્ટિવ રહે છે.

  • ત્રીજા નિયમ અનુસાર તમારે પોતાના ભોજનમાં લો કાર્બસ ફૂડનું સેવન કરવું જોઈએ.
  • ચોથા નિયમ અંતર્ગત સવારે દરરોજ ઊઠીને ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવું જોઇએ અથવા તો તેના ઓપ્શનમાં તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો.

આ આર્ટિક્લમાં બતાવવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખવી અને તેનું પાલન અવશ્ય કરવું. અહીંયા બતાવવામાં આવેલ ડાયટ ચાર્ટ અને ફોલો કરવાથી તમે પોતાની ફાંદને દૂર કરી શકશો અને ફક્ત ૪ મહિનાની અંદર પોતાનું વજન ઓછું કરી શકશો.