ફક્ત ૧૧૨ લોકો જ કરી રહ્યા છે આ નોકરી, આ છે દુનિયાની સૌથી ખાસ નોકરી, તમે પણ કરો અને કમાઓ અઢળક રૂપિયા

માનવજીવનમાં કામનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. કોઈપણ પ્રકારના કામ વગર માનવ જીવનની કલ્પના કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિએ જીવન અને સુચારુ રૂપથી ચલાવવા માટે કોઇને કોઇ કામ કરવું જરૂરી હોય છે, પછી તે નોકરી હોય કે કોઈ વ્યાપાર. દરેક વ્યક્તિ પોતાના સ્તર પર કામ કરે છે અને તે પોતાનું તથા પોતાના પરિવારનું પાલન-પોષણ કરે છે.

આજે દુનિયાભરમાં ઘણા પ્રકારના કાર્ય રહેલા છે. જ્યારે જૂના સમયમાં કાર્યની માત્રાઓમાં કમી હતી. આજે લોકોની પાસે અનેક પ્રકારના કાર્ય રહેલા છે. ઘણા કામ તો એવા છે જેના વિશે મોટાભાગના લોકોએ સાંભળ્યું પણ નહીં હોય. આવા જ એક કામ અથવા નોકરી વિશે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.

તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય લાગશે કે દુનિયામાં એક નોકરી અથવા પ્રોફેશન એવું છે જેમાં ફક્ત ૧૧૨ લોકો જ કામ કરે છે. તો ચાલો આ કામ વિશે વિસ્તારથી જાણીએ.

તમને જણાવી દઇએ કે આ કામ છે પાણીનું ટેસ્ટિંગ કરવાનું. તમે ભોજનનાં ટેસ્ટિંગ અથવા તો વાઇનનાં ટેસ્ટિંગના કામ વિશે તો ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ આ તમારા માટે પહેલો અવસર હશે જ્યારે તમે સાંભળ્યું હશે કે પાણીનું ટેસ્ટિંગ જેવું કોઈ કામ દુનિયામાં રહેલું છે. ભારતમાં ફક્ત ગણેશ અય્યર નામનાં વ્યક્તિ આ કાર્ય કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે આગામી પ થી ૧૦ વર્ષની અંદર આ ક્ષેત્રમાં નોકરીનાં સુવર્ણ અવસરો મળશે. જણાવી દઈએ કે આ કામ કરવા વાળાને વોટર ટેસ્ટર કહેવામાં આવે છે.

પાણીના ટેસ્ટિંગમાં હળવા, વુડી, ફ્રુટી વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. ભારતનાં એકમાત્ર પ્રમાણિત વોટર ટેસ્ટર ગણેશ અય્યર જણાવે છે કે તેમના કામ વિશે જાણીને લોકો તેમની ખૂબ જ મજાક ઉડાવે છે અને તેમને વોટર ટેસ્ટર હોવાને કારણે કોઈ ખાસ મહત્વ આપવામાં આવતું નથી.

ગણેશનાં જણાવ્યા અનુસાર તેમણે આ કામ વિશે આજથી ૧૦ વર્ષ પહેલા ૨૦૧૦માં સાંભળ્યું હતું. બાદમાં તેમણે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો અને તેમણે જર્મનીના Doemens Academy In Graefelfing ઇન્સ્ટિટયૂટ થી સર્ટિફિકેટ કોર્સ કર્યો.

આ કામ વિશે વિસ્તારથી જાણકારી આપતા ગણેશ અય્યર આગળ જણાવે છે કે પાણીની અલગ અલગ રીતે ઓળખ હોય છે. ગણેશે આ કામને ખૂબ જ યુનિક જણાવ્યું છે અને કહ્યું છે કે પાણીના ફાયદા પણ અલગ છે. તેના ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જણાવી દઈએ કે આજે ગણેશ અય્યર આ કામ બેવરેજ કંપની Veen માં ભારત અને ભારતીય ઉપમહાદ્વીપનાં ઓપરેશન નિર્દેશકના રૂપમાં કરી રહ્યા છે.