ધનતેરસ પર ગરીબી દુર કરવા માટેનું સૌથી મોટું મુહુર્ત, ફક્ત ૫ રૂપિયાનાં આ ઉપાયથી પ્રસન્ન થશે માં લક્ષ્મી

હિન્દુઓનો અને ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. આ તહેવાર દેશના ખુણેખુણામાં ધામધુમથી ઉજવવામાં આવે છે. રોશની થી ભરેલો આ તહેવાર સનાતન ધર્મ માટે શરૂઆતથી ખાસ રહેલ છે. સનાતન ધર્મમાં શરૂઆતથી આ તહેવારને ખાસ મહત્ત્વ આપવામાં આવેલ છે. દિવાળી એક-બે નહીં, પરંતુ પાંચ દિવસનો તહેવાર હોય છે. ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જાય છે. ધનતેરસ આ તહેવારમાં સૌથી મહત્વપુર્ણ માનવામાં આવે છે. ધનતેરસ નો તહેવાર કાર્તિક કૃષ્ણ ત્રીજ નાં રોજ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ નો તહેવાર ૨ નવેમ્બર, ૨૦૨૧ મંગળવારના રોજ આવે છે.

ધનતેરસને ધન સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની વિશેષરૂપથી પુજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્રમંથન દરમિયાન કાર્તિક ત્રીજ નાં રોજ ભગવાન ધન્વંતરિ હાથમાં કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા.

એટલા માટે આ દિવસે આભુષણ, વાસણ, વાહન વગેરે ખરીદવુ ખુબ જ શુભ માનવામાં આવે છે. તેવામાં આજે અમે તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશું, જેને ધનતેરસના દિવસે કરવાથી ઘરમાં ક્યારેય પણ કોઈ ચીજની કમી રહેતી નથી.

માં લક્ષ્મીને ભોગ લગાવવાનું ભુલવું નહીં

હિન્દુ ધર્મમાં દરેક તહેવાર પર પતાસા નો ઉપયોગ પ્રસાદનાં રૂપમાં કરવામાં આવે છે. એટલા માટે આ દિવસે માં લક્ષ્મીને પતાસા નો ભોગ લગાવવો જોઈએ, તેનાથી તમારી ઉપર મા લક્ષ્મીની હંમેશા કૃપા જળવાઈ રહેશે.

ઘરની તિજોરી પર ઘુવડ ની તસ્વીર લગાવો

દેવી લક્ષ્મીનું વાહન ધુવડ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. તેવામાં ઘરમાં જે જગ્યા પર તમે પૈસા રાખો છો, તે સ્થાન પર ધનતેરસ વાળા દિવસે ઘુવડની તસ્વીર લગાવો. તેનાથી ઘરમાં આવે છે.

આખા ધાણા ની કમાલ

ધનતેરસના દિવસે પાંચ રૂપિયાના આખા દાણા લો અને માં લક્ષ્મી અને ભગવાન ધનવંતરિની સામે રાખી દો. ભગવાનની સામે પોતાની મનોકામના જણાવ્યા બાદ તેને માટીમાં દાટી દો. તે ધાણાને તિજોરીમાં પણ રાખી દો.

દિવા નો લાભ

જો તમે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો અને કરજ માં ડુબેલા છો તો ધનતેરસના દિવસે પાંચ રૂપિયાનો દીવો ખરીદીને લાવો અને ઘરની બહાર દીપમાળા બનાવીને પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પુરી થશે.