ગમે એટલું જરૂરી હોય તો પણ રાતે સુતા સમયે આ ૧ ચીજ ભુલથી પણ પોતાની પાસે રાખવી જોઈએ નહીં, પરિવાર બરબાદ થઈ જાય છે

આપણી આસપાસ એવી ઘણી ચીજો હોય છે જે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી હોય છે અને તેનો આપણા વાસ્તવિક જીવન સાથે પણ મોટો સંબંધ હોય છે. લોકો ઘણી વખત ઘરમાં ચીજોને રાખતા સમયે વાસ્તુશાસ્ત્રની દિશાઓનું ધ્યાન રાખે છે અને એવી માન્યતા છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવેલી ચીજો જીવનમાં મધુરતા લાવે છે. વળી ઘણી વખત વાસ્તુશાસ્ત્રનો યોગ્ય રીતે ધ્યાન ન રાખવાને લીધે પણ જીવનમાં પરેશાનીઓ વધવા લાગે છે. તેવામાં સુતા સમયે પણ વાસ્તુશાસ્ત્રની અમુક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે.

ઘણી વખત સુતા સમયે પણ આપણે એવી ભુલો કરીએ છીએ, જે ઘર માટે વાસ્તુદોષનું કારણ બને છે. વાસ્તુદોષને કારણે જ જીવનમાં પરેશાની આવે છે અને જીવનમાં સફળતા મળતી નથી. એટલું જ નહીં અમુક એવી ભુલો પણ હોય છે જે તમને આર્થિક રૂપથી કમજોર કરી શકે છે. ઘણી વખત આપણે સુતા સમયે પોતાના બેડના ઓશિકા ની નજીક અમુક એવી ચીજો રાખતા હોઈએ છીએ, જે આપણા ભાગ્ય અને ભવિષ્ય માટે શુભ માનવામાં આવતી નથી. તો ચાલો વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણીએ કે સુતા સમયે ઓશિકા પાસે કઈ ચીજો રાખવી જોઈએ નહીં.

લોકોની એક સામાન્ય આદત હોય છે કે તેઓ પથારીની આસપાસ પૈસા અથવા પર્સ રાખતા હોય છે. પરંતુ પૈસાને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એટલા માટે ધન સાથે જોડાયેલ કોઈ પણ વસ્તુ પોતાના ઓશિકાની નજીક રાખીને સુવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે પૈસા ને પથારીમાં રાખવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે અને કારણ વગર ધનહાની થવા લાગે છે.

સુતા સમયે ક્યારેય પણ ઓશિકા પર અથવા તો તેની નજીક દવા રાખવી જોઈએ નહીં. કારણ કે તે જીવનમાં વાસ્તુદોષનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો સુતા સમયે તમે દવાઓ પોતાના બેડ અથવા તો ઓશિકા પર રાખો છો તો તેનાથી તમારા જીવનમાં બીમારીઓને આમંત્રણ મળે છે.

ઘણી વખત લોકો પુસ્તકો વાંચતા સમયે સુઈ જાય છે અને તેને પોતાના કોશિકા અથવા તો પથારીમાં રાખી દેતા હોય છે. પરંતુ આવું કરવું નકારાત્મકતાનું કારણ બની શકે છે. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માં સરસ્વતીનું અપમાન થાય છે તથા આવું કરવાથી તમને કારકિર્દીમાં પણ અડચણ ઊભી થવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ બુટ ચપ્પલ ને ઓશિકા ની નજીક રાખવા જોઈએ નહીં. બુટ ચપ્પલ બહારથી આવે છે અને જો તમે તેને પોતાની પથારી ની નજીક અથવા તેની આસપાસ રાખો છો તો તે નકારાત્મક ઊર્જાનું કારણ બની શકે છે. તે તમારી ઊંઘને પ્રભાવિત કરે છે અને આર્થિક પરેશાની નું પણ કારણ બની શકે છે.

રાત્રે સુતા સમયે ક્યારેય પણ ઇલેક્ટ્રોનિક સામાન પથારી ઉપર રાખવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે તેમાંથી નીકળતા વિકિરણ તમારા માટે નકારાત્મક ઊર્જાનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી.

હિન્દુ ધર્મમાં સોના ચાંદીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પુજા પણ કરવામાં આવે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ આ સામગ્રીઓને પોતાના ઓશિકા નજીક રાખવી જોઈએ નહીં. તે તમારા માટે નકારાત્મક પ્રભાવ પાડે છે અને પ્રગતિમાં અડચણ ઊભી કરે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર અહીંયા જણાવવામાં આવેલી ચીજોને ભુલથી પણ ઓશિકા પર અથવા તો તેની આસપાસ ન રાખવી જોઈએ. કારણ કે તે તમારા જીવનમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે. જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તેને શેર કરવાનું ભુલતા નહીં.