ઘરમાં કોઈનાં મૃત્યુ બાદ ચુલો શા માટે પ્રગટાવવામાં નથી આવતો? ગરુડ પુરાણમાં જણાવેલ છે અગત્યનું કારણ, જરૂર જાણી લેજો

ગરુડ પુરાણમાં એવી ઘણી વાતો જણાવવામાં આવેલ છે, જેનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. હિન્દુ ધર્મ શાસ્ત્ર મૃત્યુ વિશે વિસ્તારપુર્વક જણાવે છે. દરેક ધર્મમાં મૃત્યુ બાદ અમુક નિયમ અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. હિન્દુ ધર્મ માટે ગરુડ પુરાણમાં પણ અમુક એવા નિયમ બતાવવામાં આવેલ છે, જેનું પાલન કરવાથી દિવંગત વ્યક્તિની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. આવો જ એક નિયમ છે જેના અનુસાર ઘરમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ ચુલો પ્રગટાવવામાં આવતો નથી અને ભોજન બનાવવામાં આવતું નથી. સાથોસાથ મૃતકના પરિવાર અંતિમ સંસ્કારથી લઈને તેરમાં સુધી આવી ઘણી પરંપરાઓનું પાલન કરે છે.

ગરુડ પુરાણ અનુસાર જ્યારે પણ ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તે ઘરમાં અંતિમ સંસ્કાર ક્રિયા થવા સુધી ચુલો પ્રગટાવો જોઈએ નહીં. કહેવામાં આવે છે કે અંતિમ સંસ્કાર ક્રિયા બાદ ઘરમાં ચુલો પ્રગટાવો જોઈએ નહીં અને ભોજન બનાવવું જોઈએ નહીં.

૧૬ સંસ્કારોમાંથી અંતિમ સંસ્કાર છે મૃત્યુ

હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારોનો ઉલ્લેખ છે. જેમાં ગર્ભ સંસ્કારથી લઈને મૃત્યુ બાદ કરવામાં આવતા અંતિમ સંસ્કાર (૧૬માં સંસ્કાર) સુધી સામેલ છે. ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કાર અને મૃત્યુ બાદ આત્માના સફર વિશે પણ જણાવવામાં આવેલ છે. એટલા માટે ઘરમાં કોઈના મૃત્યુ થયા બાદ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે.

આ કારણને લીધે મૃત્યુ બાદ ઘરમાં ચુલો પ્રગટાવવામાં આવતો નથી

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પરિવારમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તો તેના અંતિમ સંસ્કાર થવા સુધી ઘરમાં ચુલો પ્રગટાવો જોઈએ નહીં. અંતિમ સંસ્કાર બાદ જ્યારે સમગ્ર પરિવાર સ્નાન કરી લે ત્યારબાદ જ ભોજન બનાવવું જોઈએ. ઘણા ઘરમાં તો ૩ દિવસ બાદ ઘરની સફાઈ થાય ત્યાં સુધી ઘરમાં ભોજન ન બનાવવાની પરંપરા છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ જવાબદાર છે.

ગરુડ પુરાણ અનુસાર જ્યાં સુધી વ્યક્તિના અંતિમ સંસ્કાર થતા નથી ત્યાં સુધી તે વ્યક્તિ પોતાના પરિવાર અને સંસારના મોહમાં પડેલો રહેશે. તેવામાં મૃતક પ્રત્યે સન્માન બતાવવા માટે ઘરમાં ભોજન બનાવવું જોઈએ નહીં અને ભોજન કરવું જોઈએ નહીં.

સંક્રમણ થી થાય છે બચાવ

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મૃતકના શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તેવામાં ઘરમાં જ્યારે શબ રાખવામાં આવે છે તો આ દરમિયાન ઘરના લોકો દ્વારા ભોજન બનાવવાથી સંક્રમણ ફેલાવવાની સંભાવના વધારે રહે છે. એટલા માટે અંતિમ સંસ્કાર બાદ સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેરીને ભોજન બનાવવું જોઈએ અને ભોજન કરવું જોઈએ.