આ દિશામાં કાચબો રાખવાથી ઘરમાં પૈસાની આવક અટકવાનું નામ નહીં લે, આવશે અઢળક પૈસા

આજના જમાનામાં વ્યક્તિ પાસે દુઃખોની કમી હોતી નથી. દરેકનાં જીવનમાં કોઇને કોઇ પરેશાની જરૂર હોય છે. ઘણી વખત આ સમસ્યાઓ આપણી આસપાસ રહેલી આ નેગેટિવ એનર્જીને કારણે ઉત્પન્ન થતી હોય છે. તેવામાં ફેંગશુઈની સહાયતાથી તમે પોતાની આસપાસ રહેલા નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકો છો. ફેંગશુઈમાં ઘરની અંદર કાચબાને રાખવાનું મહત્વ ખુબ જ જણાવવામાં આવે છે. તમારે કયા પ્રકારનો લાભ જોઈએ છીએ, તેના અનુસાર કાચબાને યોગ્ય દિશામાં રાખવો જોઈએ. આ કાચબો તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સક્ષમ હોય છે. તો ચાલો તેની સાથે જોડાયેલા નિયમ અને લાભ ઉપર એક નજર કરીએ.

જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યા છો તો પોતાના ઘર અથવા ઓફિસની ઉત્તર દિશામાં કાચબો રાખવો અશુભ માનવામાં આવે છે. તેનું કારણ છે કે ઉત્તર દિશા માં લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. આ દિશામાં જેટલી વધારે પોઝિટિવ એનર્જી હોય છે, માં લક્ષ્મી એટલી જ વધારે જલ્દી તમારા ઘરે પધારશે. આ કાચબો તમારા ઘર અથવા ઓફિસની ઉત્તર દિશાને સકારાત્મક કરવામાં મદદ કરે છે. ધન લાભ સિવાય તેનાથી શત્રુઓની બધી યોજનાઓ પણ અસફળ બની જાય છે.

જો તમને સંતાન સુખ નથી મળી રહ્યું તો ઘરમાં એવા કાચબાને રાખો જેની પીઠ ઉપર એક બાળક કાચબો બેસેલો હોય, તે તમારા ઘરમાં ગુડ લઈને આવશે. તેનાથી નિ:સંતાન લોકોના ઘરમાં ખુબ જ જલ્દી બાળકોની કિલકારીઓ ગુંજવા લાગશે. તે સિવાય જેમના બાળકો દુઃખ આપે છે અથવા માતા-પિતાનું સાંભળતા નથી તેમને પણ લાભ થાય છે.

કાચબો એક શાંત જીવ છે, તેને ઘરમાં રાખવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તે ઘરમાં રહેવા વાળા લોકોની ઉંમર વધારે છે, તેનાથી ઘરમાં લડાઈ-ઝઘડા ઓછા થાય છે. ઘર અથવા ઓફિસના વાતાવરણને પોઝિટિવ રાખવા માંગો છો તો કાચબો ખુબ જ સારો આઇડિયા સાબિત થશે.

જો તમે પોતાના વેપારમાં ખુબ જ ફાયદો મેળવવા માંગો છો તો દુકાન અથવા ઓફિસની ઉત્તર દિશા કાળા રંગના કાચબાને રાખવો ખુબ જ શુભ હોય છે. અભ્યાસ અથવા નોકરી કરતા લોકો પણ તેને રૂમની ઉત્તર દિશામાં રાખીને પ્રગતિનો લાભ ઉઠાવી શકે છે, તેનાથી તમારી કારકિર્દી અથવા વેપાર સાથે સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થઈ જશે.

જે લોકોને રોજગાર નથી મળી રહ્યો, તેમણે પોતાના ઘરમાં અસલી કાચબો પાળવો જોઈએ. જો તમે અસલી કાચબો ન પાળી શકો તો પિત્તળનો કાચબો પણ રાખી શકો છો. બાળકોનાં સ્ટડી રૂમમાં પણ કાચબો રાખવો ખુબ જ ફાયદાકારક હોય છે, તેનાથી બાળકોનું માઈન્ડ ખુબ જ તેજ ચાલે છે અને અભ્યાસમાં રૂચિ જળવાઇ રહે છે.

કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા તે જગ્યા પર ચાંદીનાં કાચબાની સ્થાપના કરવી ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરી રહ્યા છો અથવા તો નવા ઘરમાં રહેવા માટે જઈ રહ્યા છો અથવા લગ્ન કરી રહ્યાં છો તો આ બધા કામમાં ચાંદીનો કાચબો તમારી કિસ્મત ચમકાવી શકે છે.

ઘરનાં હોલમાં કાચબો રાખવાથી પરિવારનું વાતાવરણ પોઝિટિવ જળવાઈ રહે છે, તેનાથી ઘરમાં ક્યારેય પણ વાદ-વિવાદ થતા નથી અને હંમેશા શાંતિ જળવાઈ રહે છે.