ગુલાબ જાંબુ માં ગુલાબ પણ નથી અને જાંબુ પણ નથી, તેમ છતાં પણ આ મીઠાઇનું નામ આવું કેમ? તમે ખાવા-પીવાનાં ભલે શોખીન હોય પણ કારણ નહીં જાણતા હોય

આજે અમે તમને ભારતીય ખાણીપીણી સાથે જોડાયેલ એક એવું રહસ્ય જણાવવાના છીએ, જે તમને બિલકુલ થી જાણ નહીં હોય. ભારતમાં ખાણી-પીણીની બાબતમાં ઘણા લોકો ઉસ્તાદ છે, પરંતુ તેમને પણ આ વાતનો જવાબ ખ્યાલ નહીં હોય કે આખરે ગુલાબ જાંબુ ને ગુલાબ જાંબુ શા માટે કહેવામાં આવે છે? ગુલાબ જાંબુમાં જાંબુ નથી અને ગુલાબ પણ નથી, તેમ છતાં પણ તેને ગુલાબ જાંબુ નું નામ શા માટે આપવામાં આવેલ છે?

હકીકતમાં વાત એ છે કે આ ડિશ પર્શિયાથી આવેલી છે અને પર્શિયા માં ગુલાબ જાંબુ ની જેમ જ વધુ એક મીઠાઇ તૈયાર કરવામાં આવે છે, જેને લોકમત અલ-કાદી કહેવામાં આવે છે. આ જાણકારી ઇતિહાસવિદ્ માઇકલ ક્રાંજલે જણાવેલ છે.

ગુલાબ બે શબ્દો ને મિક્સ કરીને બનાવવામાં આવેલ છે. “ગુલ” એટલે કે ફુલ અને “આબ” એટલે કે પાણી. એટલે કે સુગંધવાળું મીઠું પાણી. તેમાં જ્યારે ચાસણી તૈયાર કરવામાં આવે છે, તો તેમાંથી સુગંધ આવે છે અને તે પાણી મીઠું થઇ જાય છે. જેના કારણે તેને ગુલાબ કહેવામાં આવે છે. વળી તેને કથ્થાઈ રંગ આપવા માટે તળવામાં આવે છે, જેના લીધે તેની તુલના જાંબુ સાથે કરવામાં આવે છે.

લોકોનું માનવું છે કે સૌથી પહેલા આ મીઠાઈ તુર્કીમાં તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ તુર્કીનાં લોકો તેને ભારતમાં લઈને આવ્યા અને મોગલ સમ્રાટ શાહજહાં નાં દરબારમાં તેને તૈયાર કરવામાં આવેલ. તેવામાં ભારતનાં લોકોને મીઠાઈને ખુબ જ પસંદ કરવામાં આવેલ અને આજના સમયમાં તે ખાણી-પીણીનો એક મહત્વનો હિસ્સો બની ગયેલ છે.

ફેમસ ઇતિહાસ વાદી માઇકલ ક્રાંજલ નું કહેવું છે કે આ ડિશ પર્શિયાથી નીકળીને આવી છે. ગુલાબ જાંબુ ની સાથે સાથે લોકમાન અલ-કાદી પણ એક એવી મીઠાઈ છે, જે ચાસણી માંથી તૈયાર કરવામાં આવે છે. બંને નો સ્વાદ એક જ જેવો હોય છે. જણાવી દઈએ કે ભારતનાં પશ્ચિમ બંગાળમાં તેને “પંટુઆ” નામથી ઓળખવામાં આવે છે. વળી અમુક લોકો “ગોલપ જૈમ” અને “કાળો જૈમ” કહીને પણ બોલાવે છે.

ભારતમાં અલગ-અલગ જગ્યા પર તેના અલગ અલગ નામ આપવામાં આવેલ છે. કોઈ જગ્યાએ સ્વાદ અનુસાર તેને “કટંગી” પણ કહેવામાં આવે છે, તો મીઠાવાળા ભાઈઓ તેને રસગુલ્લા પણ કહે છે. અમુક ગુલાબજાંબુ આકારમાં મોટા હોય છે તો અમુક નાના હોય છે. એટલું જ નહીં પરંતુ રાજસ્થાનમાં તો ગુલાબ જાંબુ નું શાક બનાવવામાં આવે છે.