શું તમે જાણો છો કે હનુમાનજી ની ઊડવાની ઝડપ કેટલી હતી? જાણી લેશો તો હનુમાનજીની શક્તિઓનો ખ્યાલ આવી જશે

હનુમાનજી આ કળિયુગમાં સૌથી વધારે જાગ્રત અને સાક્ષાત દેવતા છે. કળયુગમાં હનુમાનજી ની ભક્તિથી જ લોકો દુઃખને સંકટમાંથી બચવા માટે સક્ષમ છે. હનુમાનજી ૪ કારણોથી બધા દેવી-દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પહેલા કે તેઓ રીયલ સુપરમેન છે, બીજું કે તેઓ પાવરફુલ હોવા છતાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે, ત્રીજુ કે તેઓ પોતાના ભક્તોની સહાયતા તુરંત કરે છે અને ચોથું કે આજે પણ તેઓ શરીર પૃથ્વી પર સશરીર હાજર છે. આ બ્રહ્માંડમાં ઈશ્વર બાદ જો કોઈ શક્તિ હોય તો તે હનુમાનજી છે. હનુમાનજી વિશે આપણે ઘણી બધી કહાનીઓ સાંભળવી છે.

એક સમયે જ્યારે મેઘનાથ નાં તીર થી લક્ષ્મણજી બેભાન થઈ ગયા હતા. ત્યારે સુષેણ વૈધ નાં કહેવાથી હનુમાનજી હિમાલય પર તેમના માટે જડીબુટ્ટીઓ લેવા માટે ગયા હતા. પરંતુ ખુબ જ ઓછા લોકોને તેની જાણકારી હશે કે લંકા થી હિમાલય નું અંતર કેટલું છે અને કેટલા સમયની અંદર હનુમાનજી જડીબુટ્ટી લઈને પરત આવી ગયા હતા. તેના પરથી હનુમાનજીની ઉડવાની ગતિને પણ જાણી શકાય છે.

હનુમાનજીની ઉડવાની ગતિ કેટલી હતી?

ચાલો આજે અમે તમને જણાવીએ કે હનુમાનજીના ઉડવાની ગતિ કેટલી હશે. તેનો અંદાજ જો તમે તે વાત પરથી લગાવી શકો છો કે ૯:૦૦ થી લઈને ૧૨:૦૦ વાગ્યા સુધી લક્ષ્મણજી તથા મેઘનાથ નુ યુદ્ધ થયું હતું. મેઘના દ્વારા ચલાવવામાં આવેલા તીરથી લક્ષ્મણજી ને નુકસાન થયું હતું અને અંદાજે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ તેઓ બેભાન થઈ ગયા હતા.

જ્યારે રામજીને લક્ષ્મણજીના બેભાન થવાની જાણકારી મળી તો તેઓ દુઃખી થયા અને બાદમાં થયેલી ચર્ચા પરથી વિભીષણના કહેવાથી હનુમાનજી સુષેણ વૈદ્યને લંકા થી લઈને આવ્યા, જેમાં ૧ કલાકનો સમય પસાર થયો એટલે કે અંદાજે ૧:૦૦ વાગ્યાનો સમય થયો હશે.

સુષેણ વૈદ્ય દ્વારા લક્ષ્મણજી ની તપાસ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હિમાલયની પાસે દ્રોણાગિરિ પર્વત પર આ ૪ ઔષધિઓ મળશે, જેને સૂર્યોદય પહેલા એટલે કે ૫:૦૦ વાગ્યા પહેલા લઈને આવવાનું રહેશે. તેના માટે રાત્રે હનુમાનજી ૧:૩૦ વાગ્યે હિમાલય તરફ રવાના થયા હશે.

હનુમાનજી ને ૨,૫૦૦ કિલોમીટર દુર હિમાલયનાં દ્રોણાગિરિ પર્વત પરથી તે ઔષધિ લઈને આવવાનું હતું, તેના માટે તેમને સાડા ત્રણ કલાકનો સમય મળ્યો હતો. તેમાંથી પણ અડધો કલાકનો સમય ઔષધી શોધવામાં લાગ્યો હશે. અડધો કલાકનો સમય કાલનેમિ નામનાં રાક્ષસ કે જેણે તેમને પ્રભાવિત કર્યા હતા, તેમાં પસાર થયો હશે અને અડધો કલાકનો સમય ભારતીજી દ્વારા તેમને નીચે પાડવામાં અને પરત મોકલવામાં થયો હશે. મતલબ કે આવવા-જવા માટે તેમની પાસે માત્ર ૨ કલાકનો સમય બચ્યો હશે.

માત્ર ૨ કલાકમાં હનુમાનજી દ્રોણાગિરિ પર્વત હિમાલય પર જઈને ભરત ૫,૦૦૦ કિલોમીટરની યાત્રા કરીને આવ્યા હતા. એટલે કે તેમની ઉડવાની ઝડપ ૨,૫૦૦ કિલોમીટર પ્રતિ કલાક રહી હશે.

આજનાં આધુનિક વિમાનની ગતિ ૨,૪૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે, તો હનુમાનજી મહારાજ તેનાથી પણ તીવ્ર ઝડપ થી જઈને માર્ગની અંદર ૩-૩ અવરોધોને દુર કરીને પરત સુર્યોદય પહેલા આવી ગયા હતા. આ બધું તેમની વિલક્ષણ શક્તિઓને કારણે સંભવ થયું હતું. આ ઘટના પરથી તમે હનુમાનજીની શક્તિઓનો અંદાજ લગાવી શકો છો.

બોલો હનુમાનજી મહારાજની જય