હનીમુન ઉપર થી પરત ફર્યા કિયારા-સિધ્ધાર્થ, એરપોર્ટ ઉપર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું કપલ

Posted by

કિયારા અડવાણીએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ રાજસ્થાન મા એક રોયલ વેડિંગ કરેલા હતા, જેની તસ્વીરો હજુ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ અને કિયારા એ લગ્નને ખુબ જ પ્રાઈવેટ રીતે કરેલા હતા, પરંતુ ત્યારબાદ કપલ દ્વારા બે રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેમના પરિવાર અને ઇન્ડસ્ટ્રીના તમામ સિતારાઓ હાજર રહ્યા હતા.

થોડા સમય પહેલા આ નવપરણિત કપલને એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવેલ અને ફોટોગ્રાફર તથા મીડિયા રિપોર્ટનો માનવામાં આવે તો આ કપલ પોતાના હનીમુન ઉપરથી પરત આવી રહ્યું હતું.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન બાદથી જ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. બંને પાસે હનીમુન માટે પણ સમય હતો નહીં. સિદ્ધાર્થ જ્યાં શશાંક ખેતાનની ફિલ્મ “યોદ્ધા” માં વ્યસ્ત હતા, તો વળી કિયારા પણ પોતાના વર્ક કમિટમેન્ટ્સ પુરા કરી રહી હતી. જેના લીધે બંનેએ લગ્ન બાદ તુરંત હનીમુનને પોસ્ટપોન્ડ કરી દીધું હતું.

પરંતુ હાલમાં જ બંને સિતારાઓને કુલ લુકમાં મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવેલ હતા. બંને એકબીજા સાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. આ તસ્વીરો સામે આવતાની સાથે જ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ બંને હાલમાં જ પોતાના હનીમુન ઉપરથી પરત ફરી રહ્યા છે.

કપલ ને મુંબઈ એરપોર્ટ ઉપર બહાર નીકળતા જોવામાં આવેલ. આ દરમિયાન બંનેના લુકની વાત કરવામાં આવે તો સફેદ પેન્ટની સાથે એક સફેદ ટેન્ક ટોપ પહેરી રાખ્યું હતું. તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ સફેદ પેન્ટની સાથે પેસ્ટલ જાંબલી રંગનું ટીશર્ટ પહેરી રાખ્યું હતું, જેમા તે ખુબ જ આકર્ષક દેખાઈ રહ્યા હતા. કિયારા એ એક ગોલ્ડન હિલ્સ, એક ગોલ્ડન ક્રોસબોડી બેગ, સનગ્લાસીસ અને એક હેર બેન્ડની સાથે એક્સરસાઇઝ કરેલ હતું. આ દરમિયાન સિદ્ધાર્થ એ વાઈટ એન્ડ ગ્રે સ્નિકર્સ અને સનગ્લાસીસ પહેરી રાખ્યા હતા.

જેમ કે અમે તમને હાલમાં જ જણાવ્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવેલ અને કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ પોતાના હનીમુનથી મુંબઈ પરત ફરી રહ્યું હતું. કાર્ગો પેન્ટ અને સફેદ વેસ્ટ ટી-શર્ટ પહેરી રાખ્યું હતું અને પોતાના આ લુક માટે કિયારા ને ખુબ જ ટ્રોલ કરવામાં પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આ વીડિયોમાં તમે બંનેના લુકને ખુબ જ સારી રીતે જોઈ શકો છો. જણાવી દઈએ કે કિયારા ને લગ્ન બાદ આ રીતે જોવી ઘણા નેટિજન્સ ને પસંદ આવ્યું નહીં અને એટલા માટે તેમણે ખુબ જ ટ્રોલ પણ કરેલી હતી. લગ્ન બાદ મંગલસુત્ર અને સિંદુર વગર કિયારા ને જોઈને ઘણા લોકોએ કહ્યું હતું કે તેમને જોઈને એવું બિલકુલ નથી લાગી રહ્યું કે તેઓ પરણીત છે અને તેમણે થોડું વ્યવસ્થિત તૈયાર થવું જોઈતું હતું.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારા નાં લગ્ન ફંકશન અને રિસેપ્શનના બધા કપડા મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા હતા. હાલમાં જ કિયારા અને સિદ્ધાર્થના વેડિંગ રિસેપ્શનનો એક ઇન્સાઇડ વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેને સોશિયલ મીડિયા પર ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *