ખોરાક એટલે કે ભોજન દરેક મનુષ્ય અને દરેક જીવંત વસ્તુની પ્રથમ અને મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ દુનિયામાં બધા જ મનુષ્ય બે સમયની રોટલી કમાવવા માટે જ દિવસભર મહેનત કરતા હોય છે, જેથી તેનો પરિવાર ત્યારે ભૂખ્યો ન સુઈ શકે. ખોરાક વગર આ ધરતી પર જીવન અશક્ય છે. સાયન્સની એક રિસર્ચ અનુસાર જે લોકો પેટ ભરીને ભોજન કરે છે, તેમને સારી અને ઘેરી નીંદર આવે છે. આનાથી ઉલટુ જે લોકો ભૂખ્યા પેટે સુવે છે, તેમને આખી રાત ચેન નથી પડતું અને તેઓ સારી રીતે ઉંઘી પણ નથી કરી શકતા.
ભોજનની વાસ્તવિક કિંમત માત્ર તે જ વ્યક્તિ જાણી શકે છે, જેણે ઘણા દિવસોથી ભોજન ન કર્યું હોય અને એજ ભૂખનું મહત્વ જાણતા હોય છે. તમે જોયું હશે કે પૈસાદાર લોકોનાં છોકરાઓને દરેક વસ્તુ વગર માંગે જ મળી જાય છે એટલે જ તેઓ મહેનત નથી કરી શકતા. ત્યાં જ બીજી બાજુ ગરીબનાં છોકરાઓ નાનપણથી જ બે સમયની રોટલી કમાવવા માટે જીવી રહ્યા હોય છે અને એક દિવસ સફળ બને છે.
ભોજનને ભારત દેશમાં અન્ન દેવતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જે ભોજનને કદર નથી કરી શકતું, ભોજન પણ તેની કદર ક્યારેય નથી કરતો. આપણા શરીરને તાજો અને સ્વસ્થ રાખવા માટે ભોજન અત્યંત જરૂરી છે. શાસ્ત્રોનાં અનુસાર જે ઘરમાં ભોજનની કદર કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પૈસાની તંગી થતી નથી.
તેવામાં જો તમે પણ ઘરમાં બરકત લાવવા માંગતા હોય તો આ ખાસ લેખ માત્ર તમારા માટે જ છે. આજે અમે તમને એવા સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ગરીબીને કાયમ માટે છોડી શકો છો. આના માટે તમને વધારે મહેનત કરવાની પણ જરૂર નથી.
ભોજન ખાતા પહેલા કરો આ કામ
પ્રત્યેક વ્યક્તિની જિંદગીમાં ભોજન એક મહત્વની ભૂમિકા ભજવે છે. આવામાં જો તમે બરકત મેળવવા માંગતા હોય અને ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમને અમારુ એક નાનું અમથું કામ યાદ રાખવું પડશે. આ કામને તમારે દરરોજ નિયમિત રૂપે ભોજનનો પ્રથમ કોળિયો મોંમાં મૂકતા પહેલા કરવું જોઈએ. આવું કરવાથી આપને ક્યારેય ધનની કમી નહી થાય અને માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે.
હકીકતમાં, તમે જ્યારે પણ ભોજન કરો તો એકવાર ઈશ્વરનું નામ હાથ જોડીને જરૂર બોલો. આનાથી, તમારા ઘરમાં માત્ર સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થશે અને સાથોસાથ તમે પ્રેમથી પણ ભોજન કરી શકશો.
ક્યારેય નહીં આવે ગરીબી
ભગવાન આ વિશ્વનાં કણ-કણમાં વસે છે. આવામાં ભોજન કરવાથી પહેલાં જો આપણે ભગવાનનું નામ લઈએ અને જો એમનું ધ્યાન ધરીએ તો અમારું મન શાંત રહે છે અને ઇચ્છાશક્તિ બમણી થઇ જાય છે. આનાથી શરીરને એક નવી ઊર્જા મળે છે, જે ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે. આ કાર્ય કરવાથી મનુષ્યના ઘરમાં ક્યારેય પણ ગરીબી આવતી નથી અને ન તો આ ઉપાય ઘરમાં ગરીબી ના આવવા દે છે.
થાળીમાં હાથ ધોવા નહીં
શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘરમાં ભોજનનો અનાદર કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય ખુશીઓ આવતી નથી અને હંમેશા પૈસાની તંગી રહેતી હોય છે. આવામાં ભોજન કર્યા પછી ભૂલથી પણ ખાવાની થાળીમાં હાથ ન ધોવા. આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ થઈ જાય છે અને ફરીથી ક્યારેય ઘરમાં પ્રવેશ કરતી નથી. આથી જ જમતા પહેલા પોતાના હાથને સારી રીતે ધોવા અને ભગવાનને યાદ કર્યા પછી જ ભોજન કરવું જોઇએ. તેથી તમને આગળ ચાલીને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.