જન્મનાં વાર પરથી તમારા ઘણા રહસ્યો ખુલી શકે છે, જાણો કેવી છે તમારી પર્સનાલિટી

દરેક વ્યક્તિની પસંદ, નાપસંદ, સ્વભાવ, વ્યવહાર અને પર્સનાલિટી અન્ય લોકોથી અલગ હોય છે અને તેની પાછળ જન્મ તારીખ રાશિ અને જન્મનો મહિનો ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આ બધી ચીજો વ્યક્તિના સ્વભાવ અને પર્સનાલિટી પર ખૂબ જ ઉંડી અસર પાડે છે. આજે અમે તમને જન્મદિવસનાં હિસાબે પર્સનાલિટી સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે તમારા સ્વભાવ અને પર્સનલ વિશે જન્મનો વાર શું કહે છે.

સોમવાર

સોમવારનાં જન્મેલા લોકોને સામાજિક જોડાણ વધારે હોય છે. તેમાં તેમની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી હોય છે. સાથોસાથ તે પોતાના પરિવારને પણ ખૂબ જ વધારે મહત્વ આપે છે. તેમનો સંબંધ પરિવારના બધા જ સદસ્યો સાથે ઘણો સારો હોય છે. આ લોકો સ્વભાવથી જ ચંચળ હોય છે અને તેમને ઘરની અંદર રહેવું પસંદ હોતું નથી. તે હંમેશા લોકોને હળવા-મળવાનું પસંદ કરે છે. તેમની બસ એક જ કમી હોય છે, તે લોકોમાં ધીરજ બિલકુલ હોતી નથી.

મંગળવાર

મંગળવારનાં જન્મેલા લોકો ઉર્જાથી ભરેલા હોય છે અને તેઓ ખૂબ જ મહેનતુ પ્રકારના હોય છે. તેઓ ક્યારેય પણ પોતાના કામથી ભાગતા નથી. પરંતુ અડગ બનીને મહેનત અને ધગશથી પોતાનું કામ પૂર્ણ કરે છે. સાથોસાથ તેઓ જિદ્દી પણ હોય છે અને જો કોઈ ચીજની જીદ એક વખત પકડી લે છે તો તેને જરૂરથી પૂર્ણ કરે છે. તેમના આ વ્યવહારથી ક્યારેક ક્યારેક પરિવારના લોકો પરેશાન પણ થાય છે. આ દિવસે જન્મેલા લોકો ગુસ્સાવાળા હોય છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે તો તેઓ પોતાના માં-બાપનું પણ સાંભળતા નથી. તેમના આ ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેમના પાર્ટનર હંમેશા તેમનાથી નિરાશ રહે છે.

બુધવાર

બુધવારે જન્મ લેનારા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ કોઈ પણ કામ કરતાં પહેલાં ખૂબ જ વિચાર કરે છે. તે પોતાના માતા-પિતા અને ભાઇ બહેનો સાથે વિશેષ લાગણી રાખે છે. સાથોસાથ પરિવારના કોઈપણ સદસ્ય માટે તેઓ જીવ આપી દેવા માટે પણ તૈયાર હોય છે. તેઓ ફક્ત પરિવાર માટે જ નહીં પરંતુ પાર્ટનર માટે પણ સંપૂર્ણ રીતે સમર્પિત રહે છે. બુધવારે જન્મ લેનાર લોકો લોજીકલ, પ્રભાવશાળી, લવિંગ અને માતા-પિતાનું કહેવું માનનાર હોય છે.

ગુરૂવાર

ગુરુવારે જન્મેલા લોકો સપનાઓમાં જીવતા હોય છે. તેઓ મોટા મોટા સપના જોતા હોય છે અને તેના અનુસાર કાર્ય પણ કરતા હોય છે. તે સિવાય તેઓ સાહસી અને સમજદાર હોય છે. સાથોસાથ તેમને લવ મેરેજ કરવા પસંદ હોય છે અને તેઓ પોતાના પાર્ટનરની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરે છે. એટલું જ નહીં પરંતુ ગુરૂવારના જન્મેલા લોકોની મિત્રતા પણ ખૂબ જ સારા લોકો સાથે હોય છે. કારણ કે તેઓ કોઈપણ વ્યક્તિને પોતાનો મિત્ર બનાવી લેતા નથી, પરંતુ ખૂબ જ સમજી-વિચારીને તેને પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં શામેલ કરે છે.

શુક્રવાર

શુક્રવારે જન્મેલા લોકોને પૈસાની કિંમત હોતી નથી. તેઓ ખૂબ જ પૈસા ખર્ચ કરે છે અને નકામી ચીજોમાં વધારે પડતો ખર્ચ કરે છે. તેની ખરાબ અસર તેમની આર્થિક સ્થિતિ પર પણ પડે છે. પ્રેમની બાબતમાં આ લોકોમાં આ લોકો ઈમાનદાર હોતા નથી અને કોઈ એક જગ્યાએ ટકી શકતા નથી. જોકે તેમનો વિવાહ જીવન ખૂબ જ ખુશહાલીથી ભરેલું રહે છે. તેમનામાં એક ખાસિયત હોય છે કે તેઓ હમેશાં અન્ય લોકોની મદદ કરવા માટે તત્પર રહે છે. જો તેમની સામે કોઇ પરેશાનીમાં હોય તો તેઓ તુરંત સહાયતા માટે પહોંચી જાય છે. તે સિવાય તેઓ પોતાનાં માતા-પિતાનો સાથ ક્યારે પણ છોડતા નથી.

શનિવાર

શનિવારે જન્મ લેનારા લોકો ખૂબ જ મહત્વ હોય છે અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. સાથે સાથે અન્ય લોકોની મદદ કરવા માટે પણ હંમેશાં આગળ આવે છે. તેમની સામે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવી જાય પરંતુ તેઓ દરેક પરિસ્થિતિનો સામનો અડગ બનીને કરે છે. સાથે સાથે તેમની એક ખાસિયત હોય છે કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હંમેશા હસતા રહે છે. શનિવારે જન્મ લેનાર લોકો જીવનમાં દરેક આ પરિસ્થિતિમાં સમજી વિચારીને આગળ વધે છે. તેવામાં તેઓ પોતાના પાર્ટનરની પસંદગી પણ ખૂબ જ સમજી-વિચારીને કરે છે.

રવિવાર

જેનો જન્મ રવિવારે થયેલો હોય છે તેઓ ખૂબ જ સીધા-સાદા, ઈમાનદાર અને મદદ કરવા વાળા હોય છે. તે પોતાના પરિવારજનો સિવાય પોતાના પાર્ટનરને પણ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ પોતાના ફેમિલી મેમ્બર્સની નાની વાતોનું પણ ખૂબ ધ્યાન રાખે છે અને તેમને ખુશ કરવાની પૂરી કોશિશ કરે છે.