જ્યારે પણ કોઇ બાળકનો જન્મ થાય છે તો તે તુરંત રડવા લાગે છે. જો તે બાળક રડે નહીં તો ડોક્ટર અથવા નર્સ તેને હળવું મારીને રડવા માટે મજબૂર કરે છે. તેમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે જન્મ બાદ બાળકનું રડવું આટલું જરૂરી શા માટે છે? શું થાય જો તે બાળક રડે નહીં તો? આ ડોક્ટર્સ બાળકોના રડવા પર આટલો ભાર શા માટે મૂકે છે? શું તેનું કારણ કોઈ વિજ્ઞાન સાથે જોડાયેલું છે કે પછી કોઈ પૌરાણિક વાળો મામલો છે? આજે અમે તમને આ બધા સવાલોના જવાબ આપીશું.
આ કારણને લીધે બાળકનું રડવું જરૂરી
જન્મ બાદ બાળકનું રડવું તે વાતનો સંકેત છે કે પ્રજનન પ્રક્રિયા સ્વસ્થ રીતે થઈ છે. બાળક જેવું રડે છે તેના ફેફસાં શ્વાસ લેવા માટે પૂર્ણ રૂપથી તૈયાર થઈ જાય છે. હકીકતમાં બાળક જ્યારે માતાના ગર્ભમાં વિકસિત થઇ રહ્યું હોય તો તેના ફેફસામાં હવાને બદલે એમ્નીયોટિક દ્રવ્ય ભરેલું હોય છે. તેના કારણે તે ગર્ભમાં એમ્નીયોટિક શેક નામની થેલીમાં રહે છે. આ થેલી એમ્નીયોટિક દ્રવ્ય થી ભરેલી હોય છે. બાળકના શરીરને બધું જ પોષણ માતાની નાળ નાં માધ્યમથી મળે છે. જ્યારે આ બાળક બહાર આવે છે, તો આ ગર્ભનાળ ને કાપી દેવામાં આવે છે.
બાળક જેવું માતાના ગર્ભમાંથી બહાર આવે છે તો ડોક્ટર અથવા તેને ઉલટુ લટકાવીને તેના ફેફસામાંથી આ એમ્નીયોટિક દ્રવ્ય કાઢે છે. આ દ્રવ્યના નીકળ્યા બાદ જ બાળકના ફેફસાં શ્વાસ લેવા માટે તૈયાર થઈ શકે છે. ફેફસાના ખૂણેખૂણામાં થી આ દ્રવ્ય કાઢવા માટે બાળકનો ઊંડો શ્વાસ લેવો ખૂબ જ જરૂરી હોય છે, એટલા માટે બાળકને રડાવવામાં આવે છે. રડવાને કારણે તે ઊંડો શ્વાસ લેવા માટે મજબૂર બને છે. આ પ્રક્રિયાથી ફેફસાની કાર્યાત્મક એકમ એલ્વિઓલી સુધી હવા આવવા જવા માટેના બધા જ દ્વાર ખોલી નાખે છે. એકવાર આ દ્રવ્ય બહાર નીકળી જાય છે તો બાળકના ફેફસામાં હવાનો સંચાર સરળતાથી શરૂ થવા લાગે છે અને તે સામાન્ય રીતે શ્વાસ લેવા લાગે છે.
રડવાનું એક કારણ આ પણ છે
મા ની પ્રસવ ક્રિયા માતાની સાથે સાથે બાળકને માટે પણ કષ્ટદાયક હોય છે. બાળકને એક ખૂબ જ સાંકડા દ્વાર થી બહાર નિકળવાનું હોય છે. માનવ શરીરમાં તેની દુનિયા અને આસપાસનું વાતાવરણ અલગ હોય છે, તે ત્યાં સુરક્ષિત મહેસૂસ કરે છે. પછી જ્યારે તે માં ના ગર્ભમાંથી બહાર આવે છે તો એક નવી દુનિયામાં લાવવામાં આવે છે. તો તેનું વાતાવરણ બદલી જાય છે. બાળક પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે, આ કારણથી પણ તે રડવાનું શરુ કરી દે છે.
પૌરાણિક માન્યતા
વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરવા માટે સ્વયં જેવા પુત્ર ઉત્પન્ન કરવાનો વિચાર કરી રહ્યા હતા. તો તેમના ખોળામાં એક વાદળી રંગનો બાળક પ્રગટ થયો. આ બાળક રડતા-રડતા બ્રહ્માજીના ખોળામાં આમ-તેમ ભાગવા લાગે છે. જ્યારે બ્રહ્માજી તેને તેનું કારણ પૂછે છે તો તે કહે છે કે “હું કોણ છું, ક્યાં છું?” તેના પર બ્રહ્માજી કહે છે કે જન્મ થતાંની સાથે જ રડવાનું શરુ કરી દીધું એટલા માટે આજથી તારું નામ રુદ્ર છે. રુદ્ર પહેલા કોઈપણ બાળકે રડવાનું શરૂ કર્યું ન હતું. બસ ત્યારથી જ જન્મ બાદ બાકીના બાળકોમાં પણ રડવાનો નિયમ બની ગયો.