જયા કિશોરીને કોઈ ઓળખ ની જરૂરિયાત નથી. તે દેશના લોકપ્રિય હસ્તી છે. ખુબ જ નાની ઉંમરમાં જયા કિશોરીએ મોટું અને ખાસ નામ કમાઈ લીધું છે. તેમનું મુખ્ય કામ ભાગવત કથા કરવાનું છે. તે સિવાય તેઓ પોતાની ઓળખ એક મોટીવેશનલ સ્પીકર ના રૂપમાં પણ બનાવી ચુક્યા છે.
જયા કિશોરી ખુબ જ નાની ઉંમરમાં જ આધ્યાત્મિકતા સાથે જોડાણ કરી લીધું હતું. શરૂઆતથી જ આધ્યાત્મ અને ધર્મ તરફ તેમની રુચિ રહેલ હતી. જે ઉંમરમાં બાળકો વાંચવા લખવામાં વ્યસ્ત રહે છે, તે ઉંમરમાં જયા કિશોરી ભાગવત કથા કરવા લાગ્યા હતા. આજે દેશભરમાં તેમનું નામ છે. લોકો મોટી સંખ્યામાં તેમને પસંદ કરે છે.
જયા કિશોરી કથા પોતાની મોટીવેશનલ સ્પીચ સિવાય પોતાના ભજનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમના દ્વારા ગાવામાં આવેલા ભજન અને તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો લોકોની વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે. તેઓ લોકોને દૈનિક જીવનમાં કામ આવતી વાતો વિશે પણ જણાવતા રહે છે.
જયા કિશોરી કોઈપણ મુદ્દા ઉપર પોતાની વાત રાખે છે. તેમની જણાવવામાં આવેલી વાતો લોકોના ખુબ જ કામમાં આવે છે. તેમના વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થાય છે. યુટ્યુબ ઉપર તેમને લાખોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. હાલમાં જયા કિશોરીએ મધ્યપ્રદેશના નાગદા ગામમાં ભાગવત મહાપુરાણ કથા કરેલી હતી.
નાગદામાં ભાગવત મહાપુરાણ કથા કરવા દરમિયાન જયા કિશોરીએ મીડિયા સાથે વાતચીત કરેલી હતી. આ દરમિયાન તેમણે પોતાના લગ્નના સવાલનો જવાબ પણ આપ્યો હતો. તેમણે મીડિયાની સામે સ્વીકાર કર્યો હતો કે વિવાહ અથવા લગ્ન એક મહત્વના સંસ્કાર છે.
જયા કિશોરીએ મીડિયા સાથે વાત કરવા દરમિયાન કંઈક એવી વાત કહી હતી, જે દરેક લોકોએ સાંભળવી જોઈએ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આખરે કઈ રીતે જીવનની એકલતાને ભરી શકાય છે. લોકપ્રિય કથા વાચક દ્વારા કહેવામાં આવ્યું હતું કે જીવનસાથી જો સમજદાર હોય તો જીવન ની એકલતા દુર થઈ શકે છે.
જણાવી દઈએ કે જયા કિશોરી ૨૭ વર્ષનાં છે. તેમનો જન્મ જુલાઈ ૧૯૯૫માં રાજસ્થાનનાં સુજાનગઢમાં થયેલો છે. જો કે તેમનું બાળપણ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પસાર થયેલ છે. કોલકત્તા તેમના હૃદયની ખુબ જ નજીક છે. જ્યારે તેમના લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો, તો તેમણે જણાવ્યું હતું કે તેઓ કોલકત્તામાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કરશે.
જયા કિશોરીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના માતા પિતા થી અલગ થવા ઈચ્છતા નથી. જો તેમના લગ્ન થાય તો કોલકત્તામાં જ થાય અને જો દુર થાય તો તેઓ પોતાની સાથે માતા પિતાને પણ લઈ જશે.