જીવનમાં પૈસાની અછતથી પરેશાન છો તો હનુમાનજીનો આ મંત્ર બોલો, જલ્દી દુર થઈ જશે સમસ્યા

Posted by

આજના સમયમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેની અછત ના લીધે દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકોની પાસે ખૂબ જ પૈસા છે તે ખુશીથી પોતાનું જીવન પસાર કરે છે. જો કે તે જરૂરી બની જાય છે કે તે પૈસા કેવી રીતે કમાવવામાં આવ્યા છે. જો વ્યક્તિ ઈમાનદારીથી પૈસા કમાય છે તો તેને તે પૈસાથી ખુશી અને સુખ મળે છે. જ્યારે બેઇમાની થી કમાયેલા પૈસાથી દુઃખ જ દુઃખ મળે છે.

જેના કારણે વ્યક્તિ ખુબ જ પરેશાન રહે છે. ધનની અછત તેની ખુશીઓ પર હુમલો કરી દે છે. વ્યક્તિની ઈચ્છા તો ઘણી હોય છે કે તેની પાસે વધારે પૈસા હોય અને તેના માટે મહેનત પણ કરે છે. પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તેને નથી મળતું. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

તન મનની શક્તિ સાથે થાય છે ધનની પ્રાપ્તિ

તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસાની ચોપાઈ “અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દીન જાનકી માતા” હનુમાનજીના બલશાલી હોવાની સાથે સાથે તેમને વૈભવનાં સ્વામી અને દાતા પણ કહેવામાં આવે છે. એ જ કારણને લીધે હનુમાનજીની ઉપાસના કરતાં ભકતોને તન મનની શક્તિ મળે છે અને તેની સાથે ધનથી અભાવ રહેલા ભક્તોના દરેક કષ્ટ દૂર થાય છે.

મંગળવાર કે શનિવારના દિવસે આ મંત્રનું ઉચ્ચારણ કરવું

જો તમારા જીવનમાં પૈસાની કમી હોય અને તમે ખૂબ જ સમસ્યા હોય તો તમારા જીવનની ખુશીઓ ઓછી થતી હોય તો નીચે આપેલા મંત્રનો ઉચ્ચારણ મંગળવાર કે શનિવારના દિવસે શનિશ્ચરિ અમાસનાં દિવસ થી કરવો. મંગળવાર અને શનિવારના દિવસે સવારે સ્નાન કરી, હનુમાન મંદિર કે શનિ મંદિરમાં જઈને સિંદૂર ચઢાવવું. ત્યારબાદ ચમેલીનુ તેલ ફૂલ, અક્ષત, જનોઈ ચડાવી નીચે આપેલા મંત્રનો જાપ કરવો.

મંત્ર

સિંદૂર થી ઘરના મંદિરમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું

મંત્રનું સ્મરણ કર્યા પછી હનુમાનજીની પ્રતિમાને ગુગળનો ધૂપ અને દીવો કરી આરતી કરવી. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો. હનુમાનજીના ચરણોમાં રાખેલું સિંદૂર ઘરમાં લાવી અને ઘરના મંદિરમાં તેનાથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો. થોડાક દિવસોમાં જ તમારી ધન સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *