જ્યારે એક્ટ્રેસ એલ્વિન સાથે ફિલ્મનાં સીન દરમ્યાન પોતાની હદ પર કરી ગયા હતા રણબીર કપુર, સેટ પર થઈ ગયો હતો આવો માહોલ

રણબીર કપૂર બોલીવૂડના મશહૂર એક્ટર છે અને પોતાની ચોકલેટી ઈમેજને કારણે તે યુવતીઓની વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. રણબીર કપૂર “કપૂર” પરિવાર સાથે સંબંધ રાખે છે અને એટલા માટે ઍક્ટિંગ તેમને વારસાગત મળેલી છે. જો કે રણવીર પોતાની ફિલ્મોથી વધારે અફેયર્સને લઈને ચર્ચામાં રહે છે. રણવીર અવારનવાર યુવતીઓને લઈને ચર્ચામાં રહેતા હોય છે. રણવીર માટે કહેવામાં આવે છે કે તેમને યુવતીઓની વચ્ચે રહેવાની એટલી આદત છે કે ઘણી વખત તેઓ દુનિયાને પણ ભૂલી જતા હોય છે. કંઈક આવું જ એક ફિલ્મના સેટ પર ઍક્ટ્રેસ એલ્વિન શર્માની સાથે બન્યું હતું, જ્યારે રણવીર તેમની સાથે એક ખાસ સીન કરતા સમયે ભાન ભૂલી ગયા હતા.

એલ્વિન સાથે ફ્લર્ટ કરતા ભાન ભૂલી ગયા હતા રણબીર

હકીકતમાં ફિલ્મ “યે જવાની હૈ દિવાની” માં એક્ટર રણવીરની હિરોઈન દીપીકા હતી, પરંતુ એક્ટ્રેસ એલ્વિનની સાથે તેમનાં ઘણાં ફ્લર્ટિંગ સીન હતા. તેવામાં એક સીનમાં રણવીરે એલ્વિનનાં પગને સ્પર્શ કરવાના હતા. એલ્વિને આ સીનમાં શોર્ટ પહેરેલ હતું. આ ફ્લર્ટિંગ સીન કરતા સમયે રણવીર બેકાબૂ બની ગયા હતા. આ સમગ્ર સીન દરમિયાન તે એલ્વિનનાં પગને સતત હાથ ફેરવતા રહ્યા હતા. વળી જ્યારે ડાયરેક્ટરે કટ કરી દીધું તો પણ રણબીર કેલ્વિનના પગને સ્પર્શ કરતા રહ્યા. પછી તેમને અમુક સમય બાદ ધ્યાનમાં આવ્યું કે સીન પર કટ કહેવામાં આવી ચૂક્યું છે, તો તેઓ અટકી ગયા. તેમની આ હરકતથી સેટ પર હાજર રહેલ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કહેવામાં આવે છે કે આ સીન થી એક્ટ્રેસ દીપિકાને પણ થોડી અસહજતા મહેસુસ થઇ હતી. જોકે આ ફિલ્મ સુધી દીપિકા રણબીર થી અલગ થઈ ચૂકી હતી. બન્નેનું બ્રેકઅપ ચર્ચામાં રહેલું હતું. હકીકતમાં દીપિકા અને રણબીર ક્યારેક બોલિવૂડના હોટેસ્ટ કપલ માનવામાં આવતા હતા. પરંતુ કહેવામાં આવે છે કે દીપિકાએ રણબીરને ચીટ કરતાં રંગે હાથ પકડી લીધો હતો, જેના કારણે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં રણબીરનું નામ લીધા વગર કહ્યું હતું કે, “જ્યારે કોઈ તમને વારંવાર દગો આપવા લાગે છે, તો તમે તેને વારંવાર માફ નથી કરી શકતા.”

અફેરને લઈને ચર્ચામાં રહે છે રણબીર

એટલું જ નહીં રણબીરે પોતે કબૂલ કર્યું હતું કે દીપિકા સાથે રિલેશનનાં સમયે તેમની અંદર એટલી સમજદારી હતી નહીં અને જેના કારણે તેઓ ઘણી ભૂલો કરી બેઠા. જણાવી દઈએ કે દીપિકા થી અલગ થયા બાદ રણબીર કેટરીનાની નજીક આવી ગયા હતા. તેવામાં દીપિકાને કેટરિના ક્યારેય પસંદ આવી નહીં. વળી કેટરીના અને રણબીરનાં સમાચારો ખૂબ જ ચર્ચામાં હતા. ત્યાર બાદ રણબીર કેટરીના સાથે પણ બ્રેકઅપ કરી લીધું હતું.

આજકાલ રણબીર આલિયાની સાથે અફેર લઈને ચર્ચામાં રહેલા છે. સમાચાર મળી રહ્યા છે કે બંને ખૂબ જ જલ્દી લગ્ન કરવાના છે. જણાવી દઈએ કે આલિયા અને રણબીર ફિલ્મ “બ્રમ્હાશ્ત્ર” દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. હાલમાં બંનેનાં લગ્નનાં સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ આધિકારિક રૂપથી હજુ સુધી કોઈ ઘોષણા થઈ નથી. હવે લોકોનું માનવું છે કે આલિયા સાથે લગ્ન બાદ રણવીરનાં નેચરમાં કદાચ થોડો બદલાવ આવે અને તેમની દરેકની સાથે ફ્લર્ટ કરવાની આદત કદાચ ઓછી થઈ જાય.