કરીના કપુરે કરી પોતાના દિલની વાત – “મન થાય છે કે સૈફ ને છોડી દઉં”, આ એક્ટર સાથે કરવા માંગે છે લગ્ન

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ઘણા સિતારાઓ આવતા દિવસોમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. તેની વચ્ચે કરીના કપુરને લઈને એક એવી વાત વાયરલ થઈ રહી છે, જેને સાંભળીને સૈફ અલી ખાન ચોંકી જશે. મહત્વપુર્ણ છે કે કરિના કપુરે વિતેલા દિવસોમાં અમુક એવી વાતો કરી હતી, જેને સાંભળીને સૈફ અલી ખાન ફક્ત ગુસ્સે ન થયા હતા, પરંતુ તેમને પોતાના બીજા લગ્ન તુટવાનો ડર પણ સતાવી રહ્યો છે. તો ચાલો તેવામાં સમગ્ર વાત જાણીએ.

જણાવી દઈએ કે બોલિવુડનાં આઇડલ કપલની જ્યારે ચર્ચા થાય છે, ત્યારે તેમાં સૈફ અલી ખાનની જોડી સામેલ જરૂરથી હોય છે. વળી ફેન્સને ઘણી ઇવેન્ટ દરમિયાન આ બંને કપલ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જરૂરથી જોવા મળી આવે છે. જણાવી દઈએ કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે આ બંને પોતાના સંબંધો અને પ્રેમ પ્રસંગને લઇને ખુલ્લા દિલથી વાત કરે છે. તેવામાં વધુ એક ખુલાસો કરીને થોડા દિવસો પહેલાં જ કર્યો છે.

મહત્વપુર્ણ છેકે વિતેલા દિવસોમાં “બેબો” નાં નામથી મશહુર કરીના કપુરે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “હવે મન કરે છે કે સૈફ અલી ખાનને છોડી દઉં.” જણાવી દઈએ કે કરીના કપુરનાં આ નિવેદન બાદ તેમના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આખરે કરીને આવુ શા માટે કહ્યું.

પરંતુ કહેવામાં આવે છે કે પ્રેમમાં સારા સારા લોકો બદલાઈ જતા હોય છે. હવે આવું જ લાગી રહ્યું છે કે કરીનાનું મન સૈફ અલી ખાન થી હટીને અન્ય કોઈ પર આવી ગયું છે. વળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છુટાછેડા અને લગ્ન જેવી વાતો બાળકોનાં રમત જેવી છે. તેવામાં ત્યારે શું થઈ જાય તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી.

જણાવી દઈએ કે હકીકતમાં આ વાત છે ફિલ્મ “કી એન્ડ કા” નાં રિલીઝ સમયની જે સમયે આ ફિલ્મમાં કરિના કપુર અને અર્જુન કપુરે પતિ-પત્નીનો રોલ નિભાવ્યો હતો. વળી આ ફિલ્મમાં કરીનાને જ્યાં વર્કિંગ વુમન બતાવવામાં આવી હતી, તો વળી અર્જુન કપુર ઘરેલું કામકાજ કરતા જોવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે કરીના કપુરને તેમના ઓનસ્ક્રીન પતિ સાથે રિયલ લાઇફ હસબન્ડ સૈફ અલી ખાનની તુલના કરીને કોઈએ સવાલ પુછી લીધો હતો.

તેવામાં તેમણે કહ્યું હતું કે અર્જુન કપુરને આટલી મહેનત કરતા જોઇને લાગે છે કે હું સૈફ અલી ખાનને છોડી દઉં અને અર્જુન કપુર સાથે લગ્ન કરી લઉં. જોકે ત્યારબાદ કરીના કપુર કહે છે કે સૈફ અલી ખાન અને અર્જુન કપુરની સરખામણી કરવી અયોગ્ય છે. કારણ કે બંનેની તુલના થઈ શકે નહીં.