ખબરદાર! શ્રાવણ મહિનામાં શિવ ભક્તોએ આવા કામ કરવાથી દુર જ રહેવું જોઈએ, દુ:ખ ઓછા થવાને બદલે બધી જશે

વર્ષના ૧૨ મહિનામાં શ્રાવણ મહિનો ખાસ હોય છે. કારણ કે આ સમગ્ર મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય છે. આ મહિનામાં લોકો પુરા ભક્તિ ભાવની સાથે ભગવાન શિવની ભક્તિ કરે છે. માન્યતા છે કે આ પાવન મહિનામાં ભગવાન શિવ પોતાના ભક્તોની વચ્ચે નિવાસ કરે છે, એટલા માટે આ દરમિયાન જો ભગવાન શિવ ની સંપુર્ણ ભક્તિ ભાવની સાથે આરાધના કરવામાં આવે તો જીવનના બધા જ કષ્ટ દુર થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાને લઈને અમુક એવા કામ જણાવવામાં આવેલ છે, જેને ભુલથી પણ કરવા જોઈએ નહીં. કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં વર્જિત આ કામને કરવાથી તમારા જીવનની પરેશાનીઓ ખતમ થવાને બદલે વધી શકે છે એટલું જ નહીં ભગવાન શિવ પણ તમારા આ કામથી રિસાઈ જાય છે. તો ચાલો આજે મેં તમને તે ૧૦ કામ વિશે જણાવીએ, જેને શ્રાવણ મહિનામાં બિલકુલ પણ કરવા જોઈએ નહીં.

સવારે મોડે સુધી સુવાથી બચવું

સામાન્ય રીતે તો દરરોજ સવારે વહેલા ઊઠવાની આદત સૌથી સારી હોય છે. પરંતુ જો તમને મોઢે સુધી સુવાની આદત છે તો ભગવાન શિવને સમર્પિત આ શ્રાવણ મહિનામાં તમારે સવારે વહેલા ઊઠવાની આદત પાડી લેવી જોઈએ. જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગો છો તો સવારે જલ્દી ઊઠીને પથારી થોડી છોડી દેવી જોઈએ. કારણ કે ભગવાન શિવની ભક્તિ માટે સવારનો સમય સૌથી સારો હોય છે, તેની સાથે જ એકાગ્રતાની સાથે કરવામાં આવેલી પુજાથી પણ ખુબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

મનમાં ખરાબ વિચાર લાવવા નહીં

શ્રાવણ મહિનામાં પોતાના મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર લાવવા નહીં. કોઈને નુકસાન પહોંચાડવાની યોજના બનાવવી, અધાર્મિક કામ કરવા વિશે વિચારવું, સ્ત્રીઓ માટે ખોટી વિચારસરણી રાખવી આ પ્રકારના વિચારો પોતાના મનમાં આવવા દેવા નહીં, નહીંતર તમારું મન નકામી વાતોમાં ગુચવાયેલું રહેશે અને તમે ભગવાન શિવની પુજા યોગ્ય રીતે કરી શકશો નહીં.

લોકોનું અપમાન ન કરવું

સામાન્ય રીતે તો હંમેશા લોકોનું સન્માન કરવું જોઈએ. પરંતુ શ્રાવણના મહિનામાં તે વાત-પિતનું વિશેષ ધ્યાન રાખવું કે ભુલથી પણ તમારે કોઈનું અપમાન કરવું નહીં. ખાસ કરીને વડીલ વ્યક્તિ, ગુરુ, ભાઈ-બહેન, જીવનસાથી, માતા-પિતા, મિત્ર અને જ્ઞાની લોકોનું સન્માન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં તે વાત-પિતનું પાલન જરૂર કરવું જોઈએ, નહીંતર તમને ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થતી નથી. કારણ કે શિવજી એવા લોકોથી પ્રસન્ન થતા નથી જે લોકોનું અપમાન કરે છે.

પતિ પત્નીએ વાદવિવાદ કરવો નહીં

ઘણી વખત પતિ પત્નીની વચ્ચે નાના-મોટા ઝઘડા તો થતા રહે છે, પરંતુ આ નાના-મોટા ઝઘડાને લીધે જ સમગ્ર ઘરનું વાતાવરણ અશાંત થઈ જાય છે. શ્રાવણ મહિનામાં તે વાત-પિતનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ કે ઘરમાં પતિ પત્નીની વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ ન થાય એટલા માટે જો તમે શિવજીની કૃપા મેળવવા માંગો છો તો ઘરમાં પ્રેમ જાળવી રાખો અને એકબીજાને ભુલો ને ભુલીને આગળ વધો. તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને પ્રસન્ન મનથી પુજા કરશો તો ભગવાન શિવની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે.

પોતાના મનને શાંત રાખો

જો તમને વાત-પિત વાત-પિતમાં ગુસ્સો આવે છે તો અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં તમારે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવું જોઈએ, નહીંતર ભગવાન શિવની કૃપાથી વંચિત રહી જશો. ક્રોધ એક ખરાબ આદત છે, જે તમારા મનની એકાગ્રતા અને વિચારવા સમજવાની શક્તિને ખતમ કરી નાખે છે, એટલા માટે શિવજીની કૃપા મેળવવા માટે તમારે પોતાને શાંત રાખવા ખુબ જ જરૂરી છે.

શિવલિંગ ઉપર હળદર ચડાવવી નહીં

ભગવાન શિવની પુજા કરતા સમયે શિવલિંગ ઉપર હળદર ચડાવી જોઈએ નહીં, શિવલિંગ ઉપર હળદર ચડાવવાને બદલે તેને જળધારી પર ચડાવી જોઈએ. હળદર સ્ત્રી સાથે સંબંધિત વસ્તુ છે, જ્યારે શિવલિંગ પુરુષ તત્વ સાથે સંબંધ છે. એ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં શિવજીની પુજા દરમ્યાન શિવલિંગ ઉપર હળદર ચડાવવાની ભુલ કરવાથી બચવું જોઈએ.

શ્રાવણ મહિનામાં ન કરો દુધનું સેવન

વિજ્ઞાન અનુસાર શ્રાવણ મહિનામાં દુધનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે તે દિવસોમાં દુધનું સેવન કરવાથી વાત-પિત વધવાની સંભાવના રહે છે. જો દુધનું સેવન કરવું હોય તો તેને ખુબ જ ઉકાળીને પીવો અને કાચા દુધથી સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો અભિષેક કરો. શ્રાવણ મહિનામાં દુધ પીવાને બદલે દરરોજ શિવલિંગને અભિષેક કરો. આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમારી ઉપર કૃપા જળવાઈ રહે છે.

લીલા પાન વાળા શાકભાજી ન ખાવા

શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં લીલા પાન વાળા શાકભાજી ખાવા વર્જિત હોય છે. શ્રાવણ મહિનામાં વાત-પિત વધારનારા તત્વોની માત્રા વધી જાય છે, એટલા માટે તે દિવસોમાં ફાયદો પહોંચવાને બદલે નુકસાન થાય છે. શ્રાવણ મહિનાના સમયમાં જીવજંતુઓની સંખ્યા વધી જાય છે અને લીલા શાકભાજીની સાથે ઘાસ પણ ઉગી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. શાકભાજીની સાથે આ હાનિકારક તત્વો આપણા શરીરમાં પહોંચી શકે છે એટલા માટે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં.

રીંગણાંનું સેવન કરવું વર્જિત છે

રીંગણા એક એવી શાકભાજી છે જેનું સેવન શ્રાવણ મહિનામાં વર્જિત માનવામાં આવે છે. કારણ કે રીંગણાને શાસ્ત્રોમાં અશુદ્ધ માનવામાં આવેલ છે. ફક્ત શ્રાવણ મહિનામાં જ નહીં પરંતુ કારતક મહિનામાં વ્રત રાખવા વાળા લોકોએ પણ તે દરમિયાન રીંગણા નું સેવન કરવું જોઈએ નહીં. ધાર્મિક કારણોથી અલગ જો વિજ્ઞાનની વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં રીંગણામાં વધારે જીવજંતુ હોય છે. તેવામાં રીંગણા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે, એટલા માટે શ્રાવણ મહિનામાં રીંગણા નું સેવન કરવું જોઈએ નહીં.

શ્રાવણ મહિનામાં નોનવેજ ખાવાથી બચવું

શ્રાવણ મહિનો સંપુર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે, એટલા માટે આ મહિનામાં માંસાહાર એટલે કે નોનવેજ ખાવાથી બચવું જોઈએ. માંસાહાર માટે નિર્દોષ જીવની હત્યા કરવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર જીવ હત્યાને પાપ માનવામાં આવેલ છે. એટલા માટે માંસાહાર છોડીને આ પાપ કરવાથી બચવું જોઈએ. તે સિવાય શ્રાવણ મહિનામાં ચોમાસાની ઋતુ હોય છે, જેનાથી આકાશમાં વાદળ છવાયેલા રહે છે અને આ દરમિયાન આપણી પાચનશક્તિ કમજોર થઈ જાય છે. જ્યારે નોનવેજ ભોજન પચાવવા માટે પાચન શક્તિ મજબુત હોવી જરૂરી છે.

જેથી શ્રાવણ મહિનામાં આ ૧૦ વર્જિત કામ ન કરવામાં જ આપણી ભલાઈ છે. કારણ કે તેનાથી તમે પોતાના તન અને મનને સંતુલિત જાળવી રાખવાની સાથોસાથ ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો.