અસત્ય સાંભળવું કોઈને પસંદ હોતું નથી. તેનાથી દરેક વ્યક્તિ નફરત કરે છે પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે આપણે ક્યારેક ને ક્યારેક, નાનું અથવા મોટું ખોટું બોલતા હોઈએ છીએ. આ ખોટું બોલવા પાછળ પણ ઘણા કારણ છુપાયેલા હોય છે. ક્યારેક લોકો મુસીબતમાંથી બચવા માટે ખોટું બોલે છે, તો ક્યારેક અન્ય વ્યક્તિને મુસીબતમાં મુકવા માટે જાણી જોઈને ખોટું બોલે છે. તો પછી અમુક એવા પણ હોય છે જે ખોટી શાન અને વાહ વાહ મેળવવા માટે ખોટું બોલવું પસંદ કરે છે. અમુક વ્યક્તિ હોવાનું દુઃખ ઓછું કરવા માટે પણ ખોટું બોલતા હોય છે. તેવામાં આજે અમે તમને ૫ રાશિઓ વિશે જણાવીશું જે સૌથી વધારે ખોટું બોલવા વાળી છે.
મિથુન રાશિ
આ રાશિના લોકો ચાર્મિંગ પર્સનાલિટીના હોય છે. તેમનામાં કોમ્યુનિકેશનની સ્કીલ ખુબ જ જોરદાર હોય છે. જેના કારણે લોકો તેમના મોઢામાંથી નીકળેલા અસત્યને પકડી શકતા નથી. તેઓ લોકોને મેનીપ્યુલેટ કરવામાં ઉસ્તાદ હોય છે. તેઓ ડબલ પર્સનાલિટી વાળા હોય છે. તેઓ પોતાના અસત્યને એવી રીતે દર્શાવે છે કે સામેવાળાને કોઈ શંકા પણ થતી નથી. તેમના આ સત્ય બોલવાની રીત એટલી સારી હોય છે કે લોકો તેમના પર સરળતાથી ભરોસો કરી લેતા હોય છે.
તુલા રાશિ
આ રાશિના જાતકો ઉદાર સ્વભાવનાં હોય છે. તેઓ બીજાની ભલાઈ માટે ખોટું બોલવાનું પસંદ કરે છે. ઉદાહરણ માટે જો તેમની વાતથી સામેવાળી વ્યક્તિને દુઃખ પહોંચવાનું હોય તેઓ ખોટું બોલે છે. આવી જ રીતે જો તેના કારણે કોઇ વ્યક્તિનો દિવસ ખરાબ થવાનો હોય તો તેઓ ખોટું બોલી દે છે. તેમના ખોટું બોલવાથી મોટાભાગના લોકોનું ભલું થાય છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિવાળા લોકો એક સારા વક્તા હોય છે. તેમને વાર્તાઓ બનાવવી અને લોકોને પોતાની વાતોમાં ફેરવવા તેમને સારી રીતે આવડે છે. તેઓ જ્યારે પણ કોઈ અસત્ય બોલે છે તો તેને સારી રીતે કવર પણ કરી લેતા હોય છે. તેમનું અસત્ય સરળતાથી પકડી શકાતું નથી. ખોટું બોલવામાં તેઓને મજા પણ આવે છે.
સિંહ રાશિ
તેઓ અટેન્શન ના ભૂખ્યા હોય છે. તેમને દરેક સમયે લોકોની અટેન્શન જોઇતુ હોય છે. તેના માટે તેઓ પોતાનો પ્રભાવ પાડવા માટે ખોટું બોલતા હોય છે. તેઓને પોતાના વખાણ કરવા પસંદ હોય છે. તેઓ હંમેશાં પોતાના વિશે સારું બોલે છે. તેમને લાઈમલાઈટમાં રહેવાનું પસંદ હોય છે. તેમની વાતો મિર્ચ-મસાલા લગાવીને પીરસવામાં આવે છે. જોકે સમયની સાથે લોકો તેમનું અસત્ય પકડવાનું શીખી જાય છે. તેમના દ્વારા કહેવામાં આવેલ અસત્ય લાંબા દિવસ સુધી ટકતું નથી.
કર્ક રાશિ
આ રાશિના જાતકો ખોટું બોલવામાં સૌથી વધારે હોશિયાર હોય છે. તેમનું અસત્ય ક્યારેય પણ પકડી શકાતું નથી. તેઓ એવી રીતે પોતાની વાતોને લોકોની સમક્ષ રાખે છે કે તેમના દ્વારા કહેવામાં આવેલ દરેક અસત્યને લોકો સત્ય માની લે છે. વળી આ લોકો ખૂબ જ ઓછું ખોટું બોલે છે. પરંતુ જ્યારે પણ બોલે છે ત્યારે તેમને કોઈ પકડી શકતું નથી લોકો તેમના ઉપર ખૂબ જ જલ્દી ભરોસો કરી લેતા હોય છે.