ખુબ જ જરૂરી છે બપોરનું ભોજન, જાણો કેટલા વાગે અને કેટલી માત્રામાં કરવું જોઈએ ભોજન

Posted by

ઘણા લોકોના મનમાં દ્વિધા હોય છે કે બપોરનું ભોજન ક્યારે અને કેટલું લેવું? જો તમે આ સમસ્યાથી પીડાતા હોય તો આ લેખ વાંચ્યા બાદ તમારે આ સમસ્યા સમાપ્ત થઈ જશે. આ લેખના માધ્યમ દ્વારા અમે તમને બપોરનું ભોજન ક્યારે અને કેટલું કરવું, એના દ્વારા જોડાયેલી તમામ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. સાથે સાથે આપણે બતાવવા જઈ રહ્યા છે કે બપોરના ભોજનમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ટાળવી જોઈએ.

બપોરનું ભોજન

લોકો દિવસમાં ૩ વખત ભોજન કરે છે. જે સવારના, બપોર અને રાતના સમયે કરવામાં આવે છે. મોટાભાગના લોકોના સવારના અને રાતના ભોજનમાં શું ખાવું જોઈએ અને આ ભોજન કેટલા વાગ્યા સુધી કરવું જોઇએ. તેરી સારી એવી જાણકારી હોય છે. પરંતુ બપોરના ભોજન પર લોકો વધારે ધ્યાન આપતા નથી અને કેટલાક લોકો તો બપોરનું ભોજન કરતાં પણ નથી.

બપોરનું ભોજન ક્યારે અને કેટલું કરવું જોઈએ એના વિશે બહુ જ ઓછા લોકોને જાણકારી હોય છે. પરંતુ કેટલાક લોકોને ખબર નથી પડતી કે તેઓ બપોરે શું ખાવું અને કેટલું ખાવું. ખરેખર જેવી રીતે સવારનો અને રાતનું ભોજન શરીર માટે જરૂરી માનવામાં આવ્યું છે. તેવી જ રીતે બપોરનું ભોજન પણ શરીર માટે અત્યંત જરૂરી છે. તેથી તમે બપોરનું ભોજન ન કરવાની ભૂલ ન કરો અને રોજ બપોરનું ભોજન કરો.

બપોરનું ભોજન ક્યારે અને કેટલું કરવું

ભોજન મનુષ્યના શરીર માટે અત્યંત જરૂરી હોય છે અને શરીરમાં ઉર્જા બનાવી રાખવા માટે ખોરાક અત્યંત મહત્વપૂર્ણ હોય છે. બપોરનું ભોજન ના કરવાથી શરીરને નુકસાન થાય છે. એટલે જ રોજ બપોરે ભોજન જરૂરથી કરો. બપોરનું ભોજન ૧૨ વાગ્યા પછી અને ૨ વાગ્યાથી પહેલા કરવામાં આવે છે. જો તમે સવારનો નાસ્તો વહેલો કરો છો તો તમે બપોરનું ભોજન ૧૨ વાગ્યા સુધી કરો અને જે લોકો ૧૦ વાગ્યા સુધી નાસ્તો કરે છે, તે બપોરે ૨ વાગ્યા સુધી બપોરનું ભોજન કરો. યાદ રહે કે હંમેશા ૨ વાગ્યા પહેલા જ બપોરનું ભોજન કરી લો અને બપોરનું ભોજન કરવામાં ક્યારે પણ વિલંબ ન કરો.

બપોરનું ભોજન કેટલી માત્રામાં લેવું

બપોરનું ભોજન ક્યારે કરવું જોઈએ તે જાણ્યા પછી તમારા મનમાં આ સવાલ જરૂરથી ઉઠ્યો હશે કે બપોરનું ભોજન કેટલી માત્રામાં કરવું જોઈએ. બપોરનું ભોજન ખૂબ ભારે ન હોવું જોઈએ. કેમકે જે લોકો બપોરના સમયે વધારે ભારે ખોરાક ખાય છે. તેમના માં આળસ આવી જાય છે અને તેમનું મન કામમાં નથી લાગતું. તેથી બપોરનું ભોજન હલકું હોવું જોઈએ.

ખોરાકની માત્રા

  • જો તમને રોટલી પસંદ છે, તો તમે બપોરના ભોજનમાં ૩ રોટલી ખાઈ શકો છો. રોટલીને સાથે તમે અડધી વાટકી દાળ અને શાક લઈ શકો છો. એના સિવાય દહીંને પણ ખાવામાં શામેલ કરી શકો છો.
  • જો તમને ભાત ગમે છે, તો તમે ભાત દાળ ની જોડે ખાઈ શકો છો. સાથે જ શાક અને દહીં પણ લઈ શકો છો.
  • ઘણા લોકો એક રોટલી સાથે ભાત ખાવાનું પણ પસંદ કરે છે. જો તમને પણ આ બન્ને વસ્તુઓ પસંદ હોય તો તમે બપોરના ભોજનમાં એક વાટકી ભાત, બે રોટલી, દાળ, શાક અને દહીં શામેલ કરી શકો છો.

  • બપોર ના સમયે તમે ઈડલી સાંભાર પણ ખાઈ શકો છો.
  • તમે બસ એટલી વાત ધ્યાનમાં રાખો કે તમારો ખોરાક વધારે ભારે ન હોવો જોઈએ. તમે ભોજનમાં ઘણી બધી વસ્તુઓ શામેલ કરી શકો છો. પરંતુ દરેક વસ્તુને ઓછી માત્રામાં લો. જેમકે તમને ઈડલી પસંદ છે. તો તમે તમારા ભોજનમાં ૧ રોટલી અને ૨ ઈડલી શામેલ કરી શકો છો.

નાસ્તાની જેમ ના હોવું જોઈએ ભારે

બપોરનું ભોજન ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ તમે આ વાતનું ધ્યાન રાખો કે બપોરનું ભોજન સવારના નાસ્તાની જેમ ભારે ના હોય. હકીકતમાં ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર નાસ્તો હંમેશા પેટ ભરીને કરવો જોઈએ. ત્યાં જ બપોરનું ભોજન નાસ્તા જેટલું ભારે ન હોવું જોઈએ. તમે સવારના નાસ્તામાં જે ખાવ છો, તેના કરતાં બપોરનું ભોજન એક તૃતિયાંશ હોવું જોઈએ. તેવી જ રીતે રાતનું ભોજન બપોરના ભોજન થી ત્રીજા ભાગ જેટલું ઓછું હોવું જોઈએ.

કેમ જરૂરી છે બપોરનું ભોજન

જે લોકો બપોરે ખોરાક લેતા નથી, તેમને બહુ જલદી થાક લાગે છે અને શરીરમાં નબળાઈ આવી જાય છે. ખાસ કરીને લોકો ઓફિસ જાય છે અને એવામાં શરીરને ઉર્જાની ખૂબ જ જરૂર હોય છે. શરીરમાં ઉર્જા ટકાવી રાખવા માટે બપોરનું ભોજન સહાયક નીવડે છે. તેથી જ ૧૨ થી ૨ વાગ્યાની વચ્ચે બપોરનું ભોજન જરૂર કરી લેવું જોઈએ અને ખાવામાં માત્ર આરોગ્યપ્રદ વસ્તુઓ હોવી જોઈએ.

રાખો આ બાબતોનું ધ્યાન

  • ઘણા લોકો ભોજન કર્યા પછી તરત જ પાણી પી લે છે, જે સારું નથી હોતું. હંમેશા ભોજન કર્યા પછી ઓછામાં ઓછો અડધો કલાક પછી પાણી પીવું.
  • ભોજન કર્યા પછી ભોજન ઉપર ક્યારે પણ ઉપરથી દૂધ અથવા તો જ્યુસ પીવો નહીં.
  • ભોજન કર્યા પછી બેસવા કે સુવા જવાની જગ્યાએ થોડું જરૂર ચાલો. જેથી ખોરાક સારી રીતે પચી જાય.
  • કેટલાક લોકોને ભોજન કર્યા પછી ચા પીવાની આદત હોય છે. જો તમને પણ આ આદત હોય તો તેને બદલી દો. કેમ કે ભોજન કર્યા પછી તરત જ ચા અથવા કોફી પીવાથી ભોજનમાં જે હાજર તત્વો હોય છે જે શરીરને મળતા નથી.
  • બપોરના ભોજનમાં પનીર અને માંસ જેવી વસ્તુઓ ખાવાથી બચો. કેમકે આ બધી વસ્તુ અને પચવામાં ઘણો સમય લાગે છે.

  • જો તમે ડાયેટ પર છો તો બપોરના સમયે અથવા તો જ્યુસ પી શકો છો. પણ આ વાતનો ખ્યાલ રાખો કે તમે તમારી ભૂખને કદી પણ મારો નહીં.
  • બપોરના ભોજનમાં લીલા શાકભાજીને જરૂર સામેલ કરો. શાક ના સિવાય સલાડ પણ જરૂર ખાવ.
  • ઉનાળાની ઋતુમાં ભોજન કર્યા પછી છાશ જરૂર પીવાનું રાખો. જેથી ગરમીથી તમારા શરીરની રક્ષા થઈ શકે.
  • હંમેશા ઘરમાં બનાવેલું ભોજન કરો.

બપોરનું ભોજન ક્યારે અને કેટલું કરવું, આ જાણકારી આ લેખ વાંચ્યા બાદ તમારા મનમાંથી બધી દુવિધાઓ દૂર થઈ ગઈ હશે. સાથે સાથે તમને એ પણ ખબર પડી ગઈ હશે કે બપોરના ભોજનમાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *