કિન્નર આ એક ચીજ કોઈને આપતા નથી, જો કોઈ વ્યક્તિને આપે છે તો તે કરોડપતિ બની જાય છે

દુનિયામાં ઘણા લોકોનું સપનું હોય છે કે તેમની પાસે અપાર ધન-સંપત્તિ હોય, જે તેમની તમામ સુખ સગવડના ને પુરી કરી શકે. ઘણા લોકો એવું વિચારે છે કે તેમની પાસે એટલા પૈસા હોય કે તેઓ પોતાની દરેક જરૂરિયાતો પુરી કરી શકે. પરંતુ દુનિયામાં આ ચીજો અમુક લોકોને જ પ્રાપ્ત થતી હોય છે. બાકી લોકોનું તે સપનું બની જાય છે. વળી બીજી તરફ જ્યારે ધનની કમી હોય છે, તો પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. પ્રાચીન કાળથી ધનનું મહત્વ ખુબ જ જણાવવામાં આવે છે.

ધનસંબંધી સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ સખત મહેનત કરવી પડે છે. સાથોસાથ ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા પણ આવશ્યક હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવું થાય તો તમારે કિન્નર પાસેથી એક વસ્તુ લઈ લેવી જોઈએ અને તેને પોતાના પર અથવા તિજોરીમાં રાખવી જોઈએ.

જેમ કે તમે બધા જ લોકો જાણો છો કે જ્યારે પણ ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે અથવા તો કોઈ શુભ પ્રસંગ હોય છે તો કિન્નર ઘરે આવીને ખુશીની ઉજવણી કરે છે. જો તમારા ઘરમાં પણ કિન્નર આ બધા શુભ અવસર પર આવે છે, તો તેમને દાન દક્ષિણા આપ્યા વગર વિદાય કરવા નહીં. કિન્નરોને પોતાના ઘરેથી હંમેશા પ્રસન્ન કરીને મોકલવા જોઈએ. તમે બધા લોકો જાણો છો કે કિન્નરોના આશીર્વાદ મેળવવા ખુબ જ ફાયદાકારક હોય છે. વળી તેમનો શ્રાપ પણ એટલો જ અસરકારક હોય છે. એટલા માટે તેમને નારાજ કરવાની ભુલ બિલકુલ કરવી નહીં.

કિન્નરોને દાન-દક્ષિણા દેવાની પરંપરા વર્ષો જુની છે અને તે સદીઓથી ચાલી રહી છે. જો તમે કોઈ જગ્યાએ બહાર જઇ રહ્યા છો અને ઘરેથી નીકળતા સમયે અથવા તો રસ્તામાં તમને કિન્નર મળી જાય છે તો તમારે એક ખાસ કામ કરવાનું ભુલવું જોઈએ નહીં. કારણ કે તેમના આશીર્વાદથી તમે એટલા પૈસા મળશે કે તમે સાચવી શકશો નહીં અને તમે સફળતાની ચરમ સીમા સુધી પહોંચી જશો.

એવું પણ કહેવામાં આવે છે કે સવાર સવારમાં જો કોઈ વ્યક્તિને કિન્નર ના દર્શન થઈ જાય તો વ્યક્તિનો દિવસ ખુબ જ સારો પસાર થાય છે. તમને બધા લોકોને જાણ હશે કે કિન્નર પુર્ણ રૂપથી પુરુષ હોતા નથી, એટલા માટે તેમનો અલગ સંપ્રદાય વિશે કહેવામાં આવે છે કે તેમના આશીર્વાદ ક્યારેય પણ ખાલી જતા નથી. જેના લીધે હંમેશા તેમના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ.

એવું પણ કહેવામાં આવે છે કે ઘરેથી બહાર નીકળતા સમયે રસ્તામાં જો કોઈ સમયે કિન્નર મળી જાય છે તો સૌથી પહેલા તેમને નમસ્કાર કરો અને તેમની ઇચ્છા અનુસાર અમુક રૂપિયા જરૂર કરો અને ત્યારબાદ કિન્નર પાસે તમે એક સિક્કો (તેમની પાસે રાખેલો, તમારા દ્વારા આપવામાં આવેલ નહીં) માંગી લો. હવે આ સિક્કાને ઘરની તિજોરી, પોતાના ગલ્લા, પૈસા રાખવાની જગ્યા અથવા પર્સમાં લાલ કપડામાં બાંધીને રાખી દો. તેનાથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે સાચવી પણ શકશો નહીં.