કોઈ ગમે એટલું માંગે પરંતુ આ ચીજો ક્યારેય પણ ઉધાર આપવી જોઈએ નહીં, આ વાત આપણે જાણતા નથી એટલે હેરાન થઈએ છીએ

જો તમે ખુબ દયાળુ છો અને રસ્તા પર ચાલતા કોઈ મજબુર વ્યક્તિને જોઈને તમને તેની ઉપર દયા આવી જાય છે અને તમે તેની મદદ કરવાનું વિચારો છો તમે ખુબ જ મોટી ભુલ કરી રહ્યા છો. શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આપણા ઘરમાં અમુક ચીજો એવી હોય છે જેને બીજા લોકોને આપવાથી આપણા ઘરમાં ભયંકર ગરીબી આવે છે. દાન કરવું અને બીજાની મદદ કરવી ખુબ જ પુણ્ય નું કામ છે અને આપણે શરૂઆતથી જ શીખ્યા છીએ કે આપણે હંમેશા જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ, પરંતુ બીજાને મદદ માં હંમેશા તે ધ્યાન રાખવું જોઈએ કે આ મદદથી તમને શું નુકસાન થવાનું છે.

હકીકતમાં ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર આપણા ઘરમાં અમુક એવી ચીજો હોય છે, જેનું ધ્યાન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. તો ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું અથવા ઉધાર આપવી અશુભ માનવામાં આવે છે.

સાવરણી

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સાવરણી ઘરની લક્ષ્મી હોય છે. દિવાળી અને ધનતેરસ જેવા તહેવાર પર તેની પુજા પણ કરવામાં આવે છે અને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તે સ્વચ્છતા અને સમૃદ્ધિની નિશાની છે, તેનાથી આપણે સમગ્ર ઘરની સફાઈ કરીએ છીએ. તે નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરે છે એટલા માટે ક્યારે પણ ઘરની સામે બીજા વ્યક્તિને આપવી જોઈએ નહીં. કારણ કે સાવરણી ની સાથે ઘરની સુખ-શાંતિ પણ બહાર ચાલી જાય છે.

પત્નીનાં ઘરેણા

મહિલાઓ અને ઘરેણાંને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એ જ કારણ છે કે મહિલાઓ જ્યારે પણ ઘરેણાં ખરીદે છે ત્યારે તેઓ સૌથી પહેલા માતા લક્ષ્મીની ઉપાસના કરે છે. કારણ કે માતા લક્ષ્મીને ઘરેણાં સાથે ખુબ જ પ્રેમ છે. તમારી પત્નીના ઘરેણાં તમારી સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે ક્યારે પણ ઘરની મહિલાઓના ઘરેણાં વેચવા જોઈએ નહીં અને તેને કોઇને ઉધાર પણ આપવા જોઈએ નહીં. ખાસ કરીને મહિલાઓએ પોતાના મંગળસુત્ર અને પગની ઝાંઝર ને ક્યારેય પણ કોઈને આપવી જોઈએ નહીં. તેનાથી ઘરની બરકત અને સૌભાગ્ય બીજાના ઘરમાં ચાલ્યો જાય છે.

સફેદ ચીજો

તમે ઘણી વખત વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે સાંજના સમયે કોઈપણ ચીજ દાન કરવી જોઈએ નહીં. કારણ કે સાંજના સમયે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે અને આ દરમિયાન ઘરેથી નીકળેલી ચીજોની સાથે માતા લક્ષ્મી પણ ચાલ્યા જાય છે. ખાસ કરીને સાંજના સમયે દુધ, લોટ, ખાંડ, દહીં, ચોખા અને નાળિયેર જેવી સફેદ ચીજો કોઈને આપવી જોઈએ નહીં. જો તમારા પાડોશી દરરોજ સાંજના સમયે દુધ અને ખાંડ ઉધાર માંગવા માટે આવે છે તો તેને પ્રેમથી સમજાવું જોઈએ. કારણ કે શાસ્ત્રો અનુસાર સફેદ ચીજો થી ખરાબ નજર ખુબ જ જલ્દી લાગી જાય છે, એટલા માટે સાંજના સમય બાદ આ ચીજોને ઉધાર આપવું જોઈએ નહીં.

પૈસા ઉધાર આપવા નહીં

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં પૈસા બચાવવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મી બચાવવામાં આવે છે. એટલા માટે ઘરની તિજોરીમાં રાખવામાં આવેલા પૈસા અથવા પત્ની દ્વારા કરવામાં આવેલી બચત ના પૈસા કોઈને પણ ઉધારમાં અથવા દાનમાં આપવા જોઈએ નહીં. ખાસ કરીને કોઈ તહેવારના દિવસોમાં તો ભુલથી પણ આ પૈસા કોઈને આપવા જોઈએ નહીં, તેનાથી ઘરની પ્રગતિ અટકી જાય છે.

વેલણ અને તવો

તમે ઘણી વખત જોયું હશે કે ભોજન કરતાં સમયે અમુક લોકો પહેલો કોળિયો ભગવાન માટે કાઢી લેતા હોય છે અથવા તો ભગવાનને યાદ કરીને પહેલો કોળિયો ખાતા હોય છે. આવું એટલા માટે કારણ કે ભોજન કરતા પહેલા વ્યક્તિ ભગવાનને ધન્યવાદ કહે છે કે તમારી કૃપાથી મને ભોજન મળી રહ્યું છે. તેવામાં તમારા રસોઇઘરમાં ભોજન બનાવવા માટે સૌથી જરૂરી સાધન વેલણ અને તવો ક્યારે પણ કોઇને ઉધાર આપવા જોઈએ નહીં તથા પોતાના પૈસાથી ખરીદી ને ગિફ્ટ પણ આપવા જોઈએ નહીં. કારણ કે તવા ઉપર બનાવવામાં આવતી પહેલી રોટલી માતા લક્ષ્મીના નામની હોય છે. તેવામાં આ ચીજો કોઈને દાનમાં આપવાથી અથવા ઉધાર આપવાથી ઘરમાંથી લક્ષ્મી અને તમારું ભાગ્ય બંને ચાલ્યા જાય છે.