લગ્ન બાદ મહિલાઓએ આ ૩ ચીજોને ભુલથી પણ ના પહેરવી જોઈએ, પતિ ઉપર હંમેશા રહે છે ખતરો

Posted by

હિન્દુ ધર્મમાં જ્યોતિષ અને વાસ્તુને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. માન્યતા અનુસાર જણાવી દઈએ તો આ વાતોનું પાલન કરવાથી જિંદગીમાં સુખ વધે છે અને તેના નિયમોનું ઉલ્લંઘન કરવાથી દુઃખ અને દુર્ભાગ્ય પીછો છોડતું નથી. આપણા દૈનિક જીવનમાં જોડાયેલી ચીજો જાણતા-અજાણતા આપણા જીવન પર અસર કરે છે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય કે કાર્ય પોઝિટિવ કે નેગેટિવ એનર્જીનું કનેક્શન હોય છે. આ ચીજો આપણા વૈવાહિક જીવનને પણ પ્રભાવિત કરે છે.

આજે તમને મહિલાઓના આભૂષણ અને પરિધાન સાથે જોડાયેલા અમુક જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ અને વાસ્તવમાં જણાવી દીધી વાતો અનુસાર એક સુહાગન મહિલાએ લગ્ન પછી આ ૩ ચીજો તો અવશ્ય છોડી દેવી જોઈએ. એક સુહાગન મહિલા આ ૩ ચીજો પહેરે છે, તો તેનું વૈવાહિક જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. તેની સીધી અસર તેના લગ્ન જીવન પર પડે છે. લગ્ન બરબાદ પણ થઈ શકે છે. તો આજે જણાવીશું કે લગ્ન પછી મહિલાએ શું પહેરવાથી બચવું જોઈએ .

સફેદ રંગની સાડી

હિન્દુ ધર્મમાં સફેદ રંગની સાડી માત્ર એક વિધવા મહિલા જ પહેરે છે, તેથી એક સુહાગન મહિલાએ આ રંગની સાડીને ધારણ કરે છે તો તેનાથી એક મોટું અપશુકન માનવામાં આવે છે. અમુક મહિલાઓ ફેશનનાં નામ પર વિચાર્યા વગર સફેદ કલરની સાડી પહેરે છે, તો આ શાસ્ત્રોના અનુસાર યોગ્ય નથી. આવું કરવાથી મહિલાના પોતાના પતિ સાથે સંબંધો બગડી શકે છે. એટલું જ નહીં તેનાથી તમારા પતિનો જીવ પણ જોખમમાં આવી શકે છે.

સોનાની ઝાંઝર

સામાન્ય રીતે ચાંદીના ઝાંઝર પગમાં પહેરવામાં આવે છે, પરંતુ ફેશન અને શોખને લીધે અમુક મહિલાઓ સોનાની ઝાંઝર પહેરે છે. માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે ધનના દેવતા કુબેર તેનાથી ઉદાસ થઈ જાય છે અને તમારે ધનની હાનિ થઈ શકે છે. કહેવામાં આવે છે કે સોનુ હંમેશા કમરની ઉપરના ભાગમાં જ પહેરવું જોઈએ. જો કમરથી નીચેના અંગોમાં તેને ધારણ કરવામાં આવે તો દરિદ્રતા ઘરમાં આવે છે. તેની સાથે મહિલાના પતિની તરક્કી પણ નથી થતી અને તેને નુકસાન પર નુકસાન થવા લાગે છે.

કાળા રંગની બંગડી

મહિલાઓને બંગડી પહેરવી સારું લાગે છે. જાણતા અજાણતા પણ કાળા રંગની બંગડી ના પહેરવી જોઈએ. કાળો રંગ નેગેટિવ એનર્જીનું પ્રતીક હોય છે. તેને પહેરવો અશુભ માનવામાં આવે છે. ખાસ રીતે સુહાગન મહિલાએ તેને બિલકુલ ના પહેરવી જોઈએ. તમે આ કલર નહીં બંગડી પહેરો છો, તમારા પતિ અને બાળકો પર મુસીબત આવી શકે છે. તેથી કાળા રંગની બંગડી પહેરવાથી બચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *