લગ્ન માટે અક્ષય કુમારે રાખી હતી આ વિચિત્ર શરત, શિલ્પા શેટ્ટીએ ઠુકરાવી દીધી તો વળી ટ્વિંકલ ખન્નાએ સ્વીકારી લીધી

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની જોડી બોલિવૂડની સૌથી સુપર હિટ જોડી એક માનવામાં આવે છે. આ કપલને બોલિવૂડનાં મેડ ફોર ઈચ અધર કપલ્સનાં લિસ્ટમાં સામેલ છે. જણાવી દઈએ કે બંનેના લગ્નને ૧૯ વર્ષ થઈ ચૂક્યા છે. પરંતુ આજ સુધી ક્યારેય પણ બંનેની વચ્ચે કોઈપણ પ્રકારના મતભેદનાં સમાચાર સામે આવ્યા નથી. પરંતુ હંમેશાં બંને વચ્ચે જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષયના ઘરમાં ટ્વિંકલની મરજી વગર કોઈ કામ થતું નથી. એ જ કારણ છે કે અક્ષય કુમારને બોલિવૂડમાં જોરું કા ગુલામ કહેવામાં આવે છે.

લગ્ન બાદ ભલે અક્ષય કુમાર જોરુ કા ગુલામ કહેવાતા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર થી મોટો ઈશ્ક મિજાજી અન્ય કોઈ હતું નહીં. તેમના એકથી એક ચડિયાતા આશિકીનાં કિસ્સા સાંભળવા મળતા હતા. પરંતુ તેમાં રવિના અને શિલ્પાની સાથે તેમની પ્રેમ કહાની સૌથી ચર્ચિત પ્રેમ કહાનીઓમાં એક હતી. જણાવી દઈએ કે અજય દેવગન સાથે દગો મળ્યા બાદ રવીના ટંડન અક્ષય કુમારની નજીક આવી ગઈ હતી. પરંતુ તેમની સીરિયસ રિલેશનશીપ શિલ્પા શેટ્ટીને કારણે તૂટી ગઈ. તો વળી શિલ્પા અને અક્ષય કુમારનો સંબંધ ટ્વિંકલ ખન્નાને કારણે તૂટી ગયો.

હકીકતમાં અક્ષય કુમાર સાથે જે કોઈપણ લગ્નની ઈચ્છા રાખતા હતા, તેમની સામે અક્ષય કુમાર એક અજીબ શરત  રાખતા હતા. કહેવામાં આવે છે કે શિલ્પાએ અક્ષયની આ શરતને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, તેના લીધે બંનેના લગ્ન થઈ શક્યા નહીં. જ્યારે ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારની આ શરત માની લીધેલી, એટલા માટે બંનેના લગ્ન થઈ ગયા. તો ચાલો જાણીએ કે આખરે અક્ષય કુમારની તે શરત કઈ હતી.

આવી હતી અક્ષય શિલ્પાની લવ સ્ટોરી

શરત જાણતા પહેલા અક્ષય અને શિલ્પાની પ્રેમ કહાની પર નજર નાખવામાં આવે તો ફિલ્મ “મેં ખિલાડી તુ અનાડી” નાં શૂટિંગ સેટ પર અક્ષય અને શિલ્પાની મુલાકાત થઈ હતી અને આ મુલાકાતમાં બંને એકબીજાને પોતાનું દિલ આપી ચૂક્યા હતા. ત્યારબાદ જ્યારે ફિલ્મ જાનવરનું શૂટિંગ શરૂ થયું, તો બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. એક તરફ શિલ્પા શેટ્ટી પહેલી વખત કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી હતી, તો વળી અક્ષય કુમાર શિલ્પા પહેલા પણ ઇશ્ક લડાવી ચૂક્યા હતા. વળી શિલ્પા અને અક્ષયની પ્રેમ કહાની બોલિવૂડની ગલીઓમાં છવાયેલી રહેતી હતી.

શિલ્પા અને અક્ષય ખૂબ જ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું, જેથી રવિનાની જેમ શિલ્પા પણ અક્ષય સાથે લગ્નના સપના જોવા લાગી હતી. બંનેની વાત તો સગાઈ સુધી પહોંચી ચૂકી હતી, પરંતુ તે સમયે અક્ષય કુમારના જીવનમાં ટ્વિંકલ ખન્ના આવી ગઈ અને તે દિવસોમાં અક્ષય કુમાર બંનેને ડેટ કરતા હતા. જોકે જેવી આ વાતની જાણ શિલ્પા શેટ્ટીને થઈ, તો તેમણે ખૂબ જ હંગામો મચાવ્યો હતો. બંનેની વચ્ચે ખૂબ જ તકરાર થઇ હતી અને અંતમાં બંને એકબીજાથી દૂર થઈ ગયા હતા.

અક્ષયની આ શરતને લીધે થયું હતું બ્રેકઅપ

અક્ષય કુમાર શિલ્પા શેટ્ટી સાથે બ્રેકઅપ બાદ ઉતાવળમાં ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા. પરંતુ શિલ્પા શેટ્ટી તે દિવસોમાં મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આ બાબત માંથી બહાર નીકળવા માટે તેમને ખૂબ જ સમય લાગ્યો. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ઘણી વખત મીડિયામાં અક્ષય વિરુધ્ધ ઘણા નિવેદન આપ્યા અને ખૂબ જ હંગામો કર્યો હતો. કહેવામાં આવે છે કે તે દિવસોમાં શિલ્પા શેટ્ટી, અક્ષય કુમારનો ચહેરો જોવાનું પણ પસંદ કરતી ન હતી.

હકીકતમાં અક્ષય કુમાર પણ શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા, પરંતુ તેમણે શરત રાખી હતી કે લગ્ન બાદ તેણે પોતાની બોલિવૂડ કારકિર્દી ખતમ કરવાની રહેશે અને ઘર-પરિવારની જવાબદારી સંભાળવાની રહેશે. શિલ્પા શેટ્ટી આ વાત માટે તૈયાર હતી નહીં અને ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારની આ શરતને હસી-ખુશી સ્વીકાર કરી લીધી. ટ્વિંકલ ખન્નાએ અક્ષય સાથે લગ્ન માટે પોતાની બોલિવૂડ કારકિર્દી ખતમ કરવાનો નિર્ણય લીધો, તો અક્ષયે પણ પોતાનું વચન નિભાવ્યું હતું.