મહાભારતનાં આ ૫ શ્રાપની સજા આજે કળયુગમાં પણ ભોગવી રહ્યા છે લોકો, પુરુષો માટે અભિશાપ છે ત્રીજો શ્રાપ

મહાભારતને મહાકાવ્ય નાં રૂપમાં લખવામાં આવેલ ભારતનો એક ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ માનવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ થયું તેને વર્ષો વીતી ચુક્યા છે, પરંતુ આજે પણ લોકોમાં તેના પ્રત્યે જિજ્ઞાસા છે. તેના વિશે ઘણા એવા તથ્ય છે જેને ખુબ જ ઓછા લોકો જાણે છે. મહાભારતમાં સામાન્ય રીતે તો અઢળક શાપ અને વરદાન મળેલા હતા. પરંતુ પાંચ શાપ એવા છે, જેનો પ્રભાવ આજે કળયુગમાં પણ જોવા મળે છે. “શાપ” શબ્દ સંસ્કૃત ભાષાના “શ્રાપ” નો અપભ્રંશ છે. ઘણી જગ્યાએ શાપ ને શાર્પ એટલે કે તીક્ષણ રૂપમાં પણ પ્રયોગ કરવામાં આવે છે.

જ્યારે શ્રીકૃષ્ણએ અશ્વસ્થામાને આપ્યો શ્રાપ

મહાભારતના ઇતિહાસ અનુસાર અશ્વસ્થામાએ દગાથી પાંડવ પુત્રોને મારી નાખ્યા હતા. ત્યારબાદ શ્રીકૃષ્ણએ અશ્વસ્થામાનો પીછો મહર્ષિ વેદવ્યાસ નાં આશ્રમ સુધી પીછો કર્યો. યુદ્ધને કારણે અશ્વસ્થામાં અને કુંતી પુત્ર અર્જુન બંનેએ પોતાની કમાનમાંથી બ્રહ્માસ્ત્ર છોડી દીધા હતા. આ જોઈને મહર્ષિ વેદવ્યાસ દ્વારા બંનેને પોતાના બ્રહ્માસ્ત્ર પરત લેવા માટે કહેવામાં આવ્યું. આજ્ઞાને માનીને અર્જુનને પોતાનું બ્રહ્માસ્ત્ર પરત લઈ લીધું, પરંતુ અશ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર પરત લેવાની વિદ્યા ની જાણ હતી નહીં.

અશ્વસ્થામાએ પોતાનું બ્રહ્માસ્ત્ર અર્જુન પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા તરફ કરી દીધું. શ્રીકૃષ્ણને અશ્વસ્થામાની આ ભુલ ઉપર ક્રોધ આવી ગયો અને અશ્વસ્થામાને શ્રાપ આપીને કહ્યું હતું કે, “તું આ પૃથ્વી ઉપર હંમેશા ભટકતો રહેશે. તારા શરીરમાંથી લોહી અને પેશાબની ગંધ નીકળતી રહેશે. ક્યારેય પણ અને કોઈ પણ જગ્યાએ તું પુરુષ જાતિ સાથે વાત કરી શકશે નહીં અને દુર્ગમ જંગલોમાં ભટકતો રહેશે.”

યુધિષ્ઠિર નો નારી જાતિને શ્રાપ

યુદ્ધ સમાપ્તિ દરમિયાન જ્યારે યુધિષ્ઠિરને કર્ણના મૃત્યુ બાદ માતા કુંતી દ્વારા જાણવા મળ્યું કે કર્ણ તેમનો ભાઈ હતો. આ સાંભળીને પાંડવોને ખુબ જ દુઃખ થયું હતું અને સમગ્ર વિધિ વિધાન અંતર્ગત તેમણે કર્ણના અંતિમ સંસ્કાર કર્યા. તેમણે પોતાના ભાઈ કર્ણના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરીને સંપુર્ણ નારી જાતિને શ્રાપ આપ્યો કે કોઈપણ સ્ત્રી કોઈપણ પ્રકારની રહસ્યમય વાત ભવિષ્યમાં ક્યારેય પણ છુપાવી શકશે નહીં.

જ્યારે ઉર્વશી એ આપ્યો અર્જુન અને શ્રાપ

કુંતી પુત્ર અર્જુન જ્યારે દિવ્યાસ્ત્રની શિક્ષા મેળવવા માટે સ્વર્ગ લોક ગયા તો ઉર્વશી નામની સ્ત્રી તેમની ઉપર આકર્ષિત થઈ ગઈ. પરંતુ અર્જુને ઉર્વશી જેવી અપ્સરા ને પોતાની માં સમાન જણાવી. અર્જુન ની વાત સાંભળીને ઉર્વશીના મનમાં ક્ષોભ થયો અને ગુસ્સામાં આવીને અર્જુનને નપુંસક બનવાનો શ્રાપ આપી દીધો. શ્રાપ આપીને ઉર્વશી એ કહ્યું કે, “તમે નપુંસક જેવી વાત કરી છે. જેથી હું તમને શ્રાપ આપું છું કે તમે એક વર્ષ માટે પુંસત્વહીન રહેશો.” ત્યારબાદ ઉર્વશી ત્યાંથી ચાલી ગઈ.

યમરાજને માંડવ્ય ઋષિનો શ્રાપ

મહાભારતના ઇતિહાસ અનુસાર જ્યારે રાજાએ ઋષિ માંડવ્યને ફાંસી પર ચડાવવા માટે કહ્યું પરંતુ લાંબા સમય સુધી ફાંસી ઉપર લટકી ગયા હોવા છતાં પણ તેમનું મૃત્યુ થયું નહીં. ત્યારે રાજાને પોતાની ભુલનો અહેસાસ થયો હતો. રાજાએ મહર્ષિ માંડવ્ય પાસે પોતાની ભુલની ક્ષમા માંગી. જ્યારે ઋષિ માંડવ્ય એ યમરાજને પુછ્યું કે આખરે કારણ વગર તેમને ખોટા આરોગમાં સજા શા માટે મળી?

યમરાજે ઋષિ માંડવી અને જણાવ્યું કે પોતાની ૧૨ વર્ષની ઉંમરમાં એક નાના જીવજંતુની પુંછડીમાં સળી ખુંચાડી હતી, એટલા માટે તેમણે આ કષ્ટ સહન કરવું પડ્યું. જ્યારે ઋષિએ યમરાજ ને જવાબ આપતા કહ્યું કે ૧૨ વર્ષની ઉંમરમાં તેને જાણ ન હતી કે ધર્મ શું હોય છે અને અધર્મ શું હોય છે અને મને નાના અપરાધ માટે આટલી મોટી સજા શા માટે? ત્યારે ઋષિ યમરાજને શ્રાપ આપતા કહ્યું હતું કે તમારે એક શુદ્ર યોની માં એક દાસી નાં ખોળે જન્મ લેવો પડશે. આ શ્રાપને કારણે યમરાજે વિદુરના રૂપમાં જન્મ લેવો પડ્યો હતો.

શૃંગી ઋષિનો પરીક્ષિત ને શ્રાપ

જ્યારે અંતમાં પાંડવો સ્વર્ગ લોક તરફ આગળ વધી રહ્યા હતા તો તે પહેલા પાંડવોએ બધું રાજ્ય અભિમન્યુના દીકરા પરીક્ષિતને સોંપી દીધું હતું. તેમના રાજ્યમાં પ્રજા ખુબ જ સુખી હતી. પરંતુ એક દિવસ રાજા પરીક્ષિત વનમાં શિકાર માટે ગયા હતા. જ્યાં તેમને શામીક ઋષિ જોવા મળ્યા. ઋષિ પોતાની તપસ્યામાં લીન હતા અને તેમણે મૌન વ્રત રાખેલું હતું.

મૌન વ્રતને કારણે તેમણે પરીક્ષિત ની કોઈ વાતનો જવાબ આપ્યો નહીં અને પરીક્ષિત્તે ગુસ્સામાં આવીને શામીક ઋષિ ઉપર મરેલો સાંપ ફેંકી દીધો. શામીક ઋષિના પુત્ર શૃંગીને આ વાતની જાણ થઈ તો તેમણે પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો કે, “આજથી ૭ દિવસ બાદ તમારું મૃત્યુ તક્ષક નાગનાં ડંખ મારવાથી થશે.” ત્યારબાદ રાજા પરીક્ષિતના મૃત્યુ બાદ કળયુગ ની શરૂઆત થઈ ગઈ.